અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા


  • Published By :
  • Published Date : 2023-04-10 16:28:48

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીત સિંહની દિલ્હી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય પપ્પલપ્રીત સિંહ 18 માર્ચથી ફરાર હતો. થોડા દિવસો પહેલા તે બંને એક વાયરલ ફોટોમાં સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે એક મોટા ઓપરેશન બાદ આ સફળતા મેળવી છે. 38 વર્ષીય પપલપ્રીત સિંહને અમૃતપાલ પોલીસની પકડમાંથી છટકી જવા પાછળનું ભેજું માનવામાં આવે છે. પપલપ્રીત પાકિસ્તાનની ISI સાથે ગાઢ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ મેળવતો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


પોલીસે શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન


અમૃતપાલ સિંહનો નજીકનો સાથી પપ્પલપ્રીત સિંહ કથિત રીતે એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. પપલપ્રીત સિંહ હોંશિયારપુરના તનૌલી ગામ પાસેના ડેરામાં જોવા મળ્યો હતો. જોકે આ ફૂટેજ 29 માર્ચના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના એક દિવસ બાદ પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગની ટીમે ફગવાડાથી ટોયોટા ઈનોવા વાહનનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત મુસાફરી કરી રહ્યા હતા. જે 'ડેરા'ના ફૂટેજ સામે આવ્યા છે તે એક ગામમાં સ્થિત છે, જે મરનિયા ગામથી માત્ર બે-ત્રણ કિમી દૂર છે. પોલીસે બંનેને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.


પંજાબ પોલીસ એલર્ટ મોડ પર


અમૃતપાલ સિંહના વૈશાખીની ઉજવણી દરમિયાન આત્મસમર્પણની અફવાઓ પહેલા પંજાબ પોલીસે સમગ્ર પંજાબમાં તેની તકેદારી વધારી છે. પપલપ્રીતની ધરપકડ પોલીસને અમૃતપાલ સિંહની નજીક લાવવામાં મદદ કરશે.પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે સોમવારે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જેને કાયદો ઈચ્છે પોલીસ તેને પકડી લેશે અને આવા લોકો કાયદાની સામે આત્મસમર્પણ કરી દે તો સારું રહેશે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...