અયોધ્યામાં આ દિવસે મંદિરમાં થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને અપાયું આમંત્રણ, 7 દિવસ સુધી ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-13 16:32:09

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અહીં ભોંય તળીયાનું કામ પૂરૂ થઈ ગયું છે. ત્રણ માળના રામમંદિરના નિર્માણ માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરમાં રામલલાની મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા આપવામાં આવશે. અયોધ્યામાં મકર સંક્રાતિં બાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા બિરાજમાનની પૂજાને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અત્યારથી જ તૈયારીઓ થઈ ચુકી છે.


સમગ્ર દેશમાં થશે ભવ્ય આયોજન


રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં મનાવામાં આવશે. અયોધ્યા ઉપરાંત દેશભરના તમામ મંદિરોને સણગારવામાં આવશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ ભાગોમાં બતાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 7 દિવસ સુધી ચાલશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.