એર ઈન્ડિયા એરબસ અને બોઈંગ પાસેથી ખરીદશે 500 વિમાન, આ ડીલને નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં ગણવામાં આવે છે સૌથી મોટી ડીલ


  • Published By :
  • Published Date : 2023-02-11 12:59:31

એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો નક્કી કર્યો છે. મળતી માહિતી અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. ટાટા સન્સની એર ઈન્ડિયાએ આ ડીલ એરબસ અને બોઈંગ સાથે કરી છે. આ ડીલને નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. 


આ પ્લેન માટે ફાઈનલ થયો સોદો  

આ અંગેની મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. જ્યારે બોઈંગ પાસેથી એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ અંગે હજી સુધી એર ઈન્ડિયા અથવા તો એરબસ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.     


શુક્રવારે યોજાઈ હતી બેઠક 

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ એરબસની સાથે આ ડીલને લઈ એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન ઉપરાંત એરબસના ચિફ કમર્શિયલ ઓફિસર હાજર રહ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાએ બોઈંગ સાથે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં 29 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી હતી.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.