અમૂલ ઉત્પાદનોનો બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કર્યો બહિષ્કાર, BBHAના પ્રમુખે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 15:52:51

કર્ણાટકના દૂધ ઉત્પાદક ખેડૂતોને ટેકો આપતા, બ્રુહત બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) એ અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની નંદિની ડેરીના ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુના બજારમાં દૂધ અને દહીં રજૂ કરવાના ગુજરાત સ્થિત અમૂલના નિર્ણયને લઈ વિવાદ વધેલા આ પગલું લેવામાં આવ્યો છે.


કર્ણાટકના ખેડૂતોને BBHAનું સમર્થન


BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે બેંગલુરુની હોટલો દરરોજ લગભગ 4 લાખ લિટર દૂધ અને લગભગ 40,000-50,000 લિટર દહીંનો ઉપયોગ કરી રહી છે. રાવે વધુમાં કહ્યું કે "KMFને દૂધ સપ્લાય કરતી ઘણી મહિલા ખેડૂતો છે. માત્ર હોટેલીયર્સ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આપણા કર્ણાટકના ખેડૂતો અને મહિલા ખેડૂતોને ટેકો આપવા માટે એક સામાજિક ફરજ તરીકે નંદિનીને ટેકો આપવો જોઈએ" 

 

BBHA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "આપણે કર્ણાટકનું ગૌરવ એવા નંદિની દૂધને સમર્થન આપવું જોઈએ. નંદિની દૂધએ ટેસ્ટી કોફી અને નાસ્તાની કરોડરજ્જુ છે. કર્ણાટકમાં અન્ય રાજ્યમાંથી દૂધ આવવાના સમાચાર છે. નંદિની દૂધને ટેકો આપવો એ આપણી જવાબદારી છે" 


નંદિની તુલનામાં અમૂલ દુધ મોઘું


અમૂલ દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54 છે, જ્યારે નંદિની ઓરેન્જ મિલ્ક રૂ. 43માં વેચાય છે. હોટેલીયર્સ નંદિનીને માત્ર રૂ. 11ના સ્પષ્ટ લાભને કારણે જ નહીં, પરંતુ તેઓ કર્ણાટકના ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહી રહ્યા છે. રાવે કહ્યું, "અમૂલ વિવાદ વકર્યો તે પહેલાથી જ અમે નંદિનીનો ઉપયોગ કરતા હતા. અને અમે અમારા ખેડૂતો અને KMFને સમર્થન આપવા માટે નંદિનીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.