આતંકી અને ગેંગસ્ટર વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી! દેશના 6 રાજ્યોમાં હાથ ધરી તપાસ! જાણો NIAની ટીમે ક્યા કર્યું સર્ચ ઓપરેશન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 13:26:33

દેશના અનેક રાજ્યોમાં NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકોનો સપાટો બોલાવા એનઆઈએ દ્વારા દેશભરમાં લગભગ 100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ.નીરજ બવાના સહિતના ગેંગસ્ટરોના નજીકનાઓ પર કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે.

   

દેશના 6 રાજ્યોમાં એનઆઈના દરોડા!

દેશના 6 રાજ્યોમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 100થી વધારે જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ અને ચંડીગઢમાં 65 જગ્યાઓ પર, ઉત્તરપ્રદેશમાં 3 જગ્યાઓ પર, રાજસ્થાનમાં 18 જગ્યાઓ પર, મધ્યપ્રદેશમાં 2 જગ્યાઓ પર એનઆઈએની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.     

9મેના રોજ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરી હતી તપાસ! 

ઉલ્લેખનિય છે કે 9 મેના રોજ એનઆઈએ દ્વારા ટેટર ફન્ડિંગ અને પાકિસ્તાનથી થઈ રહેલી આતંકી સાજિશને લઈ જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાઓમાં 8 આતંકી સંગઠનોની 15 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 100થી વધારે જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   




સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.