હવે કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે PAN કાર્ડ અનિવાર્ય, પહેલા શું ઝંઝટ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-02-01 18:18:54

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ અંતે ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે. નાણામંત્રીએ બીજી મહત્વની જાહેરાચ પાન કાર્ડ અંગે કરી છે.


હવે PAN કાર્ડ અનિવાર્ય


નાણામંત્રીએ કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. હવે કંપની ખોલવા માટે સમગ્ર દેશમાં પાન કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. નાણામંત્રીએ બજેટમાં કહ્યું છે કે પાન કાર્ડ દેશભરમાં સિંગલ વિન્ડો સિસ્ટમની જેમ કામ કરશે.  


પહેલા આ ડોક્યુમેન્ટની જરૂર પડતી


પાન કાર્ડસ જરૂરી બન્યું તે પહેલા પાન કાર્ડ ઉપરાંત,કંપનીના ડિરેક્ટરોએ સરનામાનો પુરાવો આપવાનો હતો. આ એડ્રેસ પ્રૂફમાં કંપનીના ડિરેક્ટરોના નામ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉપરાંત, આ દસ્તાવેજો ઓછામાં ઓછા બે મહિના જૂના હોવા જોઈએ. પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ અને આધાર કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે. સરનામાના પુરાવા ઉપરાંત રહેણાંકના પુરાવાની પણ જરૂર હતી. આ રેસિડેન્શિયલ પ્રૂફમાં ડિરેક્ટરોના નામ પણ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. રહેણાંકના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે સબમિટ કરી શકાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.