ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી કર્યું ફાયરિંગ, video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-09 14:37:49

ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગ્નમાં સ્ટેજ પર બેઠેલી નવવધૂ હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ આ ગોળીબારથી દુલ્હનની બાજુમાં બેઠેલો વર એક વખત તો ડરી ગયો હતો. જોકે, કન્યાએ સ્ટેજ પરથી પોતાના લગ્નમાં અતિ ઉત્સાહમાં આવી ફાયરિંગ કરીને કાયદાનો ભંગ કર્યો હતો.


શું હતી સમગ્ર ઘટના? 


હાથરસમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી હતી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. દુલ્હનએ હવામાં સતત ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને પાછી આપી દીધી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં આયોજીત એક લગ્ન સમારોહનો હોવાનું જાણવા મળ્યું છે. 


પોલીસે શરૂ કરી તપાસ  


હાથરસમાં નવવધૂ દ્વારા કરાયેલા ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લગ્ન આ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે જ થયા હતા અને આ દરમિયાન દુલ્હનએ ત્યાં અતિ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું. દુલ્હન હાથરસ જંકશન વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે હાથરસ જંકશનના પોલીસ અધિકારી ગિરીશ ચંદ ગૌતમનું કહેવું છે કે વાયરલ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.