આતંકી અને ગેંગસ્ટર વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી! દેશના 6 રાજ્યોમાં હાથ ધરી તપાસ! જાણો NIAની ટીમે ક્યા કર્યું સર્ચ ઓપરેશન?


  • Published By :
  • Published Date : 2023-05-17 13:26:33

દેશના અનેક રાજ્યોમાં NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકોનો સપાટો બોલાવા એનઆઈએ દ્વારા દેશભરમાં લગભગ 100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ.નીરજ બવાના સહિતના ગેંગસ્ટરોના નજીકનાઓ પર કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે.

   

દેશના 6 રાજ્યોમાં એનઆઈના દરોડા!

દેશના 6 રાજ્યોમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 100થી વધારે જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ અને ચંડીગઢમાં 65 જગ્યાઓ પર, ઉત્તરપ્રદેશમાં 3 જગ્યાઓ પર, રાજસ્થાનમાં 18 જગ્યાઓ પર, મધ્યપ્રદેશમાં 2 જગ્યાઓ પર એનઆઈએની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.     

9મેના રોજ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરી હતી તપાસ! 

ઉલ્લેખનિય છે કે 9 મેના રોજ એનઆઈએ દ્વારા ટેટર ફન્ડિંગ અને પાકિસ્તાનથી થઈ રહેલી આતંકી સાજિશને લઈ જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાઓમાં 8 આતંકી સંગઠનોની 15 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 100થી વધારે જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.