આકાશવાણીએ બજેટને લઈ એવી પ્રતિક્રિયા આપી કે તે થઈ ગઈ વાયરલ, કર્મચારીથી ગલતીથી મિસ્ટેક થઈ ગઈ!!


  • Published By :
  • Published Date : 2023-02-02 10:21:19

બુધવારના રોજ નરેન્દ્ર મોદીની 2.0 સરકારે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અનેક ઓપીનિયન પોલ પર લોકોએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન આકાશવાણી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર ગયું. બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું.  


આકાશવાણીએ બજેટ પર આપી આવી પ્રતિક્રિયા!

ગઈ કાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. કોઈ લોકોએ આ બજેટને આવકાર્યો હતો તો કોઈએ બજેટને લઈ ટિકા કરી હતી. બજેટ પેશ થયા બાદ અનેક લોકોએ બજેટને લઈ ઓપીનિયન પોલ મૂક્યો હતો. અનેક ન્યુઝ એજન્સીએ લોકોના અભિપ્રાય માટે પોલ રાખ્યો હતો. ત્યારે બીબીસીએ અંતિમ પૂર્ણ બજેટને લઈ પોતાના યુઝર્સ પાસેથી રાય માગી હતી. આ સવાલ પર અનેક લોકોએ રિએક્શન આપ્યા હતા પરંતુ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રસાર ભારતી વાળી આકાશવાણી દ્વારા આપવામાં આવેલું રિએક્શન.  


રિએક્શન વાળી ટ્વિટ થઈ રહી છે વાયરલ 

બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવામાં આવ્યું હતું. આકાશવાણી, પ્રસાર ભારતી સૂચના એવું પ્રસારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારનું રિએક્શન આવતા આ ટ્વિટને ખુબ વાયરલ થઈ રહી છે. આ પ્રતિક્રિયા પર અનેક લોકોએ ટ્વિટ કરી હતી. આટલી મોટી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે કોઈ જાણકારી નથી મળી રહી પરંતુ એવું લાગી રહ્યું છે કે આકાશવાણીમાં કામ કરતા એક કર્મચારીએ ભૂલથી આ ટ્વિટ કરી દીધી હોવી જોઈએ.         





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.