ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને લઈ બાબા રામદેવે આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું નમાઝ પઢો પછી જે મનમાં આવે તે કરો


  • Published By :
  • Published Date : 2023-02-03 08:54:48

પોતાના નિવેદનને લઈ યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.  ગુરુવારે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ઈસલામ અને ઈસાઈ ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરતી હતી. બાડમેરમાં એક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા પહોંચેલા બાબાએ કહ્યું કે ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. ઈસ્લામનો અર્થ ફક્ત નમાઢ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. તે સિવાય ખ્રિસ્તી ધર્મને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા.    


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપ્યું વિવાદીત નિવેદન     

થોડા સમય પહેલા બાગેશ્વર ધામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં હતા ત્યારે ફરી એક વખત મુસલમાનો તેમજ ઈસાઈ ધર્મને લઈ આપેલા નિવેદનને લઈ તેઓ સુર્ખિયોમાં આવી ગયા છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપૂરી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી જ્યાં તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. 


ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢ્વાનો - બાબા રામદેવ 

ઈસ્લામ અને મુસલમાનોને લઈ નિવેદન આપતા કહ્યું કે ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. તેમણે કહ્યું ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાજ પઢ્યા બાદ જે મને ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. 


મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે - બાબા રામદેવ 

તે સિવાય ખ્રિસ્તી ધર્મ પર પણ બાબાએ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિંદુઓના ધર્મમાં આવું કંઈ નથી થતું. કુરાન અથવા બાઈબલમાં આવું લખ્યું નથી. પણ આવી વાતો કહેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે જન્નતમાં દારૂ મળશે તો આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલાવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. 


ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે - બાબા રામદેવ 

નિવેદન આપ્યા બાદ પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા પણ આપી. જેમાં તેમણે કહ્યું કે હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે તો કોઈ કહે છે કે આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જે કે વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી , પણ હિંદુ ધર્મ સનાતન ધર્મ આવો નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં ઉંઘવાથી લઈને રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ. ધ્યાન અને સેવા કરો. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે બાકી જાતીઓ આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવી છે. 

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.