કોરોના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં આટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-20 15:13:32

દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 6350 પર પહોંચી ગઈ છે.


છેલ્લા 24 કલાકમાં થયા 4 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોના અંત તરફ આગળ વધી રહ્યો છે. એકદમ ઓછા કેસ નોંધાતા હતા. કોરોના જાણે નાબુદ થઈ ગયો હોય તેવું લોકોને લાગતું હતું. કોરોનાના ઘટતા કેસને લઈ લોકો પણ એકદમ લાપરવાહ બની ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોના પગ પેસારો સમગ્ર દેશમાં કરી રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 4 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થઈ છે. રાજસ્થાનમાં બે લોકોના મોત થયા છે જ્યારે કેરળ અને કર્ણાટકમાં એક એક લોકોના મોત થયા છે.

 

કેન્દ્રએ રાજ્ય સરકારને સતર્ક રહેવા કરી અપીલ  

દેશમાં કોરોનાની સાથે સાથે H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  H3N2ના સંક્રમણમાં અનેક લોકો આવી રહ્યા છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસ તો બીજી તરફ H3N2ના કેસે ચિંતા વધારી છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કેરળમાં 1796 કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 1308 જેટલા એક્ટિવ છે. ગુજરાતમાં 740 જેટલા એક્ટિવ કેસોની સંખ્યા છે. તેલંગાણામાં 237 એક્ટિવ કેસ છે જ્યારે દિલ્હીમાં 209 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ લોકોને પણ અનેક સાવચેતી રાખવા અપીલ કરી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.