અખાત્રીજના પવિત્ર દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, તીર્થયાત્રીઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું


  • Published By :
  • Published Date : 2023-04-22 14:18:24

આજે  શનિવારે અખાત્રીજના પવિત્ર દિવસ પર ગંગોત્રી-યમનોત્રીના કપાટ ઉનાળા દરમિયાન શ્રધ્ધાળુંઓ માટે ખુલી ગયા છે. ગંગોત્રીના કપાટ 12:35 વાગ્યે જ્યારે યમનોત્રીના કપાટ  12:41 વાગ્યે ખુલી ગયા છે. મા ગંગાની ભોગમૂર્તિ અને છડી ગંગોત્રી ઘામમાં બિરાજમાન છે.


CM પુષ્કર ધામીએ ગંગા પૂજન કર્યું   


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ પ્રસંગે ગંગોત્રી ધામ પહોંચ્યા અને ગંગા પૂજન કર્યું હતું. પૂજા-અર્ચના બાદ વિવિવત રીતે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ યમનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતાં. પુષ્પ વર્ષા સાથે સીએમ ધામીએ તીર્થયાત્રીઓનું સ્વાગત કર્યું હતું.


ગંગોત્રીના પોર્ટલ ખોલવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુખબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા.


ચારધામ યાત્રા શુક્રવારે ઔપચારિક રીતે શરૂ થઈ હતી, જ્યારે શનિવારે બપોરે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના દ્વાર ખોલીને યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે મા ગંગાની ભોગમૂર્તિને ડોળીમાં મુકવામાં આવી હતી અને મુખબા ગામમાંથી ડોળીને આર્મી બેન્ડ, ઢોલ દમૌન અને રાણસીંગે સાથે રાત્રે 12.15 કલાકે ગંગોત્રી ધામ ખાતે રવાના કરવામાં આવી હતી.


7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા 


મુખબા ગામની મહિલાઓએ માતા ગંગાની ડોળીને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. આ પછી તીર્થયાત્રાના પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ મા ગંગાની ડોળી સાથે મુખબાથી જંગલા સુધી 7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા હતા. તે પછી રોડ માર્ગે પગપાળા ભૈરો ખીણ પહોંચ્યા.


અહીં ભૈરો મંદિરમાં માતા ગંગાની ડોળીએ રાતે વિશ્રામ કર્યો. આજે શનિવારે સવારે મા ગંગા કી ડોળી સવારે 8 વાગે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી અને અક્ષય તૃતીયાના રોજ બપોરે 12.13 કલાકે ગંગોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.


રાજ્યપાલે શુભકામનાઓ  પાઠવી


રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેની) એ આજે ​​અક્ષય તૃતીયા પર ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ ખોલવાના શુભ અવસર પર તમામ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે તમામ ભક્તોને સુગમ, સુખદ અને મંગળમય યાત્રાની શુભેચ્છા પાઠવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.