વધતા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું કોરોનાનો ખતરો ટળ્યો નથી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 17:48:30

દેશમાં એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના માથું ઉંચકી રહ્યું છે. વધતા કોરોના કેસને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે. વધુમાં તેમણે કહ્યું કે કોરોનાથી હવે ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઈ ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય થઈ ગયા છે. ગુજરાતમાં માત્ર કોરોનાના કેસ જ નથી વધી રહ્યા પરંતુ ફ્લુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 


કોરોના હવે જીવનનો એક ભાગ થઈ ગયો છે - આરોગ્ય મંત્રી

રાજકોટ ખાતે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિન અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. વેક્સિન અંગે નિવેદન આપતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. આપણે વેક્સિનના જથ્થાની માગણી કરી છે. કેન્દ્ર પાસેથી વેક્સિનની માગણી કરવામાં આવી છે. જેમ જેમ વેક્સિનનો ડોઝ આવતો રહેશે તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવશે.    

 

કોરોનાને કારણે થયા અનેક લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 31 માર્ચે નોંધાયેલા કેસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના 338 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મરનારની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં કોરોનાથી 9 જેટલા લોકોના મોત થયા છે.    



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.