કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર! આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી હિટવેવ અને લૂની આગાહી, રાજ્યોનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રીને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-14 08:41:47

દેશના અનેક રાજ્યો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાનો અહેસાસ અનેક રાજ્યોમાં થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણે મીજાજ બદલ્યો છે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ. આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બિહારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસ હિટવેવનો અનુભવ લોકોને થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં લૂની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂકા પવનને કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ શકે છે.

   


આ રાજ્યોમાં માટે હવામાન વિભાગે કરી છે આગાહી! 

આ વર્ષની ગરમી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વરસી શકે છે. ત્યારે ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી અને લૂની આગાહી અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. અનુમાન અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહારમાં આગામી ત્રણ ચાર દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ રાજ્યો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 


અમદાવાદ માટે પણ યેલો એલર્ટ કરાયું છે જાહેર!  

ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય થતાં રાજ્યના અનેક ભાગો માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 15 તારીખ સુધી અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.