કાચા કામના કેદીઓને દંડ અને જામીન માટે સરકાર નાણાકીય મદદ કરશે, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-07 20:26:44

કેન્દ્ર સરકારે જેલમાં બંધ કાચા કામના કેદીઓ માટે નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ કેદીને આર્થિક મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી જેલોમાં વધી રહેલું ભારણ પણ ઓછું થશે.



કેદીઓને આર્થિક મદદ


ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ યોજના સામાજિક રીતે નબળા, અભણ અને ગરીબ કેદીઓ જેવા ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર આવવા માટે આર્થિક મદદ કરશે. યોજનાનો લાભ જેલમાં બંધ ગરીબ લોકો સુધી પહોંચે તે માટે ઈ-જેલ પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવશે. કાનૂની સેવા સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર મદદ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ-2023માં ગરીબ કેદીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ દંડ અથવા જામીનની રકમ ચૂકવી શકતા નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર અન્ડર ટ્રાયલ કેદીઓની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે IPCમાં કલમ 436A અને CrPCમાં એક નવા પ્રકરણ  XXIA પ્લી બાર્ગેનિંગનો સમાવેશ કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.