ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંભળો નેતાએ એવું તો શું કહ્યું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:27:40

ઘણી વખત અનેક નેતાઓ એવા નિવદેનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મહિલાઓ માટે ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉં. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે.

 

ટૂંકાં કપડા પહેરતી મહિલાઓ માટે કરી ટિપ્પણી! 

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા પોતાના નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. હનુમાન જયંતીની ઉજવણી દરમિયાન નેતાએ આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મહિલાઓ માટે આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે શુપર્ણખાનો ઉલ્લેખ કર્યો હતો.    

 

હનુમાન જયંતીના દિવસનો વીડિયો હોવાનું અનુમાન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હનુમાન જયંતીના દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેમાં ભાજપના નેતા કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય કે 5-7 એવી થપ્પડ મારૂં કે તેમનો નશો જ ઉતરી જાય સત્ય કહું છું, ભગવાનના સોંગંદ, હનુમાન જયંતી પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડા પહેરે છે કે.... આપણે મહિલાને દેવી કહીએ છીએ તેમનામાં દેવીનું સ્વરૂપ જ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ખરેખર સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખુબ જ ચિંતિત છું.       


 વધી શકે છે ભાજપના નેતાની મુશ્કેલી!

ત્યારે ભાજપના નેતા દ્વારા અપાયેલા આ નિવેદનને લઈ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મહત્વનું છે કે કૈલાશ વિજવર્ગીય દ્વારા અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.