2030માં અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-26 21:10:57

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.  વર્ષ ૨૦૩૦માં આયોજિત થનારી , કોમનવેલ્થ ગેમ્સ આપણા ગુજરાતના અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. જેની જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝીક્યુટીવ બોર્ડની મિટિંગ પછી કરવામાં આવી છે. ભારત તરફથી ,ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ પણ હાજર છે.  વર્ષ ૨૦૩૦માં જે કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદમાં આયોજિત થવાની છે તેનું મહત્વ એ છે કે, આ પહેલો પ્રસંગ હશે જયારે , ભારતમાં કોઈ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ દિલ્હીની બહાર આયોજિત થશે. આ પહેલાં ભારતે 2010 કોમનવેલ્થ ગેમ્સ, 1951 અને 1982 એશિયન ગેમ્સની યજમાની કરી છે, અને આ તમામ દિલ્હીમાં યોજાયા હતા.

Ahmedabad formally awarded hosting rights of 2030 Commonwealth Games - The  Hindu

આપણા ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી કેમ ખાસ છે? કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ તે એક દેશની આંતરરાષ્ટ્રીય છબી, વિકાસ ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝનનું પ્રતીક પણ માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, કેનેડા, ન્યુઝીલેન્ડ સહિત 9 દેશોએ તેની યજમાની કરી છે. સૌથી વધુ 5 વખત યજમાની કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. હવે વાત કરીએ, કે આપણા અમદાવાદને કેમ વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે? કોમનવેલ્થની ટીમે બે વખત ગુજરાતનો પ્રવાસ કર્યો છે, જ્યાં તેમણે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. 7 જૂન 2025ના રોજ ભારતીય પ્રતિનિધિમંડળે લંડનમાં પ્રેઝન્ટેશન પછી કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી. 29 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ પર હર્ષ સંઘવી, પી.ટી. ઉષા અને અન્ય અધિકારીઓએ લંડનમાં સત્તાવાર બોલી (Bid) જમા કરાવી હતી. અમદાવાદને એક આધુનિક, કોમ્પેક્ટ અને હાઇ-સ્ટાન્ડર્ડ ગેમ્સ સિટી તરીકે રજૂ કરવામાં આવ્યું, જેમાં ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હોય. મુખ્ય વેન્યુ (સ્થળો) તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ પ્રસ્તાવિત છે.

Commonwealth Sport Board Recommends Ahmedabad as Host City for 2030 Commonwealth  Games | DeshGujarat

આમ આપણા અમદાવાદમાં જે જબરદસ્ત રમતગમતના આંતરમાળખાની સુવિધા છે તેના કારણે , કોમનવેલ્થની ટીમે અમદાવાદ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે.  આ ઈવેન્ટ માત્ર ખર્ચ નથી, પણ રોકાણ છે. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ₹7,800 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ સામે અર્થવ્યવસ્થામાં ₹12,000 કરોડ પરત આવ્યા હતા. આયોજન માટે 20,000થી વધુ સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) જોઈશે. હોટલ્સ, ટ્રાન્સપોર્ટ અને બાંધકામક્ષેત્રે હજારો નોકરીઓ ઊભી થશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી વર્લ્ડ ક્લાસ ભેટ મળશે. નવા બ્રિજ, પહોળા રસ્તા અને મેટ્રોની કનેક્ટિવિટી સ્ટેડિયમ સુધી પહોંચશે, જે ગેમ્સ બાદ અમદાવાદીઓનાં જ કામ આવશે. હવે આપણે જાણીએ કે આ કોમનવેલ્થ ગેમ્સ પાછળનો ઇતિહાસ શું છે? કોમનવેલ્થ ગેમ્સ એક મલ્ટી-સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય આયોજન છે, જેમાં બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે. તેમાં હાલમાં 54 સભ્ય દેશો છે. તેની પ્રથમ સિઝન 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી અને તેને પહેલા બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતું હતું. 1978થી તેને 'કોમનવેલ્થ ગેમ્સ' નામ આપવામાં આવ્યું. 2030ના આયોજન સાથે કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂર્ણ કરશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.