અયોધ્યામાં આ દિવસે મંદિરમાં થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને અપાયું આમંત્રણ, 7 દિવસ સુધી ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-13 16:32:09

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અહીં ભોંય તળીયાનું કામ પૂરૂ થઈ ગયું છે. ત્રણ માળના રામમંદિરના નિર્માણ માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરમાં રામલલાની મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા આપવામાં આવશે. અયોધ્યામાં મકર સંક્રાતિં બાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા બિરાજમાનની પૂજાને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અત્યારથી જ તૈયારીઓ થઈ ચુકી છે.


સમગ્ર દેશમાં થશે ભવ્ય આયોજન


રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં મનાવામાં આવશે. અયોધ્યા ઉપરાંત દેશભરના તમામ મંદિરોને સણગારવામાં આવશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ ભાગોમાં બતાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 7 દિવસ સુધી ચાલશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.