અયોધ્યામાં આ દિવસે મંદિરમાં થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને અપાયું આમંત્રણ, 7 દિવસ સુધી ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-13 16:32:09

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અહીં ભોંય તળીયાનું કામ પૂરૂ થઈ ગયું છે. ત્રણ માળના રામમંદિરના નિર્માણ માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરમાં રામલલાની મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા આપવામાં આવશે. અયોધ્યામાં મકર સંક્રાતિં બાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા બિરાજમાનની પૂજાને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અત્યારથી જ તૈયારીઓ થઈ ચુકી છે.


સમગ્ર દેશમાં થશે ભવ્ય આયોજન


રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં મનાવામાં આવશે. અયોધ્યા ઉપરાંત દેશભરના તમામ મંદિરોને સણગારવામાં આવશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ ભાગોમાં બતાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 7 દિવસ સુધી ચાલશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.