બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે કરી વાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-31 12:10:34

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદમાં બંને ગૃહોના સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. ખુબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે.


રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલીવાર સંબોધન કરશે - પીએમ મોદી 

બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પીએમએ જણાવ્યું કે ભારત પહેલા,નાગરિક પહેલાની વિચારધારા સાથે આગળ  વધવું જોઈએ. અમને ઉમ્મીદ છે કે વિપક્ષી નેતા સંસદમાં આ જ વિચાર સાથે આવે. આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. રાષ્ટ્રપતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે વર્તમાન રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલી વાર સંબોધન કરવાના છે જે ગૌરવની વાત છે. આજે નારી સમ્માનનો પણ અવસર છે.

     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.