કોરોના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં આટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-20 15:13:32

દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 6350 પર પહોંચી ગઈ છે.


છેલ્લા 24 કલાકમાં થયા 4 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોના અંત તરફ આગળ વધી રહ્યો છે. એકદમ ઓછા કેસ નોંધાતા હતા. કોરોના જાણે નાબુદ થઈ ગયો હોય તેવું લોકોને લાગતું હતું. કોરોનાના ઘટતા કેસને લઈ લોકો પણ એકદમ લાપરવાહ બની ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોના પગ પેસારો સમગ્ર દેશમાં કરી રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 4 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થઈ છે. રાજસ્થાનમાં બે લોકોના મોત થયા છે જ્યારે કેરળ અને કર્ણાટકમાં એક એક લોકોના મોત થયા છે.

 

કેન્દ્રએ રાજ્ય સરકારને સતર્ક રહેવા કરી અપીલ  

દેશમાં કોરોનાની સાથે સાથે H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  H3N2ના સંક્રમણમાં અનેક લોકો આવી રહ્યા છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસ તો બીજી તરફ H3N2ના કેસે ચિંતા વધારી છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કેરળમાં 1796 કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 1308 જેટલા એક્ટિવ છે. ગુજરાતમાં 740 જેટલા એક્ટિવ કેસોની સંખ્યા છે. તેલંગાણામાં 237 એક્ટિવ કેસ છે જ્યારે દિલ્હીમાં 209 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ લોકોને પણ અનેક સાવચેતી રાખવા અપીલ કરી છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.