અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા


  • Published By :
  • Published Date : 2023-04-10 16:28:48

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીત સિંહની દિલ્હી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય પપ્પલપ્રીત સિંહ 18 માર્ચથી ફરાર હતો. થોડા દિવસો પહેલા તે બંને એક વાયરલ ફોટોમાં સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે એક મોટા ઓપરેશન બાદ આ સફળતા મેળવી છે. 38 વર્ષીય પપલપ્રીત સિંહને અમૃતપાલ પોલીસની પકડમાંથી છટકી જવા પાછળનું ભેજું માનવામાં આવે છે. પપલપ્રીત પાકિસ્તાનની ISI સાથે ગાઢ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ મેળવતો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


પોલીસે શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન


અમૃતપાલ સિંહનો નજીકનો સાથી પપ્પલપ્રીત સિંહ કથિત રીતે એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. પપલપ્રીત સિંહ હોંશિયારપુરના તનૌલી ગામ પાસેના ડેરામાં જોવા મળ્યો હતો. જોકે આ ફૂટેજ 29 માર્ચના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના એક દિવસ બાદ પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગની ટીમે ફગવાડાથી ટોયોટા ઈનોવા વાહનનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત મુસાફરી કરી રહ્યા હતા. જે 'ડેરા'ના ફૂટેજ સામે આવ્યા છે તે એક ગામમાં સ્થિત છે, જે મરનિયા ગામથી માત્ર બે-ત્રણ કિમી દૂર છે. પોલીસે બંનેને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.


પંજાબ પોલીસ એલર્ટ મોડ પર


અમૃતપાલ સિંહના વૈશાખીની ઉજવણી દરમિયાન આત્મસમર્પણની અફવાઓ પહેલા પંજાબ પોલીસે સમગ્ર પંજાબમાં તેની તકેદારી વધારી છે. પપલપ્રીતની ધરપકડ પોલીસને અમૃતપાલ સિંહની નજીક લાવવામાં મદદ કરશે.પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે સોમવારે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જેને કાયદો ઈચ્છે પોલીસ તેને પકડી લેશે અને આવા લોકો કાયદાની સામે આત્મસમર્પણ કરી દે તો સારું રહેશે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.