દિલ્હીમાં પણ બની તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે લાગી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-06-15 15:32:39

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે ઉતરવા માટે નાસભાગ કરતા દેખાયા હતા. ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ દેખાયા હતા.


શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન!

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વસ્તુઓને પણ મોટા પાયે નુકસાની પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં પણ આવો અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ આ કેસમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. બત્રા સિનેમા પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 


બારીમાંથી કૂદવા છોકરાઓ મજબૂર!

સોશિયલ મીડિયા પર બાળકોને રેસ્ક્યુ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ પર કાબુ મેળવવા 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બારી પર લટકી રહ્યા છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ફાયર એક્ઝિટ ન હતી જેને કારણે વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદવા મજબૂર બન્યા.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.