દિલ્હીમાં પોસ્ટર લગાવી કરાઈ વડાપ્રધાન મોદીને હટાવવાની માગ! વિપક્ષોએ સાધ્યું કેન્દ્ર પર નિશાન, પોલીસે નોંધી 100 લોકો વિરુદ્ધ FIR


  • Published By :
  • Published Date : 2023-03-23 09:23:22

દિલ્હીના અનેક વિસ્તારોમાં મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે. પોસ્ટરો લગાવવાના મામલે 6 જેટલા લોકોની ધરપકડ પણ કરી લીધી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત આ જ મુદ્દાને લઈ 100 જેટલા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પોસ્ટર કઈ પ્રિન્ટિંગ પ્રેસે બનાવ્યા છે તેની માહિતી સામે આવી નથી. આ મામલો પ્રિંટિગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.         

Image


Image


દિલ્હીમાં લાગ્યા પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટર!

છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત દિલ્હી ચર્ચામાં આવ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે મોદી હટાવો દેશ બચાવો. આ મામલાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલાને લઈ 100 FIR પણ દાખલ કરવામાં આવી છે ઉપરાંત 6 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઓફિસથી નીકળી રહેલી વેનમાંથી પોસ્ટરો મળી આવ્યા હતા.  પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 


પોસ્ટરને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

પોસ્ટરો મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતને લઈ કટાક્ષ કર્યો છે. આપે લખ્યું હતું કે મોદી સરકારની તાનાશાહી ચરમ સીમા પર છે. પોસ્ટરમાં એવું તો શું આપત્તિજનક છે, જેને લગાવા પર મોદીજીએ 100 FIR દર્જ કરાવી દીધી. પીએમ મોદી તમને લગભગ ખબર નથી કે ભારત એક લોકતંત્રિક દેશ છે, એ પોસ્ટરથી આટલો ડર કેમ?


આમ આદમી પાર્ટી કરી શકે છે પ્રદર્શન 

મળતી માહિતી અનુસાર પોસ્ટરને લઈ આમ આદમી પાર્ટી ગુરૂવારે પ્રદર્શન કરવાની છે. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન થવાનું છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થઈ શકે છે. 



આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

પોસ્ટર અંગેના સમાચાર મળતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મીડિયા રિપોર્ટસના અનુસાર આ પોસ્ટરને છાપવા માટે બે પ્રિંટિંગ ફર્મને 50 હજાર પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.       




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.