અતીક અને અશરફની હત્યા મામલે સુપ્રીમે UP સરકારની ઝાટકણી કાઢી, અસદના પોલીસ એન્કાઉન્ટર પર પણ રિપોર્ટ માંગ્યો


  • Published By :
  • Published Date : 2023-04-28 14:42:37

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માગ સાથે સંબંધિત એક અરજી અંગે સુપ્રીમ કોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરશે.અરજીમાં પોલીસની હાજરીમાં અતિક-અશરફની હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યા આકરા સવાલ


આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે માફિયા બંધુઓ અતીક અને અશરફને લઈ જતા વાહનને સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવી? તેના પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે તેઓએ આ મામલાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરી છે. મુકુલ રોહતગી ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને કારમાં સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરવામાં આવી હતી?


યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ઝાંસીમાં અહેમદના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટર પર યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અસદને 13 એપ્રિલના રોજ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ST) ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયાકર્મી તરીકે આવેલા ત્રણ માણસોએ ગોળી મારી દીધી હતી.


સુપ્રીમ કોર્ટમાં થઈ છે અરજીઓ


પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર અને સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ વિશાલ તિવારીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાની સીબીઆઈ તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી. અમિતાભ ઠાકુરે અરજીમાં કહ્યું હતું કે ભલે અતીક અહેમદ અને તેનો ભાઈ ગુનેગાર હોય પરંતું જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે તે ઘટના  રાજ્ય પોષિત હોવાની પૂરતી સંભાવના દર્શાવે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.