આનંદો! કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજ દરો વધાર્યા, PPF,NSC,KVC અને સુકન્યા સમૃદ્ધિના બચતકર્તાઓેને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-04-02 15:47:42

કેન્દ્ર સરકારની નાની બચતોમાં રોકાણ કરતા રોકાણકારોને કેન્દ્ર સરકારે ગુડ ન્યૂઝ આપ્યા છે,  કેન્દ્ર સરકારે આજે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજના, માસિક આવક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC),કિસાન વિકાસ પત્ર (KVC) તથા તમામ બાંધી મુદતની થાપણ યોજના પર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટેના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)માટેના વ્યાજ દરને 7.1 ટકાના સ્તરે  જાળવી રાખ્યો છે.


વ્યાજ દર કેટલા વધ્યાં?


કેન્દ્ર સરકારે કહ્યું છે કે PPF તથા બેંકમાં બચત જમા પર વ્યાજ દર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે 7.1 ટકા અને ચાર ટકાના લેવલ પર યથાવત રાખ્યા છે. અન્ય બચત યોજનામાં વ્યાજ દરોમાં 0.1 ટકાથી 0.7 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.વ્યાજમાં સૌથી વધારે વધારો રાષ્ટ્રીય બચત પત્ર (NSC)માં કરવામાં આવ્યો છે. એપ્રિલથી 30 જૂન,2023 માટે હવે આ વ્યાજ દર 7.7 ટકા મળશે,જે અત્યાર સુધી 7.0 ટકા હતા. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ માટે વ્યાજ દર 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યો છે.કિસાન વિકાસ પત્ર હવે 120 મહિનાને બદલે 115 મહિનામાં મેચ્યોર (પાકશે) થશે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના માટે વ્યાજ દર 8 ટકાથી વધારી 8.2 ટકા તથા કિસાન વિકાસ પત્ર (KVC) માટે 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યા છે.


ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજ દરમાં પણ વધ્યાં


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની એક, બે, ત્રણ અને પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. હવે એક વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી 6.6 ટકા વ્યાજ મળતું હતું. બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9 ટકા વ્યાજ મળશે. અગાઉ આ દરનો વ્યાજ દર 6.8 ટકા હતો. એ જ રીતે ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9 ટકાથી વધારીને 7.0 ટકા કરવામાં આવ્યો છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.