આતંકી અને ગેંગસ્ટર વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી! દેશના 6 રાજ્યોમાં હાથ ધરી તપાસ! જાણો NIAની ટીમે ક્યા કર્યું સર્ચ ઓપરેશન?


  • Published By :
  • Published Date : 2023-05-17 13:26:33

દેશના અનેક રાજ્યોમાં NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકોનો સપાટો બોલાવા એનઆઈએ દ્વારા દેશભરમાં લગભગ 100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ.નીરજ બવાના સહિતના ગેંગસ્ટરોના નજીકનાઓ પર કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે.

   

દેશના 6 રાજ્યોમાં એનઆઈના દરોડા!

દેશના 6 રાજ્યોમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 100થી વધારે જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ અને ચંડીગઢમાં 65 જગ્યાઓ પર, ઉત્તરપ્રદેશમાં 3 જગ્યાઓ પર, રાજસ્થાનમાં 18 જગ્યાઓ પર, મધ્યપ્રદેશમાં 2 જગ્યાઓ પર એનઆઈએની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.     

9મેના રોજ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરી હતી તપાસ! 

ઉલ્લેખનિય છે કે 9 મેના રોજ એનઆઈએ દ્વારા ટેટર ફન્ડિંગ અને પાકિસ્તાનથી થઈ રહેલી આતંકી સાજિશને લઈ જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાઓમાં 8 આતંકી સંગઠનોની 15 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 100થી વધારે જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.