મનીષ સિસોદિયા બાદ કરાશે તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાની પૂછપરછ, દિલ્હીના દારૂ કૌભાંડને લઈ અપાઈ છે નોટિસ


  • Published By :
  • Published Date : 2023-03-08 10:41:00

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સી દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભે જ સીએમના પુત્રી કવિતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 9 માર્ચે કવિતાની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં ઈડીએ કવિતાના નજીક ગણાતા અરૂણ આર પિલ્લઈની ધરપકડ કરી લીધી છે.

  

ઈડીએ કવિતાને પાઠવ્યું સમન્સ 

કથિત દારૂ કૌભાંડને લઈ કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનેક લોકોની પૂછપરછ તેમજ ધરપકડ કરવામાં આવી રહી છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. થોડા દિવસો પહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને 20 માર્ચ સુધી તેઓ કસ્ટડીમાં રહેશે. 


તપાસમાં સાઉથ ગ્રુપનું કનેક્શન આવ્યું હતું સામે!  

ઈડીએનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાનપરિષદના સભ્ય કે. કવિતા અન્ય લોકો સાથે મળી સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. દારૂ કૌભાંડની તપાસ દરમિયાન સાઉથ ગ્રુપનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમાંથી 100 કરોડ રુપિયા મળ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે સાઉથ ગ્રુપમાં કવિતા સામેલ છે જેમાં બીજા અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઈડી તરફથી કવિતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલાં જ અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આી છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.