'ધ કેરાલા સ્ટોરી' અંગે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી! તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે ફિલ્મ પર નથી લગાવ્યો બેન!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:53:11

'ધ કેરાલા સ્ટોરી' બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. અનેક રાજ્યોમાં ફિલ્મને ટેક્સફ્રી કરવામાં આવી હતી. ત્યારે ફિલ્મ પર પશ્ચિમ બંગાળે પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સિવાય તમિલનાડુ સરકારે પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી. સરકારના જણાવ્યા અનુસાર ફિલ્મમાં મોટા અભિનેતાઓ ન હોવાને કારણે અને અન્ય અનેક કારણોને લઈ થિયેટરના લોકો ખુદ ફિલ્મ નથી બતાવી રહ્યા.


સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે આપ્યો જવાબ!

સુપ્રીમ કોર્ટમાં ધ કેરાલા સ્ટોરીના નિર્માતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટએ કહ્યું કે જ્યારે દેશના બીજા રાજ્યોમાં ફિલ્મ શાંતિથી જોવાઈ રહી છે તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ પર બેન કેમ લગાવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટમાં સરકારે જવાબ આપ્યો છે.    


ફિલ્મ ન બતાવા માટે સરકારે નથી કર્યું દબાણ - તમિલનાડુ સરકાર

5 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તો તમિલનાડુ સરકારનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દર્શકોને આ ફિલ્મ ગમી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી. 


પાંચ મેના રોજ ફિલ્મ થઈ હતી રિલીઝ!

સરકારે જવાબ આપતા કહ્યું કે ફિલ્મ નિર્માતાએ ખોટું નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારે ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુ સરકારે દાખલ કરેલા પોતાના હલફનામાં બતાવ્યું કે ફિલ્મ ડાયરેક્ટરની આ દલીલ ખોટી છે કે રાજ્યમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ ન બતાવા પર સરકારે રોક નથી લગાવી અને સ્ક્રીનિંગ પર રોક પણ નથી લગાવી. પાંચ મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 7 મેથી થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.