અદાણી કેસ: સુપ્રીમે SEBIને 3 મહિનાનો આપ્યો સમય, 14 ઓગસ્ટ સુધી રિપોર્ટ સોંપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-17 16:50:43

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માગ કરનારી અરજી પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ કેસની તપાસ માટે વધુ સમય માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધી એટલે આગામી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. 


સેબીએ માંગ્યો હતો 6 મહિનાનો સમય


અત્રે ઉલ્લેખનિય છે કે આ અદાણી કેસની તપાસનો રિપોર્ટ સોંપવા માટે સેબીએ કોર્ટ સમક્ષ 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ કેસ ખુબ જ જટિલ છે તેથી તેને વધુ સમય આપવામાં આવે. જો કે કોર્ટે 6 મહિનાના બદલે માત્ર ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે ત્રણ મહિનામાં જ વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ સોંપે.  


સેબીએ સુપ્રીમમાં શું કહ્યું?


સેબીએ સોમવારે કહ્યું કે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ 51 કંપનીઓનો હિસ્સો નહોતી. કોર્ટે  તેણે કહ્યું કે વર્ષ 2016થી ચાલી રહેલી તેમની તપાસમાં અદાણીની કંપનીઓનો સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. 88 પાનાના આ રિપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર એકાઉન્ટમાં હેરફેર, શેરોનું ઓવર પ્રાઈસિંગ, સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.