મનીષ સિસોદિયા બાદ કરાશે તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાની પૂછપરછ, દિલ્હીના દારૂ કૌભાંડને લઈ અપાઈ છે નોટિસ


  • Published By :
  • Published Date : 2023-03-08 10:41:00

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સી દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભે જ સીએમના પુત્રી કવિતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 9 માર્ચે કવિતાની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં ઈડીએ કવિતાના નજીક ગણાતા અરૂણ આર પિલ્લઈની ધરપકડ કરી લીધી છે.

  

ઈડીએ કવિતાને પાઠવ્યું સમન્સ 

કથિત દારૂ કૌભાંડને લઈ કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનેક લોકોની પૂછપરછ તેમજ ધરપકડ કરવામાં આવી રહી છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. થોડા દિવસો પહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને 20 માર્ચ સુધી તેઓ કસ્ટડીમાં રહેશે. 


તપાસમાં સાઉથ ગ્રુપનું કનેક્શન આવ્યું હતું સામે!  

ઈડીએનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાનપરિષદના સભ્ય કે. કવિતા અન્ય લોકો સાથે મળી સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. દારૂ કૌભાંડની તપાસ દરમિયાન સાઉથ ગ્રુપનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમાંથી 100 કરોડ રુપિયા મળ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે સાઉથ ગ્રુપમાં કવિતા સામેલ છે જેમાં બીજા અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઈડી તરફથી કવિતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલાં જ અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આી છે.       




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.