જયારે હર્ષ સંઘવી અને પરષોત્તમ સોલંકી વચ્ચે થઇ બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-15 18:32:18

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો ખુબ જ સમાચારોમાં રહે છે. આજ ભાવનગર જિલ્લામાંથી આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , કેન્દ્રમાં મંત્રી એવા નિમુબેન બામભણીયા , રાજુલાના MLA હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઇ હતી. જેનાથી અનેક રાજકીય તર્કવિતર્ક હવે શરૂ થઇ ચુક્યા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોળી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિણાર્યક છે. ત્યારે , કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખુબ જ મહત્વનો છે. 

તાજેતરમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમ કે થોડાક સમય અગાઉ , જયારે બોટાદના હડદડ  મુકામે , કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ દ્વારા કોળી સમાજના ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે , રાજુલાના MLA હીરા સોલંકી દ્વારા હડદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પછી બગદાણાની બબાલમાં જયારે નવનીત બાલધીયા પર હિંસક હુમલો થયો ત્યારે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કારણે , પરષોત્તમ સોલંકી અને હર્ષ સંઘવી વચ્ચેની આ બેઠકથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થયા છે. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.