BJPમાં જોડાવા મુદ્દે અજીત પવારે કર્યો ખુલસો, 'હું NCPમાં જ છું અને NCPમાં જ રહીશ'


  • Published By :
  • Published Date : 2023-04-18 16:51:35

મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCPના નેતા અજીત પવાર પાર્ટી સાથેનો છેડો ફાડી નાખે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આજે અજીત પવારે આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે તે એનસીપીમાં જ છે અને NCP સાથે જ જોડાયેલા રહેશે. NCP જે નક્કી કરશે હું ત્યાં જ રહીશ.


હું શરદ પવારનો વફાદાર


અજીત પવારે કહ્યું કે "આજે મને ધારાસભ્યો મળવા આવ્યા હતા. તેઓ રૂટીન કામ માટે આવ્યા હતા. તેનો કોઈ અલગ મતલબ કાઢશો નહીં. હું શરદ પવાર પ્રત્યો વફાદાર છું અને તે જે કહેશે તે જ હું કરીશ. જે મેસેજ અને અફવાહો ફેલાવવામાં આવે છે તે અમારા વિરૂધ્ધ ષડયંત્ર છે".


મોદીની પ્રસંશા કરી ફસાયા અજીત પવાર


અજીત પવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી, તેટલું જ નહીં તેમણે ઈવીએમ પર પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે તેમને એનડીએમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. તે ઉપરાંત તેમણે શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની પૂણેમાં યોજાયેલી રેલીમાં પણ સામેલ થયા નહોંતા. આ તમામ ઘટનાઓ બાદ તેમની બિજેપીમાં જોડાવાની વાત પાક્કી માનવામાં આવી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.