એર ઈન્ડિયા એરબસ અને બોઈંગ પાસેથી ખરીદશે 500 વિમાન, આ ડીલને નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં ગણવામાં આવે છે સૌથી મોટી ડીલ


  • Published By :
  • Published Date : 2023-02-11 12:59:31

એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો નક્કી કર્યો છે. મળતી માહિતી અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. ટાટા સન્સની એર ઈન્ડિયાએ આ ડીલ એરબસ અને બોઈંગ સાથે કરી છે. આ ડીલને નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. 


આ પ્લેન માટે ફાઈનલ થયો સોદો  

આ અંગેની મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. જ્યારે બોઈંગ પાસેથી એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ અંગે હજી સુધી એર ઈન્ડિયા અથવા તો એરબસ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.     


શુક્રવારે યોજાઈ હતી બેઠક 

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ એરબસની સાથે આ ડીલને લઈ એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન ઉપરાંત એરબસના ચિફ કમર્શિયલ ઓફિસર હાજર રહ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાએ બોઈંગ સાથે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં 29 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી હતી.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.