અતીક અને અશરફની હત્યા મામલે સુપ્રીમે UP સરકારની ઝાટકણી કાઢી, અસદના પોલીસ એન્કાઉન્ટર પર પણ રિપોર્ટ માંગ્યો


  • Published By :
  • Published Date : 2023-04-28 14:42:37

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માગ સાથે સંબંધિત એક અરજી અંગે સુપ્રીમ કોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરશે.અરજીમાં પોલીસની હાજરીમાં અતિક-અશરફની હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યા આકરા સવાલ


આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે માફિયા બંધુઓ અતીક અને અશરફને લઈ જતા વાહનને સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવી? તેના પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે તેઓએ આ મામલાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરી છે. મુકુલ રોહતગી ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને કારમાં સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરવામાં આવી હતી?


યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ઝાંસીમાં અહેમદના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટર પર યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અસદને 13 એપ્રિલના રોજ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ST) ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયાકર્મી તરીકે આવેલા ત્રણ માણસોએ ગોળી મારી દીધી હતી.


સુપ્રીમ કોર્ટમાં થઈ છે અરજીઓ


પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર અને સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ વિશાલ તિવારીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાની સીબીઆઈ તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી. અમિતાભ ઠાકુરે અરજીમાં કહ્યું હતું કે ભલે અતીક અહેમદ અને તેનો ભાઈ ગુનેગાર હોય પરંતું જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે તે ઘટના  રાજ્ય પોષિત હોવાની પૂરતી સંભાવના દર્શાવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.