અદાણી શેરોના ભાવ ગગડતા અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO કર્યો રદ્દ


  • Published By :
  • Published Date : 2023-02-02 13:10:24

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેર માર્કેટમાં લિસ્ટ કંપનીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજારની વર્તમાન સ્થિતિમાં જૂથની કંપનીઓના શેરમાં જોવા મળેલા કડાકાને કારણે કંપનીએ ફોલોઓન પબ્લિક ઓફર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને રોકાણકારોને નાણા પરત કરવાનો નિર્ણય કર્યો છે.  અદાણી ગ્રુપે 20 હજાર કરોડના એફપીઓને રદ્દ કરી દીધા છે. બુધવાર રાત્રે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ એક રુપિયા હતો અને અંતિમ દિવસે આ એફપીઓ ફુલી સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

  

રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય કર્યો  

જાન્યુઆરી મહિનામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. ધનિક વ્યક્તિઓના લિસ્ટમાંથી તેમનું નામ નીકળી ગયું હતું. મંગળવારે એચએનઆઈ, ઉદ્યોગપતિ તેમજ ધનિક લોકોના સહકારથી કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ગયો હતો. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં એફપીઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકો આવતા એફપીઓ કરાયો રદ્દ

ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. બજેટના દિવસ દરમિયાન કંપનીના શેરોમાં ભારે લે-વેચ જોવા મળી હતી. 35 ટકા જેટલો ઘટાણો નોંધાયો હતો તે ઉપરાંત અદાણીનું માર્કેટકેપ 50 ટકા જેટલું ધોવાઈ ગયું હતું. ત્યારે અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સંપૂર્ણ ભરાઈ ગયેલા એફપીઓને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અસાધારણ સ્થિતિને જોતાં રોકાણકારોના હિતમાં એફપીઓના નાણા પરત આપવાનો નિર્ણય કરાયો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.