જયારે હર્ષ સંઘવી અને પરષોત્તમ સોલંકી વચ્ચે થઇ બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-15 18:32:18

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો ખુબ જ સમાચારોમાં રહે છે. આજ ભાવનગર જિલ્લામાંથી આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , કેન્દ્રમાં મંત્રી એવા નિમુબેન બામભણીયા , રાજુલાના MLA હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઇ હતી. જેનાથી અનેક રાજકીય તર્કવિતર્ક હવે શરૂ થઇ ચુક્યા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોળી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિણાર્યક છે. ત્યારે , કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખુબ જ મહત્વનો છે. 

તાજેતરમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમ કે થોડાક સમય અગાઉ , જયારે બોટાદના હડદડ  મુકામે , કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ દ્વારા કોળી સમાજના ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે , રાજુલાના MLA હીરા સોલંકી દ્વારા હડદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પછી બગદાણાની બબાલમાં જયારે નવનીત બાલધીયા પર હિંસક હુમલો થયો ત્યારે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કારણે , પરષોત્તમ સોલંકી અને હર્ષ સંઘવી વચ્ચેની આ બેઠકથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થયા છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.