આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કર્યું સંબોધન,પોતાના સંબોધનમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2023-04-11 16:58:00

નેશનલ પાર્ટી તરીકેનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળી ગયો છે. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આ અંગેની જાહેરાત કરાતા આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટીથી દેશને નવી દિશા મળી છે.


રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આપમાં આનંદ છવાયો  

ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ અનેક પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો હતો, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), તૃણુમુલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજકીય દરજ્જો આપવામાં આવ્યો છે. પાર્ટીને દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આનંદ છવાઈ ગયો હતો. ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. 


અરવિંદ કેજરીવાલે દેશવાસિઓનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટી બનવું બહુ મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું  જ્યારે વિચારું છું તો લાગે છે કે અમારી કોઈ ઓકાત ન હતી. પરંતુ અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મતલબ ભગવાન અમારી પાસેથી કઈ કરાવા માગે છે.આલોચના કરનારનો પણ આભાર માન્યો હતો. 

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ 

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મનીષ સિસોદિયાની વાત કરતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાનો શું વાંક છે? તેમનો કસુર એટલો હતો કે તે ગરીબ છોકરાના સપનાઓને પાંખો આપી હતી. સત્યેન્દ્ર જૈને બધાની સારવાર મફત કરી હતી. રાષ્ટ્ર વિરોધી તાકતોએ બંનેને જેલમાં નાખી દીધા છે. બંને નેતાઓ ભગતસિંહના શિષ્યો છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.