"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન કે જ્યાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. એક કાર્યકાળ ભાજપનો હોય તો બીજો કાર્યકાળ કોંગ્રેસનો હોય છે. હવે , રાજસ્થાનની આ સરકાર બદલવાની નીતિની વાત બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે થોડાક સમય અગાઉ , થરાદ તાલુકાના અછવાડા ગામેથી પવિત્ર વામેશ્વર મહાદેવજીના મંદિર સુધી એક પદયાત્રામાં ભાગ લીધો હતો. આ સમગ્ર પદયાત્રાનું આયોજન તાલુકા પંચાયતના સભ્ય માંગીલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . આ પદયાત્રા આ વર્ષે સારો વરસાદ વર્ષે તે હેતુથી યોજાઈ હતી. આ પદયાત્રામાં બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. હવે આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ભાષણ આપતી વખતે કહ્યું છે કે, " જે રોટલો હોય તેને પણ જો તમે બે બાજુ ના શેકો અને એક જ બાજુ શેક શેક કરો રોટલો દાઝી જાય. રાજસ્થાનમાં પાંચ વર્ષ ભાજપ આવે છે પાંચ વર્ષે કોંગ્રેસ આવે છે પરંતુ હિન્દુત્વ મટી ના જાય. તો અહીં પણ પાંચ વર્ષે બદલાય બંને પક્ષોના આગેવાનો સચવાઈ રહે. "

વાત કરીએ , ગુજરાતની ગુજરાતમાં છેલ્લા ૩ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીઓમાં તો કોંગ્રેસ બેઠકો અને વોટશેરની દ્રષ્ટિએ સૌથી નીચા ક્રમાંકે પહોંચી ગઈ હતી. ત્યારે આવતા વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને કેટલી ટક્કર આપી શકે છે?







.jpg)








