આકાશવાણીએ બજેટને લઈ એવી પ્રતિક્રિયા આપી કે તે થઈ ગઈ વાયરલ, કર્મચારીથી ગલતીથી મિસ્ટેક થઈ ગઈ!!


  • Published By :
  • Published Date : 2023-02-02 10:21:19

બુધવારના રોજ નરેન્દ્ર મોદીની 2.0 સરકારે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અનેક ઓપીનિયન પોલ પર લોકોએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન આકાશવાણી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર ગયું. બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું.  


આકાશવાણીએ બજેટ પર આપી આવી પ્રતિક્રિયા!

ગઈ કાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. કોઈ લોકોએ આ બજેટને આવકાર્યો હતો તો કોઈએ બજેટને લઈ ટિકા કરી હતી. બજેટ પેશ થયા બાદ અનેક લોકોએ બજેટને લઈ ઓપીનિયન પોલ મૂક્યો હતો. અનેક ન્યુઝ એજન્સીએ લોકોના અભિપ્રાય માટે પોલ રાખ્યો હતો. ત્યારે બીબીસીએ અંતિમ પૂર્ણ બજેટને લઈ પોતાના યુઝર્સ પાસેથી રાય માગી હતી. આ સવાલ પર અનેક લોકોએ રિએક્શન આપ્યા હતા પરંતુ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રસાર ભારતી વાળી આકાશવાણી દ્વારા આપવામાં આવેલું રિએક્શન.  


રિએક્શન વાળી ટ્વિટ થઈ રહી છે વાયરલ 

બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવામાં આવ્યું હતું. આકાશવાણી, પ્રસાર ભારતી સૂચના એવું પ્રસારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારનું રિએક્શન આવતા આ ટ્વિટને ખુબ વાયરલ થઈ રહી છે. આ પ્રતિક્રિયા પર અનેક લોકોએ ટ્વિટ કરી હતી. આટલી મોટી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે કોઈ જાણકારી નથી મળી રહી પરંતુ એવું લાગી રહ્યું છે કે આકાશવાણીમાં કામ કરતા એક કર્મચારીએ ભૂલથી આ ટ્વિટ કરી દીધી હોવી જોઈએ.         





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.