બિહારના બાહુબલી સાંસદ ગણાતા આનંદ મોહન થયા જેલ મુક્ત, જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાના કેસમાં થઈ હતી સજા!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:12:25

એક તરફ ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓના એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને તેની જ બાજુના રાજ્ય એટલે કે બિહારમાં કલેક્ટરની હત્યા કરનારા બાહુબલી નેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જે નેતાને જેલમુક્ત કરવામાં આવ્યા છે તે બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ છે. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે નેતા જેલ મુક્ત થયા હતા. 16 વર્ષ પછી તેને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો...  

શા માટે આનંદ મોહન સિંહને કહેવાય છે બાહુબલી નેતા?

સૌથી પહેલા વાત કરીએ આ બાહુબલી નેતાની. આનંદ મોહન સિંહ મહાન સ્વતંત્રતા સેનાની રામ બહાદુર સિંહના પરિવારથી આવે છે. જેપીના આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. સૌથી પહેલા તે 1980માં ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.  90ના સાલમાં જનતાદળમાંથી ચૂંટમી જીત્યા હતા. 95નો સમય એવો હતો કે તેને બિહારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા... પણ 1994માં તેણે ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી દીધી.  જેને લઈ આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારથી તે જેલમાં જ હતા.


નેતાને છોડાવા નીતિશ કુમારે કર્યા નિયમોમાં ફેરફાર!

આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમારે તેને જેલમાંથી કાઢવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ વિશે વાત કરીએ તો નીતિશ કુમારે જેલ મેન્યુઅલ 2012ના નિયમ 484(1)માં ફેરફાર કર્યો. આ નિયમમાં એવી જોગવાઈ હતી કે અમુક ગુનાઓ ધરાવતા કેદીને સમય પહેલા ના છોડી શકાય... તો નીતિશ સરકારે સ્ટેજ પરથી જાહેરાત કરી કે અમેં આનંદ મોહનને જેલમાંથી કાઢીશું અને જેલમાંથી છોડાવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે ગુના હેઠળ આનંદ મોહન જેલમાં હતા તે હત્યા સંબધી કલમો જ કાઢી નાખી... તો આનંદ મોહન જેલથી છૂટી ગયા છે.... 


ક્લેક્ટરના પરિવારે કર્યો આ નિર્ણયનો વિરોધ!  

કલેક્ટરની આનંદ મોહને હત્યા કરી હતી તેના દીકરીએ જેલ મુક્તિનો વિરોધ કર્યો છે. ડીએમની દીકરી પદ્માએ કહ્યું છે કે બિહાર સરકારે ફરીવાર આ નિર્ણય વિશે વિચારવું જોઈએ. સરકારે આવું કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. તો બીજી બાજુ આઈએએસના સંગઠનોએ પણ વિરોધ કર્યો છે કારણ કે આનંદ મોહને કલેક્ટરની હત્યા કરી હતી... બિહારના બ્રુરોક્રેટ્સ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે... તો હવે નીતિશ સરકારને વોટમાં ફાયદો થશે કે રાજ્યમાં તેનો વિરોધ થશે તે જોવાનું રહેશે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.