એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ ફરી છટણી કરી, 1,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 14:25:44

વૈશ્વિક આર્થિક મંદીથી સૌથી મોટો ફટકો સ્ટાર્ટઅપ્સને પડી રહ્યો છે. હવે વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવા માટે મજબુર બન્યા છે. દેશના જાણીતા એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ 4 મહિના પછી 1,500 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ વખતે તો કંપનીએ સિનિયર અધિકારીઓનો પણ સપાટો બોલાવ્યો છે.


આ પહેલા પણ કરી હતી છટણી


Byju’sએ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબર 2022માં 5 ટકા એટલે કે 2,500 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી.  હવે ફરી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વગતે સ્ટ્રેટેજી, ટેકનોલોજી પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર્સનો સમાવેશ થાય છે. ઉલ્લેલખનિય છે કે આ તમામ સિનિયર્સને 1 કરોડ સુધીનો પગાર મળતો હતો.  


એડડેક સ્ટાર્ટઅપ્સની હાલત કફોડી


 દેશના એડડેક સ્ટાર્ટઅપ્સ જોરદાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત એટલી હદે કફોડી બની છે ધડાધડ છટણી કરી રહ્યા છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં, સૌથી વધુ છટણી 7,868 એટલે કે 15 એડટેક કંપનીઓમાં થઈ છે. જેમાં Byju’s ઉપરાંત અનએકેડેમી, વેદાંતુ, વ્હાઈટ હેટ જુનિયર,  ટોપર, પ્રેક્ટિકલી, ફ્રંટરો, લીડો, ઈનવેટ મેટાવર્સિટી, યેલો ક્લાસ, ચિટમિંટ, લીડ, ઉદય, ક્રેજો, ફન અને એરૂડિટસ સહિતના સ્ટાર્ટઅપ્સએ પણ તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી છે. 


Byju’s શું છે?


Byju’s એક ઓનલાઈન લર્નિગ એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તે કેજીથી માંડીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ તથા JEE, NEET, IAS, CAT, GMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઓનલાઈન શિક્ષણ આપે છે. Byju’s એપનો પ્રારંભ વર્ષ 2015 કેરળના એક એન્જિનિયર બાયજૂ રવિન્દ્રને કરી હતી. તેઓ શરૂઆતમાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા.  બાયજૂ રવિન્દ્રન કંપનીના સ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. તેમની ગણના દેશના અબજોપતિઓમાં થાય છે. કંપની હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે. Byju’sનો અર્થ  ઉર્જાનો સ્ત્રોત (Source of Energy) થાય છે. વર્તમાનમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન Byju’s એપના બ્રાન્ડ એમ્બેસેડર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.