BJPમાં જોડાવા મુદ્દે અજીત પવારે કર્યો ખુલસો, 'હું NCPમાં જ છું અને NCPમાં જ રહીશ'


  • Published By :
  • Published Date : 2023-04-18 16:51:35

મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCPના નેતા અજીત પવાર પાર્ટી સાથેનો છેડો ફાડી નાખે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આજે અજીત પવારે આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે તે એનસીપીમાં જ છે અને NCP સાથે જ જોડાયેલા રહેશે. NCP જે નક્કી કરશે હું ત્યાં જ રહીશ.


હું શરદ પવારનો વફાદાર


અજીત પવારે કહ્યું કે "આજે મને ધારાસભ્યો મળવા આવ્યા હતા. તેઓ રૂટીન કામ માટે આવ્યા હતા. તેનો કોઈ અલગ મતલબ કાઢશો નહીં. હું શરદ પવાર પ્રત્યો વફાદાર છું અને તે જે કહેશે તે જ હું કરીશ. જે મેસેજ અને અફવાહો ફેલાવવામાં આવે છે તે અમારા વિરૂધ્ધ ષડયંત્ર છે".


મોદીની પ્રસંશા કરી ફસાયા અજીત પવાર


અજીત પવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી, તેટલું જ નહીં તેમણે ઈવીએમ પર પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે તેમને એનડીએમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. તે ઉપરાંત તેમણે શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની પૂણેમાં યોજાયેલી રેલીમાં પણ સામેલ થયા નહોંતા. આ તમામ ઘટનાઓ બાદ તેમની બિજેપીમાં જોડાવાની વાત પાક્કી માનવામાં આવી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.