ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી કર્યું ફાયરિંગ, video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-09 14:37:49

ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગ્નમાં સ્ટેજ પર બેઠેલી નવવધૂ હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ આ ગોળીબારથી દુલ્હનની બાજુમાં બેઠેલો વર એક વખત તો ડરી ગયો હતો. જોકે, કન્યાએ સ્ટેજ પરથી પોતાના લગ્નમાં અતિ ઉત્સાહમાં આવી ફાયરિંગ કરીને કાયદાનો ભંગ કર્યો હતો.


શું હતી સમગ્ર ઘટના? 


હાથરસમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી હતી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. દુલ્હનએ હવામાં સતત ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને પાછી આપી દીધી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં આયોજીત એક લગ્ન સમારોહનો હોવાનું જાણવા મળ્યું છે. 


પોલીસે શરૂ કરી તપાસ  


હાથરસમાં નવવધૂ દ્વારા કરાયેલા ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લગ્ન આ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે જ થયા હતા અને આ દરમિયાન દુલ્હનએ ત્યાં અતિ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું. દુલ્હન હાથરસ જંકશન વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે હાથરસ જંકશનના પોલીસ અધિકારી ગિરીશ ચંદ ગૌતમનું કહેવું છે કે વાયરલ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.