મનીષ સિસોદિયા બાદ કરાશે તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાની પૂછપરછ, દિલ્હીના દારૂ કૌભાંડને લઈ અપાઈ છે નોટિસ


  • Published By :
  • Published Date : 2023-03-08 10:41:00

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સી દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભે જ સીએમના પુત્રી કવિતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 9 માર્ચે કવિતાની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં ઈડીએ કવિતાના નજીક ગણાતા અરૂણ આર પિલ્લઈની ધરપકડ કરી લીધી છે.

  

ઈડીએ કવિતાને પાઠવ્યું સમન્સ 

કથિત દારૂ કૌભાંડને લઈ કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનેક લોકોની પૂછપરછ તેમજ ધરપકડ કરવામાં આવી રહી છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. થોડા દિવસો પહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને 20 માર્ચ સુધી તેઓ કસ્ટડીમાં રહેશે. 


તપાસમાં સાઉથ ગ્રુપનું કનેક્શન આવ્યું હતું સામે!  

ઈડીએનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાનપરિષદના સભ્ય કે. કવિતા અન્ય લોકો સાથે મળી સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. દારૂ કૌભાંડની તપાસ દરમિયાન સાઉથ ગ્રુપનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમાંથી 100 કરોડ રુપિયા મળ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે સાઉથ ગ્રુપમાં કવિતા સામેલ છે જેમાં બીજા અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઈડી તરફથી કવિતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલાં જ અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આી છે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.