ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંભળો નેતાએ એવું તો શું કહ્યું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:27:40

ઘણી વખત અનેક નેતાઓ એવા નિવદેનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મહિલાઓ માટે ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉં. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે.

 

ટૂંકાં કપડા પહેરતી મહિલાઓ માટે કરી ટિપ્પણી! 

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા પોતાના નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. હનુમાન જયંતીની ઉજવણી દરમિયાન નેતાએ આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મહિલાઓ માટે આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે શુપર્ણખાનો ઉલ્લેખ કર્યો હતો.    

 

હનુમાન જયંતીના દિવસનો વીડિયો હોવાનું અનુમાન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હનુમાન જયંતીના દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેમાં ભાજપના નેતા કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય કે 5-7 એવી થપ્પડ મારૂં કે તેમનો નશો જ ઉતરી જાય સત્ય કહું છું, ભગવાનના સોંગંદ, હનુમાન જયંતી પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડા પહેરે છે કે.... આપણે મહિલાને દેવી કહીએ છીએ તેમનામાં દેવીનું સ્વરૂપ જ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ખરેખર સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખુબ જ ચિંતિત છું.       


 વધી શકે છે ભાજપના નેતાની મુશ્કેલી!

ત્યારે ભાજપના નેતા દ્વારા અપાયેલા આ નિવેદનને લઈ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મહત્વનું છે કે કૈલાશ વિજવર્ગીય દ્વારા અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.