જયારે હર્ષ સંઘવી અને પરષોત્તમ સોલંકી વચ્ચે થઇ બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-15 18:32:18

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો ખુબ જ સમાચારોમાં રહે છે. આજ ભાવનગર જિલ્લામાંથી આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , કેન્દ્રમાં મંત્રી એવા નિમુબેન બામભણીયા , રાજુલાના MLA હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઇ હતી. જેનાથી અનેક રાજકીય તર્કવિતર્ક હવે શરૂ થઇ ચુક્યા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોળી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિણાર્યક છે. ત્યારે , કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખુબ જ મહત્વનો છે. 

તાજેતરમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમ કે થોડાક સમય અગાઉ , જયારે બોટાદના હડદડ  મુકામે , કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ દ્વારા કોળી સમાજના ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે , રાજુલાના MLA હીરા સોલંકી દ્વારા હડદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પછી બગદાણાની બબાલમાં જયારે નવનીત બાલધીયા પર હિંસક હુમલો થયો ત્યારે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કારણે , પરષોત્તમ સોલંકી અને હર્ષ સંઘવી વચ્ચેની આ બેઠકથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થયા છે. 




ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.