ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંભળો નેતાએ એવું તો શું કહ્યું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:27:40

ઘણી વખત અનેક નેતાઓ એવા નિવદેનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મહિલાઓ માટે ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉં. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે.

 

ટૂંકાં કપડા પહેરતી મહિલાઓ માટે કરી ટિપ્પણી! 

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા પોતાના નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. હનુમાન જયંતીની ઉજવણી દરમિયાન નેતાએ આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મહિલાઓ માટે આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે શુપર્ણખાનો ઉલ્લેખ કર્યો હતો.    

 

હનુમાન જયંતીના દિવસનો વીડિયો હોવાનું અનુમાન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હનુમાન જયંતીના દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેમાં ભાજપના નેતા કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય કે 5-7 એવી થપ્પડ મારૂં કે તેમનો નશો જ ઉતરી જાય સત્ય કહું છું, ભગવાનના સોંગંદ, હનુમાન જયંતી પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડા પહેરે છે કે.... આપણે મહિલાને દેવી કહીએ છીએ તેમનામાં દેવીનું સ્વરૂપ જ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ખરેખર સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખુબ જ ચિંતિત છું.       


 વધી શકે છે ભાજપના નેતાની મુશ્કેલી!

ત્યારે ભાજપના નેતા દ્વારા અપાયેલા આ નિવેદનને લઈ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મહત્વનું છે કે કૈલાશ વિજવર્ગીય દ્વારા અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.