જયારે હર્ષ સંઘવી અને પરષોત્તમ સોલંકી વચ્ચે થઇ બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-15 18:32:18

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો ખુબ જ સમાચારોમાં રહે છે. આજ ભાવનગર જિલ્લામાંથી આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , કેન્દ્રમાં મંત્રી એવા નિમુબેન બામભણીયા , રાજુલાના MLA હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઇ હતી. જેનાથી અનેક રાજકીય તર્કવિતર્ક હવે શરૂ થઇ ચુક્યા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોળી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિણાર્યક છે. ત્યારે , કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખુબ જ મહત્વનો છે. 

તાજેતરમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમ કે થોડાક સમય અગાઉ , જયારે બોટાદના હડદડ  મુકામે , કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ દ્વારા કોળી સમાજના ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે , રાજુલાના MLA હીરા સોલંકી દ્વારા હડદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પછી બગદાણાની બબાલમાં જયારે નવનીત બાલધીયા પર હિંસક હુમલો થયો ત્યારે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કારણે , પરષોત્તમ સોલંકી અને હર્ષ સંઘવી વચ્ચેની આ બેઠકથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થયા છે. 




" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.