ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને લઈ બાબા રામદેવે આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું નમાઝ પઢો પછી જે મનમાં આવે તે કરો


  • Published By :
  • Published Date : 2023-02-03 08:54:48

પોતાના નિવેદનને લઈ યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.  ગુરુવારે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ઈસલામ અને ઈસાઈ ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરતી હતી. બાડમેરમાં એક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા પહોંચેલા બાબાએ કહ્યું કે ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. ઈસ્લામનો અર્થ ફક્ત નમાઢ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. તે સિવાય ખ્રિસ્તી ધર્મને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા.    


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપ્યું વિવાદીત નિવેદન     

થોડા સમય પહેલા બાગેશ્વર ધામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં હતા ત્યારે ફરી એક વખત મુસલમાનો તેમજ ઈસાઈ ધર્મને લઈ આપેલા નિવેદનને લઈ તેઓ સુર્ખિયોમાં આવી ગયા છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપૂરી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી જ્યાં તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. 


ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢ્વાનો - બાબા રામદેવ 

ઈસ્લામ અને મુસલમાનોને લઈ નિવેદન આપતા કહ્યું કે ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. તેમણે કહ્યું ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાજ પઢ્યા બાદ જે મને ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. 


મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે - બાબા રામદેવ 

તે સિવાય ખ્રિસ્તી ધર્મ પર પણ બાબાએ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિંદુઓના ધર્મમાં આવું કંઈ નથી થતું. કુરાન અથવા બાઈબલમાં આવું લખ્યું નથી. પણ આવી વાતો કહેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે જન્નતમાં દારૂ મળશે તો આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલાવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. 


ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે - બાબા રામદેવ 

નિવેદન આપ્યા બાદ પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા પણ આપી. જેમાં તેમણે કહ્યું કે હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે તો કોઈ કહે છે કે આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જે કે વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી , પણ હિંદુ ધર્મ સનાતન ધર્મ આવો નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં ઉંઘવાથી લઈને રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ. ધ્યાન અને સેવા કરો. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે બાકી જાતીઓ આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવી છે. 

 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.