આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કર્યું સંબોધન,પોતાના સંબોધનમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2023-04-11 16:58:00

નેશનલ પાર્ટી તરીકેનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળી ગયો છે. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આ અંગેની જાહેરાત કરાતા આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટીથી દેશને નવી દિશા મળી છે.


રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આપમાં આનંદ છવાયો  

ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ અનેક પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો હતો, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), તૃણુમુલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજકીય દરજ્જો આપવામાં આવ્યો છે. પાર્ટીને દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આનંદ છવાઈ ગયો હતો. ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. 


અરવિંદ કેજરીવાલે દેશવાસિઓનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટી બનવું બહુ મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું  જ્યારે વિચારું છું તો લાગે છે કે અમારી કોઈ ઓકાત ન હતી. પરંતુ અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મતલબ ભગવાન અમારી પાસેથી કઈ કરાવા માગે છે.આલોચના કરનારનો પણ આભાર માન્યો હતો. 

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ 

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મનીષ સિસોદિયાની વાત કરતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાનો શું વાંક છે? તેમનો કસુર એટલો હતો કે તે ગરીબ છોકરાના સપનાઓને પાંખો આપી હતી. સત્યેન્દ્ર જૈને બધાની સારવાર મફત કરી હતી. રાષ્ટ્ર વિરોધી તાકતોએ બંનેને જેલમાં નાખી દીધા છે. બંને નેતાઓ ભગતસિંહના શિષ્યો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.