ભાજપના સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત, હનુમાન દાદાનું ઉદાહરણ આપી કાર્યકર્તાઓને કર્યા પ્રોત્સાહિત


  • Published By :
  • Published Date : 2023-04-06 16:07:06

ભારતીય જનતા પાર્ટીએ 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના મુખ્ય કાર્યાલય પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે, દરેક માટે કરે છે. પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની હતા જ્યારે ભ્રષ્ટાચાર,પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ છે.

 


જે.પી.નડ્ડાએ પીએમ મોદીના કર્યા વખાણ!

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી. પોતાના સંબોધનમાં તેમણે હનુમાન જયંતીને લઈ વાત કરી હતી. ઉપરાંત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની વાતો પણ કરી હતી. પીએમ મોદીએ સંબોધન કર્યું તે પહેલા જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવમાં પાર્ટીને કચ્છથી પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી કેરળ સુધી છાપ છોડ્યાની વાત કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે  હજી સુધી જે મહાન લોકોએ પાર્ટીને સંભાળી છે, સમૃદ્ધ અને સશક્ત કર્યું છે. એ કાર્યકર્તાઓ અને નેતાઓના ચરણોમાં હું વંદન કરું છું. 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને આપી આ સલાહ!

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભાજપને 21મી સદીના ભવિષ્યનો પક્ષ બનાવવો પડશે. વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો. લોકો પહેલેથી જ કહી રહ્યા છે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહી. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર તરીકે આપણે દરેક નાગરિકના દિલ જીતવાના છે. દરેક ચૂંટણી એ જ ખંતથી લડવાની હોય છે. 


હનુમાન દાદાને પોતાના સંબોધનમાં પીએમે કર્યા યાદ 

પોતાના સંબોધન દરમિયાન અનેક વખત પીએમ મોદીએ હનુમાન દાદાનું ઉદાહરણ લઈ અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું કે હનુમાનજીમાં અસીમ શક્તિ છ, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકા સમાપ્ત થઈ જાય. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. વાતો વાતોમાં તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે. દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. આ ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, કાયદો  અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન સંકલ્પબદ્ધ છે.          

         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.