એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ ફરી છટણી કરી, 1,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 14:25:44

વૈશ્વિક આર્થિક મંદીથી સૌથી મોટો ફટકો સ્ટાર્ટઅપ્સને પડી રહ્યો છે. હવે વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવા માટે મજબુર બન્યા છે. દેશના જાણીતા એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ 4 મહિના પછી 1,500 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ વખતે તો કંપનીએ સિનિયર અધિકારીઓનો પણ સપાટો બોલાવ્યો છે.


આ પહેલા પણ કરી હતી છટણી


Byju’sએ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબર 2022માં 5 ટકા એટલે કે 2,500 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી.  હવે ફરી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વગતે સ્ટ્રેટેજી, ટેકનોલોજી પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર્સનો સમાવેશ થાય છે. ઉલ્લેલખનિય છે કે આ તમામ સિનિયર્સને 1 કરોડ સુધીનો પગાર મળતો હતો.  


એડડેક સ્ટાર્ટઅપ્સની હાલત કફોડી


 દેશના એડડેક સ્ટાર્ટઅપ્સ જોરદાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત એટલી હદે કફોડી બની છે ધડાધડ છટણી કરી રહ્યા છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં, સૌથી વધુ છટણી 7,868 એટલે કે 15 એડટેક કંપનીઓમાં થઈ છે. જેમાં Byju’s ઉપરાંત અનએકેડેમી, વેદાંતુ, વ્હાઈટ હેટ જુનિયર,  ટોપર, પ્રેક્ટિકલી, ફ્રંટરો, લીડો, ઈનવેટ મેટાવર્સિટી, યેલો ક્લાસ, ચિટમિંટ, લીડ, ઉદય, ક્રેજો, ફન અને એરૂડિટસ સહિતના સ્ટાર્ટઅપ્સએ પણ તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી છે. 


Byju’s શું છે?


Byju’s એક ઓનલાઈન લર્નિગ એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તે કેજીથી માંડીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ તથા JEE, NEET, IAS, CAT, GMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઓનલાઈન શિક્ષણ આપે છે. Byju’s એપનો પ્રારંભ વર્ષ 2015 કેરળના એક એન્જિનિયર બાયજૂ રવિન્દ્રને કરી હતી. તેઓ શરૂઆતમાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા.  બાયજૂ રવિન્દ્રન કંપનીના સ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. તેમની ગણના દેશના અબજોપતિઓમાં થાય છે. કંપની હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે. Byju’sનો અર્થ  ઉર્જાનો સ્ત્રોત (Source of Energy) થાય છે. વર્તમાનમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન Byju’s એપના બ્રાન્ડ એમ્બેસેડર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે