દિલ્હીમાં પણ બની તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે લાગી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-06-15 15:32:39

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે ઉતરવા માટે નાસભાગ કરતા દેખાયા હતા. ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ દેખાયા હતા.


શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન!

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વસ્તુઓને પણ મોટા પાયે નુકસાની પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં પણ આવો અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ આ કેસમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. બત્રા સિનેમા પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 


બારીમાંથી કૂદવા છોકરાઓ મજબૂર!

સોશિયલ મીડિયા પર બાળકોને રેસ્ક્યુ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ પર કાબુ મેળવવા 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બારી પર લટકી રહ્યા છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ફાયર એક્ઝિટ ન હતી જેને કારણે વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદવા મજબૂર બન્યા.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.