ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં સંગઠિત ક્રાઇમની સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જિલ્લાના વેરાવળ તાલુકા , પ્રભાસ પાટણ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં જે ગુનેગારોએ તેમના સાગરીતો સાથે મળીને છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે , વિદેશી દારૂની આયાત , સંગ્રહ અને હેરાફેરી કરી હોય સાથે જ સંગઠિત ગુના આચરેલા છે એ ટોળકીના આઠ આરોપીઓની સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOK હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહંમદભાઈ ચૌહાણ છે અને તેના અન્ય સાત સાગરીતોની સામે SP જયદીપ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જયારે , અન્ય ચાર આરોપીઓ હાલમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જેલમાં છે. આ કેસની આગળની તપાસ DYSP વેરાવળ દ્વારા કરવામાં આવશે. મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહમંદ ચૌહાણ દ્વારા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને બહારના રાજયો હરિયાણા,રાજસ્થાન, પંજાબ,મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ,મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ.દમણ અને ગોવા જેવા રાજયો/સંઘ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવી છે સાથે જ આ ટોળકી દ્વારા અન્ય સંગઠિત ગુનાઓ પણ કરવામાં આવ્યા છે.

આ આઠેય આરોપીઓ અને તેના ગુન્હાહિત ઇતિહાસ વિશે વાત કરીએ તો (૧) (ગેંગ લીડર) મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહમદભાઇ ચૌહાણ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના નોંધાયેલા છે.(૨) જીગ્નેશ ઉર્ફે જેક મહેશ ચોમલ ખારવા, જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના છે.(૩) જોકીકુમાર મહેશભાઇ પટેલ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુનાઓ નોંધાયેલા છે.(૪) રવિ પાલાભાઇ ચાવડા રબારી જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ४ ગુના છે.(૫) પ્રતાપ જેન્તીલાલ થાવર ખારવા રહે.વેરાવળ વાળા વિરૂધ્ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે.(૬) રમેશભાઇ બચુભાઇ, વાજાની વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૭ ગુના છે.(૭) જયેશ ઉર્ફે જયુ રામભાઇ મારૂ રબારી રહે.વેરાવળ,વાળા વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે (૮)અમિત મનસુખભાઇ ઉડનકટ રહે.વેરાવળ વાળા વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ ગુનાઓ છે.આમ, ઉપરોકત ટોળકી વિરૂધ્ધમાં કુલ-૫૫ ગુનાઓ દાખલ થયેલ છે. આ સમગ્ર કામગીરીમાં , સ્થાનિક LCBના પોલીસ કર્મીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે.






.jpg)








