આકાશવાણીએ બજેટને લઈ એવી પ્રતિક્રિયા આપી કે તે થઈ ગઈ વાયરલ, કર્મચારીથી ગલતીથી મિસ્ટેક થઈ ગઈ!!


  • Published By :
  • Published Date : 2023-02-02 10:21:19

બુધવારના રોજ નરેન્દ્ર મોદીની 2.0 સરકારે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અનેક ઓપીનિયન પોલ પર લોકોએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન આકાશવાણી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર ગયું. બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું.  


આકાશવાણીએ બજેટ પર આપી આવી પ્રતિક્રિયા!

ગઈ કાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. કોઈ લોકોએ આ બજેટને આવકાર્યો હતો તો કોઈએ બજેટને લઈ ટિકા કરી હતી. બજેટ પેશ થયા બાદ અનેક લોકોએ બજેટને લઈ ઓપીનિયન પોલ મૂક્યો હતો. અનેક ન્યુઝ એજન્સીએ લોકોના અભિપ્રાય માટે પોલ રાખ્યો હતો. ત્યારે બીબીસીએ અંતિમ પૂર્ણ બજેટને લઈ પોતાના યુઝર્સ પાસેથી રાય માગી હતી. આ સવાલ પર અનેક લોકોએ રિએક્શન આપ્યા હતા પરંતુ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રસાર ભારતી વાળી આકાશવાણી દ્વારા આપવામાં આવેલું રિએક્શન.  


રિએક્શન વાળી ટ્વિટ થઈ રહી છે વાયરલ 

બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવામાં આવ્યું હતું. આકાશવાણી, પ્રસાર ભારતી સૂચના એવું પ્રસારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારનું રિએક્શન આવતા આ ટ્વિટને ખુબ વાયરલ થઈ રહી છે. આ પ્રતિક્રિયા પર અનેક લોકોએ ટ્વિટ કરી હતી. આટલી મોટી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે કોઈ જાણકારી નથી મળી રહી પરંતુ એવું લાગી રહ્યું છે કે આકાશવાણીમાં કામ કરતા એક કર્મચારીએ ભૂલથી આ ટ્વિટ કરી દીધી હોવી જોઈએ.         





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.