અમૂલ ઉત્પાદનોનો બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કર્યો બહિષ્કાર, BBHAના પ્રમુખે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 15:52:51

કર્ણાટકના દૂધ ઉત્પાદક ખેડૂતોને ટેકો આપતા, બ્રુહત બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) એ અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની નંદિની ડેરીના ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુના બજારમાં દૂધ અને દહીં રજૂ કરવાના ગુજરાત સ્થિત અમૂલના નિર્ણયને લઈ વિવાદ વધેલા આ પગલું લેવામાં આવ્યો છે.


કર્ણાટકના ખેડૂતોને BBHAનું સમર્થન


BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે બેંગલુરુની હોટલો દરરોજ લગભગ 4 લાખ લિટર દૂધ અને લગભગ 40,000-50,000 લિટર દહીંનો ઉપયોગ કરી રહી છે. રાવે વધુમાં કહ્યું કે "KMFને દૂધ સપ્લાય કરતી ઘણી મહિલા ખેડૂતો છે. માત્ર હોટેલીયર્સ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આપણા કર્ણાટકના ખેડૂતો અને મહિલા ખેડૂતોને ટેકો આપવા માટે એક સામાજિક ફરજ તરીકે નંદિનીને ટેકો આપવો જોઈએ" 

 

BBHA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "આપણે કર્ણાટકનું ગૌરવ એવા નંદિની દૂધને સમર્થન આપવું જોઈએ. નંદિની દૂધએ ટેસ્ટી કોફી અને નાસ્તાની કરોડરજ્જુ છે. કર્ણાટકમાં અન્ય રાજ્યમાંથી દૂધ આવવાના સમાચાર છે. નંદિની દૂધને ટેકો આપવો એ આપણી જવાબદારી છે" 


નંદિની તુલનામાં અમૂલ દુધ મોઘું


અમૂલ દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54 છે, જ્યારે નંદિની ઓરેન્જ મિલ્ક રૂ. 43માં વેચાય છે. હોટેલીયર્સ નંદિનીને માત્ર રૂ. 11ના સ્પષ્ટ લાભને કારણે જ નહીં, પરંતુ તેઓ કર્ણાટકના ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહી રહ્યા છે. રાવે કહ્યું, "અમૂલ વિવાદ વકર્યો તે પહેલાથી જ અમે નંદિનીનો ઉપયોગ કરતા હતા. અને અમે અમારા ખેડૂતો અને KMFને સમર્થન આપવા માટે નંદિનીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.