'ધ કેરાલા સ્ટોરી' અંગે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી! તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે ફિલ્મ પર નથી લગાવ્યો બેન!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:53:11

'ધ કેરાલા સ્ટોરી' બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. અનેક રાજ્યોમાં ફિલ્મને ટેક્સફ્રી કરવામાં આવી હતી. ત્યારે ફિલ્મ પર પશ્ચિમ બંગાળે પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સિવાય તમિલનાડુ સરકારે પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી. સરકારના જણાવ્યા અનુસાર ફિલ્મમાં મોટા અભિનેતાઓ ન હોવાને કારણે અને અન્ય અનેક કારણોને લઈ થિયેટરના લોકો ખુદ ફિલ્મ નથી બતાવી રહ્યા.


સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે આપ્યો જવાબ!

સુપ્રીમ કોર્ટમાં ધ કેરાલા સ્ટોરીના નિર્માતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટએ કહ્યું કે જ્યારે દેશના બીજા રાજ્યોમાં ફિલ્મ શાંતિથી જોવાઈ રહી છે તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ પર બેન કેમ લગાવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટમાં સરકારે જવાબ આપ્યો છે.    


ફિલ્મ ન બતાવા માટે સરકારે નથી કર્યું દબાણ - તમિલનાડુ સરકાર

5 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તો તમિલનાડુ સરકારનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દર્શકોને આ ફિલ્મ ગમી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી. 


પાંચ મેના રોજ ફિલ્મ થઈ હતી રિલીઝ!

સરકારે જવાબ આપતા કહ્યું કે ફિલ્મ નિર્માતાએ ખોટું નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારે ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુ સરકારે દાખલ કરેલા પોતાના હલફનામાં બતાવ્યું કે ફિલ્મ ડાયરેક્ટરની આ દલીલ ખોટી છે કે રાજ્યમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ ન બતાવા પર સરકારે રોક નથી લગાવી અને સ્ક્રીનિંગ પર રોક પણ નથી લગાવી. પાંચ મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 7 મેથી થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.