અદાણીને લોન આપનારી બેંકો પર તવાઈ, RBIએ ધીરાણની વિગતવાર જાણકારી માગી


  • Published By :
  • Published Date : 2023-02-02 14:00:20

અદાણી ગ્રુપના આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હિંડેનબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણીની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો છે. શેરબજારમાં અદાણી ગ્રૃપના શેરોનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો કે હવે અદાણીને લોન આપનારી બેંકો પર પણ તવાઈ બોલાઈ છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને ધીરાણ આપનારી બેંકોને લોનની વિગત અંગે જાણકારી માગી છે.  


સીટી ગ્રુપ અને ક્રેડિટ સુઈઝે  આપ્યો ઝટકો


સીટી ગ્રુપની વેલ્થ યુનિટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની આ મોટી બેંકે ગૌતમ અદાણીએ ગ્રુપની કંપનીઓની સિક્યુરીટીઝને લેવાનું બંધ કરી દીધું છે. સીટી ગ્રુપે એક ઈન્ટરનલ મેમામાં કહ્યું વર્તમાન સમયમાં અમે અદાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફાયનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલી નેગેટીવ બાબતો બાદ સ્ટોક અને બ્રાંડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. સીટી બેંકની જેમ જ ક્રેડિટ સુઈઝે અદાણી ગ્રુપે ઝટકો આપ્યો છે. ક્રેડિટ સુઈઝે પણ હિડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની સિક્યુરિટીને લેનાનું બંધ કરી દીધું છે.



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓનો. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.