રામનવમીના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભડકેલી હિંસા બાદ પોલીસ એક્શન મોડમાં, અનેક લોકોની કરાઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-01 13:35:39

રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોથી હિંસાના સમાચાર સામે આવ્યા હતા. અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. ઉજવણી દરમિયાન પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારમાં હિંસા ફાટી નીકળી હતી. પરંતુ પરિસ્થિતિ હાલ કાબુમાં છે પરંતુ માહોલ હજી પણ ત્યાં તનાવપૂર્ણ છે. પોલીસના કાફલાને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહારના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી. ઉપરાંત અનેક લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

  


અનેક જગ્યાઓ પર હજી પણ તનાવપૂર્ણ વાતાવરણ

દેશમાં એક તરફ રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી તો દેશના અનેક રાજ્યો એવા હતા જ્યાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળમાં દંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, રામનવમીને પૂર્ણ થયે થોડા દિવસો વીતી ગયા છે પરંતુ હજી પણ આ જગ્યાઓ પર માહોલ શાંત નથી થયો. અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત પોલીસે કરી દીધી છે. અનેક લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

આ રાજ્યોમાં ભડકી હિંસા 

મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન હિસા ફાટી નીકળી હતી.પશ્ચિમ બંગાળના હાવજા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં શોભાયાત્રા દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. શુક્રવારે પણ અનેક પથ્થરમારો થયો હતો. મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તે સિવાય બિહારના નાલંદા જિલ્લામાં પણ હિંસા ભડકી ઉઠી હતી. ગોળીને કારણે 6 લોકોના મોત થયા હતા જ્યારે પથ્થરમારાને કારણે 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા બાદ લોકોને દુકાનમાં તોડફોડ કરી હતી. જે બાદ હિંસા બાદ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવી છે.


મહારાષ્ટ્રમાં પણ બગડ્યો હતો શાંતિપૂર્ણ માહોલ 

મહારાષ્ટ્રમાં પણ હિંસાની ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે મહારાષ્ટ્રના એક વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં  આવ્યો હતો. પથ્થરમારાને કારણે પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા હતા. હિંસાની આગ ઝારખંડમાં પણ ઉઠી હતી.મળતી માહિતી અનુસાર હલ્દીપોખરમાં મુસલિમ યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થિતિને કાબુમાં લેવામાં આવી છે. 


પોલીસે કરી અસામાજીક તત્વોની ધરપકડ!

ત્યારે આ રાજ્યોમાં થયેલી હિંસામાં જોડાયેલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકી રહેલા  અસામાજીક તત્વોની પોલીસ તપાસ કરી રહી છે. બંગાળ, બિહારના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નાલંદામાં 27 લોકોની સાસારામમાં 18 લોકોની તેમજ મહારાષ્ટ્રના સંભાજીનગરથી પોલીસે 10 લોકોની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત અનેક જગ્યાઓ પર ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.