કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર! આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી હિટવેવ અને લૂની આગાહી, રાજ્યોનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રીને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-14 08:41:47

દેશના અનેક રાજ્યો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાનો અહેસાસ અનેક રાજ્યોમાં થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણે મીજાજ બદલ્યો છે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ. આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બિહારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસ હિટવેવનો અનુભવ લોકોને થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં લૂની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂકા પવનને કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ શકે છે.

   


આ રાજ્યોમાં માટે હવામાન વિભાગે કરી છે આગાહી! 

આ વર્ષની ગરમી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વરસી શકે છે. ત્યારે ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી અને લૂની આગાહી અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. અનુમાન અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહારમાં આગામી ત્રણ ચાર દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ રાજ્યો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 


અમદાવાદ માટે પણ યેલો એલર્ટ કરાયું છે જાહેર!  

ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય થતાં રાજ્યના અનેક ભાગો માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 15 તારીખ સુધી અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.