ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને લઈ બાબા રામદેવે આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું નમાઝ પઢો પછી જે મનમાં આવે તે કરો


  • Published By :
  • Published Date : 2023-02-03 08:54:48

પોતાના નિવેદનને લઈ યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.  ગુરુવારે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ઈસલામ અને ઈસાઈ ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરતી હતી. બાડમેરમાં એક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા પહોંચેલા બાબાએ કહ્યું કે ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. ઈસ્લામનો અર્થ ફક્ત નમાઢ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. તે સિવાય ખ્રિસ્તી ધર્મને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા.    


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપ્યું વિવાદીત નિવેદન     

થોડા સમય પહેલા બાગેશ્વર ધામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં હતા ત્યારે ફરી એક વખત મુસલમાનો તેમજ ઈસાઈ ધર્મને લઈ આપેલા નિવેદનને લઈ તેઓ સુર્ખિયોમાં આવી ગયા છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપૂરી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી જ્યાં તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. 


ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢ્વાનો - બાબા રામદેવ 

ઈસ્લામ અને મુસલમાનોને લઈ નિવેદન આપતા કહ્યું કે ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. તેમણે કહ્યું ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાજ પઢ્યા બાદ જે મને ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. 


મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે - બાબા રામદેવ 

તે સિવાય ખ્રિસ્તી ધર્મ પર પણ બાબાએ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિંદુઓના ધર્મમાં આવું કંઈ નથી થતું. કુરાન અથવા બાઈબલમાં આવું લખ્યું નથી. પણ આવી વાતો કહેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે જન્નતમાં દારૂ મળશે તો આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલાવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. 


ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે - બાબા રામદેવ 

નિવેદન આપ્યા બાદ પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા પણ આપી. જેમાં તેમણે કહ્યું કે હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે તો કોઈ કહે છે કે આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જે કે વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી , પણ હિંદુ ધર્મ સનાતન ધર્મ આવો નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં ઉંઘવાથી લઈને રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ. ધ્યાન અને સેવા કરો. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે બાકી જાતીઓ આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવી છે. 

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.