દિલ્હીમાં પણ બની તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે લાગી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-06-15 15:32:39

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે ઉતરવા માટે નાસભાગ કરતા દેખાયા હતા. ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ દેખાયા હતા.


શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન!

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વસ્તુઓને પણ મોટા પાયે નુકસાની પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં પણ આવો અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ આ કેસમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. બત્રા સિનેમા પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 


બારીમાંથી કૂદવા છોકરાઓ મજબૂર!

સોશિયલ મીડિયા પર બાળકોને રેસ્ક્યુ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ પર કાબુ મેળવવા 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બારી પર લટકી રહ્યા છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ફાયર એક્ઝિટ ન હતી જેને કારણે વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદવા મજબૂર બન્યા.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.