હવે કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે PAN કાર્ડ અનિવાર્ય, પહેલા શું ઝંઝટ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-02-01 18:18:54

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ અંતે ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે. નાણામંત્રીએ બીજી મહત્વની જાહેરાચ પાન કાર્ડ અંગે કરી છે.


હવે PAN કાર્ડ અનિવાર્ય


નાણામંત્રીએ કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. હવે કંપની ખોલવા માટે સમગ્ર દેશમાં પાન કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. નાણામંત્રીએ બજેટમાં કહ્યું છે કે પાન કાર્ડ દેશભરમાં સિંગલ વિન્ડો સિસ્ટમની જેમ કામ કરશે.  


પહેલા આ ડોક્યુમેન્ટની જરૂર પડતી


પાન કાર્ડસ જરૂરી બન્યું તે પહેલા પાન કાર્ડ ઉપરાંત,કંપનીના ડિરેક્ટરોએ સરનામાનો પુરાવો આપવાનો હતો. આ એડ્રેસ પ્રૂફમાં કંપનીના ડિરેક્ટરોના નામ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉપરાંત, આ દસ્તાવેજો ઓછામાં ઓછા બે મહિના જૂના હોવા જોઈએ. પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ અને આધાર કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે. સરનામાના પુરાવા ઉપરાંત રહેણાંકના પુરાવાની પણ જરૂર હતી. આ રેસિડેન્શિયલ પ્રૂફમાં ડિરેક્ટરોના નામ પણ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. રહેણાંકના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે સબમિટ કરી શકાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.