ચંદ્ર તરફ રવાના થયું આપણું ચંદ્રયાન-3, ચંદ્રની સપાટી પર 42 દિવસ પછી લેન્ડ કરશે


  • Published By :
  • Published Date : 2023-07-14 16:48:21

ભારતની ત્રીજુ મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ થઈ ગયું છે. તેને આજે બપોરે 2.35 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ નજીક લેંન્ડ કરશે. ચંદ્રયાન-3ને મોકલવા માટે LVM3M4 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અગાઉ GSLV MK-IIIના નામથી ઓળખાતું હતું. સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ ચંદ્રયાન-2ને લોન્ચ કરવા તૈયાર કર્યું હતું.


લોન્ચિંગને જોવા માટે હજારો લોકો ઉમટ્યા 


દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન હેઠળ ચંદ્રયાન-3ને ફેટ બોય LVM-M4 રોકેટ લઈ જશે. જો આ લોન્ચિંગ સંપુર્ણપણે સફળ રહ્યું તો ઓગસ્ટના અંત સુધીમાં ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રયાનની લોન્ચિગને જોવા માટે હજારો લોકો ઉમટ્યા છે. તમામ એન્જિનમાં ફ્યુએલ ભરવામાં આવ્યા છે. ઈસરો ટીમ પ્રોગ્રામ્સ અને સોફ્ટવેયરની તપાસ કરી હતી. 


લેન્ડર દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતરશે?


ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે. ચંદ્ર પર વિજય મેળવનાર અમેરિકા, રશિયા અને ચીન હજુ સુધી આ સ્થાન પર પગ મૂક્યો નથી. ચંદ્રના આ ભાગ વિશે વધુ માહિતી બહાર આવી નથી. ચંદ્રયાન-1 મિશન દરમિયાન દક્ષિણ ધ્રુવમાં બરફ જોવા મળ્યો હતો. દક્ષિણ ધ્રુવ ખૂબ જ રસપ્રદ છે. તેની સપાટીનો મોટો ભાગ ઉત્તર ધ્રુવ કરતાં વધુ પડછાયામાં રહે છે. સૂર્યપ્રકાશ અહીં ક્યારેય પહોંચતો નથી. તાપમાન -230 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. આ ભાગમાં પાણી હોવાની પણ શક્યતા છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોલ્ડ ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિક સૂર્યમંડળના ખોવાયેલા અશ્મિભૂત હોવાની શક્યતા છે. જો ચંદ્રયાન-3 અહીં ઉતરશે તો તે ઐતિહાસિક હશે.


સોફ્ટ લેન્ડિંગ મોટો પડકાર


ઈસરો માટે અસલી પડકાર તેના રોવરને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે અને ત્યાં ચલાવાનો છે. વર્ષ 2019માં જ્યારે ચંદ્રયાન-2 મોકલવામાં આવ્યું હતું, ત્યારે લેન્ડીંગ દરમ્યાન તે ખરાબ થઈ ગયું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 અંતર્ગત આ મોડ્યૂલના કારણે ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ અને ચંદ્ર ભૂભાગ પર રોવર ફરવાનું શરૂ કરશે. તેને LVM3M4 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું છે. પહેલા આ રોકેટને અગાઉ  GSLVMK3 કહેવાતું હતું. ભારે ઉપકરણ લઈ જવાની તેની ક્ષમતાના કારણે અંતરિક્ષ વૈજ્ઞાનિકો તેને 'ફેટ બોય' પણ છે.


LVM3M4 રોકેટની શું છે વિષેશતા?


(1)સૌથી શક્તિશાળી લૉન્ચર છે. (2)સંપૂર્ણપણે દેશમાં જ બનાવવામાં આવ્યું છે. (3)સૌથી ભારી લૉન્ચર છે જેનું વજન 642 ટન છે. (4)સૌથી ઊંચું લૉન્ચર છે. 43.3 મીટરની ઊંચાઈ છે. (5)4 ટનનું વજન ધરાવતા સેટેલાઈટને ઓર્બિટમાં લઈ જવા સક્ષમ થએ. (6)તેમાં સૌથી શક્તિશાળી ક્રાયોજેનિક ઈંજન C25 લાગેલ છે જે CE-20 પાવર આપશે (7)તેમાં S200 રોકેટ બૂસ્ટર લાગેલા છે જે રૉકેટને એટલી શક્તિ આપશે કે તે સરળતાથી આકાશમાં છલાંગ મારી શકશે. (8) તેને વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરે બનાવ્યું છે.



ધરતી અને ચંદ્રના 5-5 ચક્કર લગાવશે ચંદ્રયાન-3


ઈસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રની તરફ મોકલતા પહેલા ચંદ્રયાન-3ને ધરતીની ચારે તરફ ઓછામાં ઓછા પાંચ ચક્કર લવાવવા પડશે. દરેક ચક્કર અગાઉના ચક્કર કરતા મોટી હશે. આવું એન્જિનને ઓન કરીને કરવામાં આવશે. ઈસરોના એક વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે 170X36,500 કિમીની લંબગોળ જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ દ્વારા ચંદ્રયાનનું ટ્રેકિંગ અને ઓપરેશન વધુ સરળ અને સરળ બનશે.


ભારત ચોથો દેશ બની જશે


ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા ઘણા અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માંગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. ચંદ્રયાન-3 મિશનથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે જે કોમર્શિયલ બિઝનેસ વધારવામાં મદદ કરશે. ભારત તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3M4 રોકેટથી ચંદ્રયાન લોન્ચ કર્યું છે. ભારત આ લોન્ચ વ્હીકલની ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.