એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ ફરી છટણી કરી, 1,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 14:25:44

વૈશ્વિક આર્થિક મંદીથી સૌથી મોટો ફટકો સ્ટાર્ટઅપ્સને પડી રહ્યો છે. હવે વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવા માટે મજબુર બન્યા છે. દેશના જાણીતા એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ 4 મહિના પછી 1,500 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ વખતે તો કંપનીએ સિનિયર અધિકારીઓનો પણ સપાટો બોલાવ્યો છે.


આ પહેલા પણ કરી હતી છટણી


Byju’sએ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબર 2022માં 5 ટકા એટલે કે 2,500 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી.  હવે ફરી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વગતે સ્ટ્રેટેજી, ટેકનોલોજી પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર્સનો સમાવેશ થાય છે. ઉલ્લેલખનિય છે કે આ તમામ સિનિયર્સને 1 કરોડ સુધીનો પગાર મળતો હતો.  


એડડેક સ્ટાર્ટઅપ્સની હાલત કફોડી


 દેશના એડડેક સ્ટાર્ટઅપ્સ જોરદાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત એટલી હદે કફોડી બની છે ધડાધડ છટણી કરી રહ્યા છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં, સૌથી વધુ છટણી 7,868 એટલે કે 15 એડટેક કંપનીઓમાં થઈ છે. જેમાં Byju’s ઉપરાંત અનએકેડેમી, વેદાંતુ, વ્હાઈટ હેટ જુનિયર,  ટોપર, પ્રેક્ટિકલી, ફ્રંટરો, લીડો, ઈનવેટ મેટાવર્સિટી, યેલો ક્લાસ, ચિટમિંટ, લીડ, ઉદય, ક્રેજો, ફન અને એરૂડિટસ સહિતના સ્ટાર્ટઅપ્સએ પણ તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી છે. 


Byju’s શું છે?


Byju’s એક ઓનલાઈન લર્નિગ એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તે કેજીથી માંડીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ તથા JEE, NEET, IAS, CAT, GMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઓનલાઈન શિક્ષણ આપે છે. Byju’s એપનો પ્રારંભ વર્ષ 2015 કેરળના એક એન્જિનિયર બાયજૂ રવિન્દ્રને કરી હતી. તેઓ શરૂઆતમાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા.  બાયજૂ રવિન્દ્રન કંપનીના સ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. તેમની ગણના દેશના અબજોપતિઓમાં થાય છે. કંપની હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે. Byju’sનો અર્થ  ઉર્જાનો સ્ત્રોત (Source of Energy) થાય છે. વર્તમાનમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન Byju’s એપના બ્રાન્ડ એમ્બેસેડર છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.