ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી કર્યું ફાયરિંગ, video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-09 14:37:49

ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગ્નમાં સ્ટેજ પર બેઠેલી નવવધૂ હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ આ ગોળીબારથી દુલ્હનની બાજુમાં બેઠેલો વર એક વખત તો ડરી ગયો હતો. જોકે, કન્યાએ સ્ટેજ પરથી પોતાના લગ્નમાં અતિ ઉત્સાહમાં આવી ફાયરિંગ કરીને કાયદાનો ભંગ કર્યો હતો.


શું હતી સમગ્ર ઘટના? 


હાથરસમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી હતી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. દુલ્હનએ હવામાં સતત ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને પાછી આપી દીધી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં આયોજીત એક લગ્ન સમારોહનો હોવાનું જાણવા મળ્યું છે. 


પોલીસે શરૂ કરી તપાસ  


હાથરસમાં નવવધૂ દ્વારા કરાયેલા ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લગ્ન આ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે જ થયા હતા અને આ દરમિયાન દુલ્હનએ ત્યાં અતિ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું. દુલ્હન હાથરસ જંકશન વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે હાથરસ જંકશનના પોલીસ અધિકારી ગિરીશ ચંદ ગૌતમનું કહેવું છે કે વાયરલ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.