હવે કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે PAN કાર્ડ અનિવાર્ય, પહેલા શું ઝંઝટ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-02-01 18:18:54

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ અંતે ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે. નાણામંત્રીએ બીજી મહત્વની જાહેરાચ પાન કાર્ડ અંગે કરી છે.


હવે PAN કાર્ડ અનિવાર્ય


નાણામંત્રીએ કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. હવે કંપની ખોલવા માટે સમગ્ર દેશમાં પાન કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. નાણામંત્રીએ બજેટમાં કહ્યું છે કે પાન કાર્ડ દેશભરમાં સિંગલ વિન્ડો સિસ્ટમની જેમ કામ કરશે.  


પહેલા આ ડોક્યુમેન્ટની જરૂર પડતી


પાન કાર્ડસ જરૂરી બન્યું તે પહેલા પાન કાર્ડ ઉપરાંત,કંપનીના ડિરેક્ટરોએ સરનામાનો પુરાવો આપવાનો હતો. આ એડ્રેસ પ્રૂફમાં કંપનીના ડિરેક્ટરોના નામ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉપરાંત, આ દસ્તાવેજો ઓછામાં ઓછા બે મહિના જૂના હોવા જોઈએ. પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ અને આધાર કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે. સરનામાના પુરાવા ઉપરાંત રહેણાંકના પુરાવાની પણ જરૂર હતી. આ રેસિડેન્શિયલ પ્રૂફમાં ડિરેક્ટરોના નામ પણ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. રહેણાંકના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે સબમિટ કરી શકાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.