અદાણી શેરોના ભાવ ગગડતા અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO કર્યો રદ્દ


  • Published By :
  • Published Date : 2023-02-02 13:10:24

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેર માર્કેટમાં લિસ્ટ કંપનીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજારની વર્તમાન સ્થિતિમાં જૂથની કંપનીઓના શેરમાં જોવા મળેલા કડાકાને કારણે કંપનીએ ફોલોઓન પબ્લિક ઓફર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને રોકાણકારોને નાણા પરત કરવાનો નિર્ણય કર્યો છે.  અદાણી ગ્રુપે 20 હજાર કરોડના એફપીઓને રદ્દ કરી દીધા છે. બુધવાર રાત્રે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ એક રુપિયા હતો અને અંતિમ દિવસે આ એફપીઓ ફુલી સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

  

રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય કર્યો  

જાન્યુઆરી મહિનામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. ધનિક વ્યક્તિઓના લિસ્ટમાંથી તેમનું નામ નીકળી ગયું હતું. મંગળવારે એચએનઆઈ, ઉદ્યોગપતિ તેમજ ધનિક લોકોના સહકારથી કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ગયો હતો. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં એફપીઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકો આવતા એફપીઓ કરાયો રદ્દ

ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. બજેટના દિવસ દરમિયાન કંપનીના શેરોમાં ભારે લે-વેચ જોવા મળી હતી. 35 ટકા જેટલો ઘટાણો નોંધાયો હતો તે ઉપરાંત અદાણીનું માર્કેટકેપ 50 ટકા જેટલું ધોવાઈ ગયું હતું. ત્યારે અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સંપૂર્ણ ભરાઈ ગયેલા એફપીઓને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અસાધારણ સ્થિતિને જોતાં રોકાણકારોના હિતમાં એફપીઓના નાણા પરત આપવાનો નિર્ણય કરાયો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.