કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર! આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી હિટવેવ અને લૂની આગાહી, રાજ્યોનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રીને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-14 08:41:47

દેશના અનેક રાજ્યો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાનો અહેસાસ અનેક રાજ્યોમાં થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણે મીજાજ બદલ્યો છે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ. આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બિહારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસ હિટવેવનો અનુભવ લોકોને થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં લૂની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂકા પવનને કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ શકે છે.

   


આ રાજ્યોમાં માટે હવામાન વિભાગે કરી છે આગાહી! 

આ વર્ષની ગરમી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વરસી શકે છે. ત્યારે ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી અને લૂની આગાહી અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. અનુમાન અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહારમાં આગામી ત્રણ ચાર દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ રાજ્યો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 


અમદાવાદ માટે પણ યેલો એલર્ટ કરાયું છે જાહેર!  

ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય થતાં રાજ્યના અનેક ભાગો માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 15 તારીખ સુધી અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.