મનીષ સિસોદિયા બાદ કરાશે તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાની પૂછપરછ, દિલ્હીના દારૂ કૌભાંડને લઈ અપાઈ છે નોટિસ


  • Published By :
  • Published Date : 2023-03-08 10:41:00

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સી દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભે જ સીએમના પુત્રી કવિતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 9 માર્ચે કવિતાની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં ઈડીએ કવિતાના નજીક ગણાતા અરૂણ આર પિલ્લઈની ધરપકડ કરી લીધી છે.

  

ઈડીએ કવિતાને પાઠવ્યું સમન્સ 

કથિત દારૂ કૌભાંડને લઈ કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનેક લોકોની પૂછપરછ તેમજ ધરપકડ કરવામાં આવી રહી છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. થોડા દિવસો પહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને 20 માર્ચ સુધી તેઓ કસ્ટડીમાં રહેશે. 


તપાસમાં સાઉથ ગ્રુપનું કનેક્શન આવ્યું હતું સામે!  

ઈડીએનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાનપરિષદના સભ્ય કે. કવિતા અન્ય લોકો સાથે મળી સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. દારૂ કૌભાંડની તપાસ દરમિયાન સાઉથ ગ્રુપનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમાંથી 100 કરોડ રુપિયા મળ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે સાઉથ ગ્રુપમાં કવિતા સામેલ છે જેમાં બીજા અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઈડી તરફથી કવિતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલાં જ અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આી છે.       




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.