એર ઈન્ડિયા એરબસ અને બોઈંગ પાસેથી ખરીદશે 500 વિમાન, આ ડીલને નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં ગણવામાં આવે છે સૌથી મોટી ડીલ


  • Published By :
  • Published Date : 2023-02-11 12:59:31

એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો નક્કી કર્યો છે. મળતી માહિતી અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. ટાટા સન્સની એર ઈન્ડિયાએ આ ડીલ એરબસ અને બોઈંગ સાથે કરી છે. આ ડીલને નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. 


આ પ્લેન માટે ફાઈનલ થયો સોદો  

આ અંગેની મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. જ્યારે બોઈંગ પાસેથી એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ અંગે હજી સુધી એર ઈન્ડિયા અથવા તો એરબસ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.     


શુક્રવારે યોજાઈ હતી બેઠક 

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ એરબસની સાથે આ ડીલને લઈ એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન ઉપરાંત એરબસના ચિફ કમર્શિયલ ઓફિસર હાજર રહ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાએ બોઈંગ સાથે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં 29 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી હતી.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.