દિલ્હીમાં પોસ્ટર લગાવી કરાઈ વડાપ્રધાન મોદીને હટાવવાની માગ! વિપક્ષોએ સાધ્યું કેન્દ્ર પર નિશાન, પોલીસે નોંધી 100 લોકો વિરુદ્ધ FIR


  • Published By :
  • Published Date : 2023-03-23 09:23:22

દિલ્હીના અનેક વિસ્તારોમાં મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે. પોસ્ટરો લગાવવાના મામલે 6 જેટલા લોકોની ધરપકડ પણ કરી લીધી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત આ જ મુદ્દાને લઈ 100 જેટલા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પોસ્ટર કઈ પ્રિન્ટિંગ પ્રેસે બનાવ્યા છે તેની માહિતી સામે આવી નથી. આ મામલો પ્રિંટિગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.         

Image


Image


દિલ્હીમાં લાગ્યા પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટર!

છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત દિલ્હી ચર્ચામાં આવ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે મોદી હટાવો દેશ બચાવો. આ મામલાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલાને લઈ 100 FIR પણ દાખલ કરવામાં આવી છે ઉપરાંત 6 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઓફિસથી નીકળી રહેલી વેનમાંથી પોસ્ટરો મળી આવ્યા હતા.  પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 


પોસ્ટરને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

પોસ્ટરો મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતને લઈ કટાક્ષ કર્યો છે. આપે લખ્યું હતું કે મોદી સરકારની તાનાશાહી ચરમ સીમા પર છે. પોસ્ટરમાં એવું તો શું આપત્તિજનક છે, જેને લગાવા પર મોદીજીએ 100 FIR દર્જ કરાવી દીધી. પીએમ મોદી તમને લગભગ ખબર નથી કે ભારત એક લોકતંત્રિક દેશ છે, એ પોસ્ટરથી આટલો ડર કેમ?


આમ આદમી પાર્ટી કરી શકે છે પ્રદર્શન 

મળતી માહિતી અનુસાર પોસ્ટરને લઈ આમ આદમી પાર્ટી ગુરૂવારે પ્રદર્શન કરવાની છે. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન થવાનું છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થઈ શકે છે. 



આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

પોસ્ટર અંગેના સમાચાર મળતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મીડિયા રિપોર્ટસના અનુસાર આ પોસ્ટરને છાપવા માટે બે પ્રિંટિંગ ફર્મને 50 હજાર પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.