કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર! આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી હિટવેવ અને લૂની આગાહી, રાજ્યોનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રીને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-14 08:41:47

દેશના અનેક રાજ્યો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાનો અહેસાસ અનેક રાજ્યોમાં થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણે મીજાજ બદલ્યો છે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ. આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બિહારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસ હિટવેવનો અનુભવ લોકોને થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં લૂની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂકા પવનને કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ શકે છે.

   


આ રાજ્યોમાં માટે હવામાન વિભાગે કરી છે આગાહી! 

આ વર્ષની ગરમી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વરસી શકે છે. ત્યારે ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી અને લૂની આગાહી અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. અનુમાન અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહારમાં આગામી ત્રણ ચાર દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ રાજ્યો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 


અમદાવાદ માટે પણ યેલો એલર્ટ કરાયું છે જાહેર!  

ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય થતાં રાજ્યના અનેક ભાગો માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 15 તારીખ સુધી અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.