ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી કર્યું ફાયરિંગ, video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-09 14:37:49

ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગ્નમાં સ્ટેજ પર બેઠેલી નવવધૂ હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ આ ગોળીબારથી દુલ્હનની બાજુમાં બેઠેલો વર એક વખત તો ડરી ગયો હતો. જોકે, કન્યાએ સ્ટેજ પરથી પોતાના લગ્નમાં અતિ ઉત્સાહમાં આવી ફાયરિંગ કરીને કાયદાનો ભંગ કર્યો હતો.


શું હતી સમગ્ર ઘટના? 


હાથરસમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી હતી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. દુલ્હનએ હવામાં સતત ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને પાછી આપી દીધી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં આયોજીત એક લગ્ન સમારોહનો હોવાનું જાણવા મળ્યું છે. 


પોલીસે શરૂ કરી તપાસ  


હાથરસમાં નવવધૂ દ્વારા કરાયેલા ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લગ્ન આ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે જ થયા હતા અને આ દરમિયાન દુલ્હનએ ત્યાં અતિ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું. દુલ્હન હાથરસ જંકશન વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે હાથરસ જંકશનના પોલીસ અધિકારી ગિરીશ ચંદ ગૌતમનું કહેવું છે કે વાયરલ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.