આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કર્યું સંબોધન,પોતાના સંબોધનમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2023-04-11 16:58:00

નેશનલ પાર્ટી તરીકેનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળી ગયો છે. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આ અંગેની જાહેરાત કરાતા આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટીથી દેશને નવી દિશા મળી છે.


રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આપમાં આનંદ છવાયો  

ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ અનેક પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો હતો, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), તૃણુમુલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજકીય દરજ્જો આપવામાં આવ્યો છે. પાર્ટીને દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આનંદ છવાઈ ગયો હતો. ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. 


અરવિંદ કેજરીવાલે દેશવાસિઓનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટી બનવું બહુ મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું  જ્યારે વિચારું છું તો લાગે છે કે અમારી કોઈ ઓકાત ન હતી. પરંતુ અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મતલબ ભગવાન અમારી પાસેથી કઈ કરાવા માગે છે.આલોચના કરનારનો પણ આભાર માન્યો હતો. 

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ 

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મનીષ સિસોદિયાની વાત કરતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાનો શું વાંક છે? તેમનો કસુર એટલો હતો કે તે ગરીબ છોકરાના સપનાઓને પાંખો આપી હતી. સત્યેન્દ્ર જૈને બધાની સારવાર મફત કરી હતી. રાષ્ટ્ર વિરોધી તાકતોએ બંનેને જેલમાં નાખી દીધા છે. બંને નેતાઓ ભગતસિંહના શિષ્યો છે.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.