અમૂલ ઉત્પાદનોનો બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કર્યો બહિષ્કાર, BBHAના પ્રમુખે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 15:52:51

કર્ણાટકના દૂધ ઉત્પાદક ખેડૂતોને ટેકો આપતા, બ્રુહત બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) એ અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની નંદિની ડેરીના ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુના બજારમાં દૂધ અને દહીં રજૂ કરવાના ગુજરાત સ્થિત અમૂલના નિર્ણયને લઈ વિવાદ વધેલા આ પગલું લેવામાં આવ્યો છે.


કર્ણાટકના ખેડૂતોને BBHAનું સમર્થન


BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે બેંગલુરુની હોટલો દરરોજ લગભગ 4 લાખ લિટર દૂધ અને લગભગ 40,000-50,000 લિટર દહીંનો ઉપયોગ કરી રહી છે. રાવે વધુમાં કહ્યું કે "KMFને દૂધ સપ્લાય કરતી ઘણી મહિલા ખેડૂતો છે. માત્ર હોટેલીયર્સ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આપણા કર્ણાટકના ખેડૂતો અને મહિલા ખેડૂતોને ટેકો આપવા માટે એક સામાજિક ફરજ તરીકે નંદિનીને ટેકો આપવો જોઈએ" 

 

BBHA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "આપણે કર્ણાટકનું ગૌરવ એવા નંદિની દૂધને સમર્થન આપવું જોઈએ. નંદિની દૂધએ ટેસ્ટી કોફી અને નાસ્તાની કરોડરજ્જુ છે. કર્ણાટકમાં અન્ય રાજ્યમાંથી દૂધ આવવાના સમાચાર છે. નંદિની દૂધને ટેકો આપવો એ આપણી જવાબદારી છે" 


નંદિની તુલનામાં અમૂલ દુધ મોઘું


અમૂલ દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54 છે, જ્યારે નંદિની ઓરેન્જ મિલ્ક રૂ. 43માં વેચાય છે. હોટેલીયર્સ નંદિનીને માત્ર રૂ. 11ના સ્પષ્ટ લાભને કારણે જ નહીં, પરંતુ તેઓ કર્ણાટકના ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહી રહ્યા છે. રાવે કહ્યું, "અમૂલ વિવાદ વકર્યો તે પહેલાથી જ અમે નંદિનીનો ઉપયોગ કરતા હતા. અને અમે અમારા ખેડૂતો અને KMFને સમર્થન આપવા માટે નંદિનીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.