ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંભળો નેતાએ એવું તો શું કહ્યું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:27:40

ઘણી વખત અનેક નેતાઓ એવા નિવદેનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મહિલાઓ માટે ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉં. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે.

 

ટૂંકાં કપડા પહેરતી મહિલાઓ માટે કરી ટિપ્પણી! 

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા પોતાના નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. હનુમાન જયંતીની ઉજવણી દરમિયાન નેતાએ આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મહિલાઓ માટે આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે શુપર્ણખાનો ઉલ્લેખ કર્યો હતો.    

 

હનુમાન જયંતીના દિવસનો વીડિયો હોવાનું અનુમાન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હનુમાન જયંતીના દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેમાં ભાજપના નેતા કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય કે 5-7 એવી થપ્પડ મારૂં કે તેમનો નશો જ ઉતરી જાય સત્ય કહું છું, ભગવાનના સોંગંદ, હનુમાન જયંતી પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડા પહેરે છે કે.... આપણે મહિલાને દેવી કહીએ છીએ તેમનામાં દેવીનું સ્વરૂપ જ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ખરેખર સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખુબ જ ચિંતિત છું.       


 વધી શકે છે ભાજપના નેતાની મુશ્કેલી!

ત્યારે ભાજપના નેતા દ્વારા અપાયેલા આ નિવેદનને લઈ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મહત્વનું છે કે કૈલાશ વિજવર્ગીય દ્વારા અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.