કાચા કામના કેદીઓને દંડ અને જામીન માટે સરકાર નાણાકીય મદદ કરશે, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-07 20:26:44

કેન્દ્ર સરકારે જેલમાં બંધ કાચા કામના કેદીઓ માટે નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ કેદીને આર્થિક મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી જેલોમાં વધી રહેલું ભારણ પણ ઓછું થશે.



કેદીઓને આર્થિક મદદ


ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ યોજના સામાજિક રીતે નબળા, અભણ અને ગરીબ કેદીઓ જેવા ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર આવવા માટે આર્થિક મદદ કરશે. યોજનાનો લાભ જેલમાં બંધ ગરીબ લોકો સુધી પહોંચે તે માટે ઈ-જેલ પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવશે. કાનૂની સેવા સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર મદદ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ-2023માં ગરીબ કેદીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ દંડ અથવા જામીનની રકમ ચૂકવી શકતા નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર અન્ડર ટ્રાયલ કેદીઓની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે IPCમાં કલમ 436A અને CrPCમાં એક નવા પ્રકરણ  XXIA પ્લી બાર્ગેનિંગનો સમાવેશ કરવામાં આવશે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.