અદાણી કેસ: સુપ્રીમે SEBIને 3 મહિનાનો આપ્યો સમય, 14 ઓગસ્ટ સુધી રિપોર્ટ સોંપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-17 16:50:43

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માગ કરનારી અરજી પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ કેસની તપાસ માટે વધુ સમય માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધી એટલે આગામી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. 


સેબીએ માંગ્યો હતો 6 મહિનાનો સમય


અત્રે ઉલ્લેખનિય છે કે આ અદાણી કેસની તપાસનો રિપોર્ટ સોંપવા માટે સેબીએ કોર્ટ સમક્ષ 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ કેસ ખુબ જ જટિલ છે તેથી તેને વધુ સમય આપવામાં આવે. જો કે કોર્ટે 6 મહિનાના બદલે માત્ર ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે ત્રણ મહિનામાં જ વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ સોંપે.  


સેબીએ સુપ્રીમમાં શું કહ્યું?


સેબીએ સોમવારે કહ્યું કે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ 51 કંપનીઓનો હિસ્સો નહોતી. કોર્ટે  તેણે કહ્યું કે વર્ષ 2016થી ચાલી રહેલી તેમની તપાસમાં અદાણીની કંપનીઓનો સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. 88 પાનાના આ રિપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર એકાઉન્ટમાં હેરફેર, શેરોનું ઓવર પ્રાઈસિંગ, સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.