મુકેશ અંબાણીએ AI ઈમ્પૅક્ટ સમિટમાં આપ્યું મહત્વનું નિવેદન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-19 23:40:08

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે." 

Reliance to invest ₹10 trillion in AI over next 7 years: Mukesh Ambani |  Tech News - Business Standard

મુકેશ અંબાણીએ AI ઈમ્પૅક્ટ સમિટમાં કહ્યું છે કે " પ્રિય મહેમાનો અને મારા પ્રિય દેશવાસીઓ, નમસ્તે. આ ગ્લોબલ AI ઈમ્પેક્ટ સમિટ ભારતના ટેકનોલોજી ઈતિહાસમાં એક મહત્વનો પડાવ છે. આજે ભારત સંકલ્પ લીધો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા 2047 સુધી “વિકસિત ભારત”નું સપનું પૂરું કરવું છે, એટલે કે સ્વતંત્રતાના 100 વર્ષ પૂરાં થાય ત્યારે ભારતને સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાનો છે. આ સમિટ માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું માર્ગદર્શન આપણાં માટે ગૌરવની બાબત છે. તેમજ માનનીય મંત્રી શ્રી વૈષ્ણવજી અને તેમની ટીમે આ ભવ્ય આયોજન માટે ખૂબ પ્રશંસા લાયક કામ કર્યું છે. AI માત્ર એક નવી ટેકનોલોજી નથી. આ એવી શક્તિ છે જે મશીનોને વધુ ઝડપથી, સમજદારીથી અને સ્વતંત્ર રીતે કામ કરવાની શક્તિ આપે છે. હું AI ને “અક્ષય પાત્ર” જેવું માનું છું – જે અનંત લાભ આપી શકે. યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો AI ગરીબી દૂર કરી શકે અને દરેકને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે. આજે દુનિયા સામે પ્રશ્ન છે – શું AI થોડા લોકો સુધી સીમિત રહેશે કે બધા માટે ઉપલબ્ધ બનશે? ભારત માને છે કે AI સૌ માટે સસ્તું, સરળ અને ઉપયોગી હોવું જોઈએ. ભારત પાસે મોટી યુવા જનસંખ્યા, મજબૂત લોકશાહી, ઝડપી વિકાસ અને મજબૂત ડિજિટલ માળખું છે. 

આજ ભારતમાં:

* લગભગ 100 કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે.

* આધાર દ્વારા 140 કરોડને ડિજિટલ ઓળખ આપવામાં આવી છે.

* UPI  પર દર મહિને 12 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે. 

* ભારત વિશ્વના ટોચના સ્ટાર્ટઅપ દેશોમાં છે.

જિયોએ ઇન્ટરનેટ દરેક સુધી પહોંચાડ્યું. હવે જિયો ભારતને “ઇન્ટેલિજન્સ યુગ” સાથે જોડશે. અમે AIને સસ્તું અને સૌ માટે ઉપલબ્ધ બનાવવાનો સંકલ્પ લઈએ છીએ. આ માટે રિલાયન્સ અને જિયો આવતા સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. AIમાં સૌથી મોટો પડકાર છે – મોંઘું અને મર્યાદિત “કમ્પ્યુટ”. 

તેથી:

* જામનગરમાં મોટા AI ડેટા સેન્ટર બનાવાશે.

* ગ્રીન ઊર્જા (સોલાર પાવર)નો ઉપયોગ થશે.

* દેશભરમાં એજ કમ્પ્યુટ નેટવર્ક બનાવાશે જેથી AI સેવાઓ ઝડપથી અને સસ્તી મળે.

અમારા પાંચ મુખ્ય સિદ્ધાંત છે: 

1. AIનો ઉપયોગ ઉદ્યોગ, ખેતી, નાના વ્યવસાય અને સામાન્ય લોકો માટે.

2. તમામ ભારતીય ભાષામાં AI ઉપલબ્ધ કરાવવું

3. સુરક્ષા અને ડેટાની ગોપનીયતા પર ભાર.

4. AI નવી રોજગારી બનાવશે.

5. મજબૂત ભાગીદારી અને ઇકોસિસ્ટમ બનાવવી.

જિયો શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓને AI શિક્ષણ સહાય મળશે.

જિયો આરોગ્ય દ્વારા સ્થાનિક ભાષામાં તબીબી માર્ગદર્શન મળશે.

જિયો કૃષિ દ્વારા ખેડૂતોને સરળ સલાહ મળશે.

ભારત દુનિયાને જોડતો પુલ બની શકે છે – ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે. AI સહકારથી આગળ વધે છે, ટકરાવથી નહીં.

ચાલો, બુદ્ધિ સાથે સંવેદના જોડીએ અને AI દ્વારા સમગ્ર વિશ્વ માટે સારું ભવિષ્ય બનાવીએ.

જય હિંદ. ????????" 



સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.