SP જયદીપસિંહ જાડેજાએ GUJSITOKનું શસ્ત્ર ઉગામ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-20 21:19:52

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. 

ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં સંગઠિત ક્રાઇમની સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.  જિલ્લાના વેરાવળ તાલુકા , પ્રભાસ પાટણ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં જે ગુનેગારોએ તેમના સાગરીતો સાથે મળીને છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે , વિદેશી દારૂની આયાત , સંગ્રહ અને હેરાફેરી કરી હોય સાથે જ સંગઠિત ગુના આચરેલા છે એ ટોળકીના આઠ આરોપીઓની સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOK હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહંમદભાઈ ચૌહાણ છે અને તેના અન્ય સાત સાગરીતોની સામે SP જયદીપ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જયારે , અન્ય ચાર આરોપીઓ હાલમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જેલમાં છે. આ કેસની આગળની તપાસ DYSP વેરાવળ દ્વારા કરવામાં આવશે.  મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહમંદ ચૌહાણ દ્વારા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને બહારના રાજયો હરિયાણા,રાજસ્થાન, પંજાબ,મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ,મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ.દમણ અને ગોવા જેવા રાજયો/સંઘ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવી છે સાથે જ આ ટોળકી દ્વારા અન્ય સંગઠિત ગુનાઓ પણ કરવામાં આવ્યા છે. 

આ આઠેય આરોપીઓ અને તેના ગુન્હાહિત ઇતિહાસ વિશે વાત કરીએ તો (૧) (ગેંગ લીડર) મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહમદભાઇ ચૌહાણ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના નોંધાયેલા છે.(૨) જીગ્નેશ ઉર્ફે જેક મહેશ ચોમલ ખારવા, જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના છે.(૩) જોકીકુમાર મહેશભાઇ પટેલ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુનાઓ નોંધાયેલા છે.(૪) રવિ પાલાભાઇ ચાવડા રબારી જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ४ ગુના છે.(૫) પ્રતાપ જેન્તીલાલ થાવર ખારવા રહે.વેરાવળ વાળા વિરૂધ્ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે.(૬) રમેશભાઇ બચુભાઇ, વાજાની વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૭ ગુના છે.(૭) જયેશ ઉર્ફે જયુ રામભાઇ મારૂ રબારી રહે.વેરાવળ,વાળા વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે (૮)અમિત મનસુખભાઇ ઉડનકટ રહે.વેરાવળ વાળા વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ ગુનાઓ છે.આમ, ઉપરોકત ટોળકી વિરૂધ્ધમાં કુલ-૫૫ ગુનાઓ દાખલ થયેલ છે. આ સમગ્ર કામગીરીમાં , સ્થાનિક LCBના પોલીસ કર્મીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. 




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.