અયોધ્યામાં આ તારીખે રામલલ્લાની મંદિરના ગર્ભગૃહમાં થશે પ્રાણ-પ્રતિષ્ઠા, મંદિર ટ્રસ્ટના મહાસચિવે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-28 16:12:35

ભારત જ નહીં પણ દુનિયાભરના રામ ભક્તો અરોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે આજે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તારીખની જાહેરાત કરી દીધી છે. ચંપત રાયે જણાવ્યું કે 22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. 


લાંબી ચર્ચા-વિચારણા અંતે તારીખ જાહેર


શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ પર વિચાર-વિમર્સ કરવામાં આવ્યો હતો. અંતમાં 22 જાન્યુઆરી પર રામલલ્લા અંતે મોહર લગાવવામાં આવી હતી. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે.  પ્રાણ-પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગર્ભગૃહનું નિર્માણ ઓક્ટોબર સુધી પુરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા તૈયાર કરવા માટે નેપાળથી ખાસ શાલિગ્રામ શિલા મંગાવવામાં આવી છે. શાલિગ્રામ શિલા કંડારવાનું કામ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.