બિહારના બાહુબલી સાંસદ ગણાતા આનંદ મોહન થયા જેલ મુક્ત, જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાના કેસમાં થઈ હતી સજા!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:12:25

એક તરફ ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓના એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને તેની જ બાજુના રાજ્ય એટલે કે બિહારમાં કલેક્ટરની હત્યા કરનારા બાહુબલી નેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જે નેતાને જેલમુક્ત કરવામાં આવ્યા છે તે બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ છે. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે નેતા જેલ મુક્ત થયા હતા. 16 વર્ષ પછી તેને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો...  

શા માટે આનંદ મોહન સિંહને કહેવાય છે બાહુબલી નેતા?

સૌથી પહેલા વાત કરીએ આ બાહુબલી નેતાની. આનંદ મોહન સિંહ મહાન સ્વતંત્રતા સેનાની રામ બહાદુર સિંહના પરિવારથી આવે છે. જેપીના આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. સૌથી પહેલા તે 1980માં ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.  90ના સાલમાં જનતાદળમાંથી ચૂંટમી જીત્યા હતા. 95નો સમય એવો હતો કે તેને બિહારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા... પણ 1994માં તેણે ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી દીધી.  જેને લઈ આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારથી તે જેલમાં જ હતા.


નેતાને છોડાવા નીતિશ કુમારે કર્યા નિયમોમાં ફેરફાર!

આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમારે તેને જેલમાંથી કાઢવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ વિશે વાત કરીએ તો નીતિશ કુમારે જેલ મેન્યુઅલ 2012ના નિયમ 484(1)માં ફેરફાર કર્યો. આ નિયમમાં એવી જોગવાઈ હતી કે અમુક ગુનાઓ ધરાવતા કેદીને સમય પહેલા ના છોડી શકાય... તો નીતિશ સરકારે સ્ટેજ પરથી જાહેરાત કરી કે અમેં આનંદ મોહનને જેલમાંથી કાઢીશું અને જેલમાંથી છોડાવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે ગુના હેઠળ આનંદ મોહન જેલમાં હતા તે હત્યા સંબધી કલમો જ કાઢી નાખી... તો આનંદ મોહન જેલથી છૂટી ગયા છે.... 


ક્લેક્ટરના પરિવારે કર્યો આ નિર્ણયનો વિરોધ!  

કલેક્ટરની આનંદ મોહને હત્યા કરી હતી તેના દીકરીએ જેલ મુક્તિનો વિરોધ કર્યો છે. ડીએમની દીકરી પદ્માએ કહ્યું છે કે બિહાર સરકારે ફરીવાર આ નિર્ણય વિશે વિચારવું જોઈએ. સરકારે આવું કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. તો બીજી બાજુ આઈએએસના સંગઠનોએ પણ વિરોધ કર્યો છે કારણ કે આનંદ મોહને કલેક્ટરની હત્યા કરી હતી... બિહારના બ્રુરોક્રેટ્સ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે... તો હવે નીતિશ સરકારને વોટમાં ફાયદો થશે કે રાજ્યમાં તેનો વિરોધ થશે તે જોવાનું રહેશે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.