બિહારના બાહુબલી સાંસદ ગણાતા આનંદ મોહન થયા જેલ મુક્ત, જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાના કેસમાં થઈ હતી સજા!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:12:25

એક તરફ ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓના એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને તેની જ બાજુના રાજ્ય એટલે કે બિહારમાં કલેક્ટરની હત્યા કરનારા બાહુબલી નેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જે નેતાને જેલમુક્ત કરવામાં આવ્યા છે તે બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ છે. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે નેતા જેલ મુક્ત થયા હતા. 16 વર્ષ પછી તેને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો...  

શા માટે આનંદ મોહન સિંહને કહેવાય છે બાહુબલી નેતા?

સૌથી પહેલા વાત કરીએ આ બાહુબલી નેતાની. આનંદ મોહન સિંહ મહાન સ્વતંત્રતા સેનાની રામ બહાદુર સિંહના પરિવારથી આવે છે. જેપીના આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. સૌથી પહેલા તે 1980માં ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.  90ના સાલમાં જનતાદળમાંથી ચૂંટમી જીત્યા હતા. 95નો સમય એવો હતો કે તેને બિહારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા... પણ 1994માં તેણે ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી દીધી.  જેને લઈ આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારથી તે જેલમાં જ હતા.


નેતાને છોડાવા નીતિશ કુમારે કર્યા નિયમોમાં ફેરફાર!

આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમારે તેને જેલમાંથી કાઢવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ વિશે વાત કરીએ તો નીતિશ કુમારે જેલ મેન્યુઅલ 2012ના નિયમ 484(1)માં ફેરફાર કર્યો. આ નિયમમાં એવી જોગવાઈ હતી કે અમુક ગુનાઓ ધરાવતા કેદીને સમય પહેલા ના છોડી શકાય... તો નીતિશ સરકારે સ્ટેજ પરથી જાહેરાત કરી કે અમેં આનંદ મોહનને જેલમાંથી કાઢીશું અને જેલમાંથી છોડાવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે ગુના હેઠળ આનંદ મોહન જેલમાં હતા તે હત્યા સંબધી કલમો જ કાઢી નાખી... તો આનંદ મોહન જેલથી છૂટી ગયા છે.... 


ક્લેક્ટરના પરિવારે કર્યો આ નિર્ણયનો વિરોધ!  

કલેક્ટરની આનંદ મોહને હત્યા કરી હતી તેના દીકરીએ જેલ મુક્તિનો વિરોધ કર્યો છે. ડીએમની દીકરી પદ્માએ કહ્યું છે કે બિહાર સરકારે ફરીવાર આ નિર્ણય વિશે વિચારવું જોઈએ. સરકારે આવું કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. તો બીજી બાજુ આઈએએસના સંગઠનોએ પણ વિરોધ કર્યો છે કારણ કે આનંદ મોહને કલેક્ટરની હત્યા કરી હતી... બિહારના બ્રુરોક્રેટ્સ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે... તો હવે નીતિશ સરકારને વોટમાં ફાયદો થશે કે રાજ્યમાં તેનો વિરોધ થશે તે જોવાનું રહેશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.