અદાણીને લોન આપનારી બેંકો પર તવાઈ, RBIએ ધીરાણની વિગતવાર જાણકારી માગી


  • Published By :
  • Published Date : 2023-02-02 14:00:20

અદાણી ગ્રુપના આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હિંડેનબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણીની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો છે. શેરબજારમાં અદાણી ગ્રૃપના શેરોનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો કે હવે અદાણીને લોન આપનારી બેંકો પર પણ તવાઈ બોલાઈ છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને ધીરાણ આપનારી બેંકોને લોનની વિગત અંગે જાણકારી માગી છે.  


સીટી ગ્રુપ અને ક્રેડિટ સુઈઝે  આપ્યો ઝટકો


સીટી ગ્રુપની વેલ્થ યુનિટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની આ મોટી બેંકે ગૌતમ અદાણીએ ગ્રુપની કંપનીઓની સિક્યુરીટીઝને લેવાનું બંધ કરી દીધું છે. સીટી ગ્રુપે એક ઈન્ટરનલ મેમામાં કહ્યું વર્તમાન સમયમાં અમે અદાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફાયનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલી નેગેટીવ બાબતો બાદ સ્ટોક અને બ્રાંડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. સીટી બેંકની જેમ જ ક્રેડિટ સુઈઝે અદાણી ગ્રુપે ઝટકો આપ્યો છે. ક્રેડિટ સુઈઝે પણ હિડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની સિક્યુરિટીને લેનાનું બંધ કરી દીધું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.