બિહારના બાહુબલી સાંસદ ગણાતા આનંદ મોહન થયા જેલ મુક્ત, જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાના કેસમાં થઈ હતી સજા!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:12:25

એક તરફ ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓના એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને તેની જ બાજુના રાજ્ય એટલે કે બિહારમાં કલેક્ટરની હત્યા કરનારા બાહુબલી નેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જે નેતાને જેલમુક્ત કરવામાં આવ્યા છે તે બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ છે. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે નેતા જેલ મુક્ત થયા હતા. 16 વર્ષ પછી તેને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો...  

શા માટે આનંદ મોહન સિંહને કહેવાય છે બાહુબલી નેતા?

સૌથી પહેલા વાત કરીએ આ બાહુબલી નેતાની. આનંદ મોહન સિંહ મહાન સ્વતંત્રતા સેનાની રામ બહાદુર સિંહના પરિવારથી આવે છે. જેપીના આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. સૌથી પહેલા તે 1980માં ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.  90ના સાલમાં જનતાદળમાંથી ચૂંટમી જીત્યા હતા. 95નો સમય એવો હતો કે તેને બિહારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા... પણ 1994માં તેણે ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી દીધી.  જેને લઈ આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારથી તે જેલમાં જ હતા.


નેતાને છોડાવા નીતિશ કુમારે કર્યા નિયમોમાં ફેરફાર!

આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમારે તેને જેલમાંથી કાઢવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ વિશે વાત કરીએ તો નીતિશ કુમારે જેલ મેન્યુઅલ 2012ના નિયમ 484(1)માં ફેરફાર કર્યો. આ નિયમમાં એવી જોગવાઈ હતી કે અમુક ગુનાઓ ધરાવતા કેદીને સમય પહેલા ના છોડી શકાય... તો નીતિશ સરકારે સ્ટેજ પરથી જાહેરાત કરી કે અમેં આનંદ મોહનને જેલમાંથી કાઢીશું અને જેલમાંથી છોડાવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે ગુના હેઠળ આનંદ મોહન જેલમાં હતા તે હત્યા સંબધી કલમો જ કાઢી નાખી... તો આનંદ મોહન જેલથી છૂટી ગયા છે.... 


ક્લેક્ટરના પરિવારે કર્યો આ નિર્ણયનો વિરોધ!  

કલેક્ટરની આનંદ મોહને હત્યા કરી હતી તેના દીકરીએ જેલ મુક્તિનો વિરોધ કર્યો છે. ડીએમની દીકરી પદ્માએ કહ્યું છે કે બિહાર સરકારે ફરીવાર આ નિર્ણય વિશે વિચારવું જોઈએ. સરકારે આવું કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. તો બીજી બાજુ આઈએએસના સંગઠનોએ પણ વિરોધ કર્યો છે કારણ કે આનંદ મોહને કલેક્ટરની હત્યા કરી હતી... બિહારના બ્રુરોક્રેટ્સ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે... તો હવે નીતિશ સરકારને વોટમાં ફાયદો થશે કે રાજ્યમાં તેનો વિરોધ થશે તે જોવાનું રહેશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.