અમૂલ ઉત્પાદનોનો બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કર્યો બહિષ્કાર, BBHAના પ્રમુખે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 15:52:51

કર્ણાટકના દૂધ ઉત્પાદક ખેડૂતોને ટેકો આપતા, બ્રુહત બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) એ અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની નંદિની ડેરીના ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુના બજારમાં દૂધ અને દહીં રજૂ કરવાના ગુજરાત સ્થિત અમૂલના નિર્ણયને લઈ વિવાદ વધેલા આ પગલું લેવામાં આવ્યો છે.


કર્ણાટકના ખેડૂતોને BBHAનું સમર્થન


BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે બેંગલુરુની હોટલો દરરોજ લગભગ 4 લાખ લિટર દૂધ અને લગભગ 40,000-50,000 લિટર દહીંનો ઉપયોગ કરી રહી છે. રાવે વધુમાં કહ્યું કે "KMFને દૂધ સપ્લાય કરતી ઘણી મહિલા ખેડૂતો છે. માત્ર હોટેલીયર્સ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આપણા કર્ણાટકના ખેડૂતો અને મહિલા ખેડૂતોને ટેકો આપવા માટે એક સામાજિક ફરજ તરીકે નંદિનીને ટેકો આપવો જોઈએ" 

 

BBHA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "આપણે કર્ણાટકનું ગૌરવ એવા નંદિની દૂધને સમર્થન આપવું જોઈએ. નંદિની દૂધએ ટેસ્ટી કોફી અને નાસ્તાની કરોડરજ્જુ છે. કર્ણાટકમાં અન્ય રાજ્યમાંથી દૂધ આવવાના સમાચાર છે. નંદિની દૂધને ટેકો આપવો એ આપણી જવાબદારી છે" 


નંદિની તુલનામાં અમૂલ દુધ મોઘું


અમૂલ દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54 છે, જ્યારે નંદિની ઓરેન્જ મિલ્ક રૂ. 43માં વેચાય છે. હોટેલીયર્સ નંદિનીને માત્ર રૂ. 11ના સ્પષ્ટ લાભને કારણે જ નહીં, પરંતુ તેઓ કર્ણાટકના ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહી રહ્યા છે. રાવે કહ્યું, "અમૂલ વિવાદ વકર્યો તે પહેલાથી જ અમે નંદિનીનો ઉપયોગ કરતા હતા. અને અમે અમારા ખેડૂતો અને KMFને સમર્થન આપવા માટે નંદિનીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.