અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા


  • Published By :
  • Published Date : 2023-04-10 16:28:48

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીત સિંહની દિલ્હી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય પપ્પલપ્રીત સિંહ 18 માર્ચથી ફરાર હતો. થોડા દિવસો પહેલા તે બંને એક વાયરલ ફોટોમાં સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે એક મોટા ઓપરેશન બાદ આ સફળતા મેળવી છે. 38 વર્ષીય પપલપ્રીત સિંહને અમૃતપાલ પોલીસની પકડમાંથી છટકી જવા પાછળનું ભેજું માનવામાં આવે છે. પપલપ્રીત પાકિસ્તાનની ISI સાથે ગાઢ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ મેળવતો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


પોલીસે શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન


અમૃતપાલ સિંહનો નજીકનો સાથી પપ્પલપ્રીત સિંહ કથિત રીતે એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. પપલપ્રીત સિંહ હોંશિયારપુરના તનૌલી ગામ પાસેના ડેરામાં જોવા મળ્યો હતો. જોકે આ ફૂટેજ 29 માર્ચના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના એક દિવસ બાદ પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગની ટીમે ફગવાડાથી ટોયોટા ઈનોવા વાહનનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત મુસાફરી કરી રહ્યા હતા. જે 'ડેરા'ના ફૂટેજ સામે આવ્યા છે તે એક ગામમાં સ્થિત છે, જે મરનિયા ગામથી માત્ર બે-ત્રણ કિમી દૂર છે. પોલીસે બંનેને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.


પંજાબ પોલીસ એલર્ટ મોડ પર


અમૃતપાલ સિંહના વૈશાખીની ઉજવણી દરમિયાન આત્મસમર્પણની અફવાઓ પહેલા પંજાબ પોલીસે સમગ્ર પંજાબમાં તેની તકેદારી વધારી છે. પપલપ્રીતની ધરપકડ પોલીસને અમૃતપાલ સિંહની નજીક લાવવામાં મદદ કરશે.પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે સોમવારે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જેને કાયદો ઈચ્છે પોલીસ તેને પકડી લેશે અને આવા લોકો કાયદાની સામે આત્મસમર્પણ કરી દે તો સારું રહેશે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.