એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ ફરી છટણી કરી, 1,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 14:25:44

વૈશ્વિક આર્થિક મંદીથી સૌથી મોટો ફટકો સ્ટાર્ટઅપ્સને પડી રહ્યો છે. હવે વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવા માટે મજબુર બન્યા છે. દેશના જાણીતા એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ 4 મહિના પછી 1,500 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ વખતે તો કંપનીએ સિનિયર અધિકારીઓનો પણ સપાટો બોલાવ્યો છે.


આ પહેલા પણ કરી હતી છટણી


Byju’sએ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબર 2022માં 5 ટકા એટલે કે 2,500 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી.  હવે ફરી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વગતે સ્ટ્રેટેજી, ટેકનોલોજી પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર્સનો સમાવેશ થાય છે. ઉલ્લેલખનિય છે કે આ તમામ સિનિયર્સને 1 કરોડ સુધીનો પગાર મળતો હતો.  


એડડેક સ્ટાર્ટઅપ્સની હાલત કફોડી


 દેશના એડડેક સ્ટાર્ટઅપ્સ જોરદાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત એટલી હદે કફોડી બની છે ધડાધડ છટણી કરી રહ્યા છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં, સૌથી વધુ છટણી 7,868 એટલે કે 15 એડટેક કંપનીઓમાં થઈ છે. જેમાં Byju’s ઉપરાંત અનએકેડેમી, વેદાંતુ, વ્હાઈટ હેટ જુનિયર,  ટોપર, પ્રેક્ટિકલી, ફ્રંટરો, લીડો, ઈનવેટ મેટાવર્સિટી, યેલો ક્લાસ, ચિટમિંટ, લીડ, ઉદય, ક્રેજો, ફન અને એરૂડિટસ સહિતના સ્ટાર્ટઅપ્સએ પણ તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી છે. 


Byju’s શું છે?


Byju’s એક ઓનલાઈન લર્નિગ એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તે કેજીથી માંડીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ તથા JEE, NEET, IAS, CAT, GMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઓનલાઈન શિક્ષણ આપે છે. Byju’s એપનો પ્રારંભ વર્ષ 2015 કેરળના એક એન્જિનિયર બાયજૂ રવિન્દ્રને કરી હતી. તેઓ શરૂઆતમાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા.  બાયજૂ રવિન્દ્રન કંપનીના સ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. તેમની ગણના દેશના અબજોપતિઓમાં થાય છે. કંપની હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે. Byju’sનો અર્થ  ઉર્જાનો સ્ત્રોત (Source of Energy) થાય છે. વર્તમાનમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન Byju’s એપના બ્રાન્ડ એમ્બેસેડર છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.