અદાણીને લોન આપનારી બેંકો પર તવાઈ, RBIએ ધીરાણની વિગતવાર જાણકારી માગી


  • Published By :
  • Published Date : 2023-02-02 14:00:20

અદાણી ગ્રુપના આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હિંડેનબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણીની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો છે. શેરબજારમાં અદાણી ગ્રૃપના શેરોનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો કે હવે અદાણીને લોન આપનારી બેંકો પર પણ તવાઈ બોલાઈ છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને ધીરાણ આપનારી બેંકોને લોનની વિગત અંગે જાણકારી માગી છે.  


સીટી ગ્રુપ અને ક્રેડિટ સુઈઝે  આપ્યો ઝટકો


સીટી ગ્રુપની વેલ્થ યુનિટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની આ મોટી બેંકે ગૌતમ અદાણીએ ગ્રુપની કંપનીઓની સિક્યુરીટીઝને લેવાનું બંધ કરી દીધું છે. સીટી ગ્રુપે એક ઈન્ટરનલ મેમામાં કહ્યું વર્તમાન સમયમાં અમે અદાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફાયનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલી નેગેટીવ બાબતો બાદ સ્ટોક અને બ્રાંડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. સીટી બેંકની જેમ જ ક્રેડિટ સુઈઝે અદાણી ગ્રુપે ઝટકો આપ્યો છે. ક્રેડિટ સુઈઝે પણ હિડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની સિક્યુરિટીને લેનાનું બંધ કરી દીધું છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.