એર ઈન્ડિયા એરબસ અને બોઈંગ પાસેથી ખરીદશે 500 વિમાન, આ ડીલને નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં ગણવામાં આવે છે સૌથી મોટી ડીલ


  • Published By :
  • Published Date : 2023-02-11 12:59:31

એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો નક્કી કર્યો છે. મળતી માહિતી અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. ટાટા સન્સની એર ઈન્ડિયાએ આ ડીલ એરબસ અને બોઈંગ સાથે કરી છે. આ ડીલને નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. 


આ પ્લેન માટે ફાઈનલ થયો સોદો  

આ અંગેની મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. જ્યારે બોઈંગ પાસેથી એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ અંગે હજી સુધી એર ઈન્ડિયા અથવા તો એરબસ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.     


શુક્રવારે યોજાઈ હતી બેઠક 

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ એરબસની સાથે આ ડીલને લઈ એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન ઉપરાંત એરબસના ચિફ કમર્શિયલ ઓફિસર હાજર રહ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાએ બોઈંગ સાથે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં 29 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી હતી.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.