કાચા કામના કેદીઓને દંડ અને જામીન માટે સરકાર નાણાકીય મદદ કરશે, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-07 20:26:44

કેન્દ્ર સરકારે જેલમાં બંધ કાચા કામના કેદીઓ માટે નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ કેદીને આર્થિક મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી જેલોમાં વધી રહેલું ભારણ પણ ઓછું થશે.



કેદીઓને આર્થિક મદદ


ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ યોજના સામાજિક રીતે નબળા, અભણ અને ગરીબ કેદીઓ જેવા ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર આવવા માટે આર્થિક મદદ કરશે. યોજનાનો લાભ જેલમાં બંધ ગરીબ લોકો સુધી પહોંચે તે માટે ઈ-જેલ પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવશે. કાનૂની સેવા સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર મદદ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ-2023માં ગરીબ કેદીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ દંડ અથવા જામીનની રકમ ચૂકવી શકતા નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર અન્ડર ટ્રાયલ કેદીઓની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે IPCમાં કલમ 436A અને CrPCમાં એક નવા પ્રકરણ  XXIA પ્લી બાર્ગેનિંગનો સમાવેશ કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.