કોરોના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં આટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-20 15:13:32

દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 6350 પર પહોંચી ગઈ છે.


છેલ્લા 24 કલાકમાં થયા 4 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોના અંત તરફ આગળ વધી રહ્યો છે. એકદમ ઓછા કેસ નોંધાતા હતા. કોરોના જાણે નાબુદ થઈ ગયો હોય તેવું લોકોને લાગતું હતું. કોરોનાના ઘટતા કેસને લઈ લોકો પણ એકદમ લાપરવાહ બની ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોના પગ પેસારો સમગ્ર દેશમાં કરી રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 4 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થઈ છે. રાજસ્થાનમાં બે લોકોના મોત થયા છે જ્યારે કેરળ અને કર્ણાટકમાં એક એક લોકોના મોત થયા છે.

 

કેન્દ્રએ રાજ્ય સરકારને સતર્ક રહેવા કરી અપીલ  

દેશમાં કોરોનાની સાથે સાથે H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  H3N2ના સંક્રમણમાં અનેક લોકો આવી રહ્યા છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસ તો બીજી તરફ H3N2ના કેસે ચિંતા વધારી છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કેરળમાં 1796 કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 1308 જેટલા એક્ટિવ છે. ગુજરાતમાં 740 જેટલા એક્ટિવ કેસોની સંખ્યા છે. તેલંગાણામાં 237 એક્ટિવ કેસ છે જ્યારે દિલ્હીમાં 209 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ લોકોને પણ અનેક સાવચેતી રાખવા અપીલ કરી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.