અખાત્રીજના પવિત્ર દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, તીર્થયાત્રીઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું


  • Published By :
  • Published Date : 2023-04-22 14:18:24

આજે  શનિવારે અખાત્રીજના પવિત્ર દિવસ પર ગંગોત્રી-યમનોત્રીના કપાટ ઉનાળા દરમિયાન શ્રધ્ધાળુંઓ માટે ખુલી ગયા છે. ગંગોત્રીના કપાટ 12:35 વાગ્યે જ્યારે યમનોત્રીના કપાટ  12:41 વાગ્યે ખુલી ગયા છે. મા ગંગાની ભોગમૂર્તિ અને છડી ગંગોત્રી ઘામમાં બિરાજમાન છે.


CM પુષ્કર ધામીએ ગંગા પૂજન કર્યું   


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ પ્રસંગે ગંગોત્રી ધામ પહોંચ્યા અને ગંગા પૂજન કર્યું હતું. પૂજા-અર્ચના બાદ વિવિવત રીતે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ યમનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતાં. પુષ્પ વર્ષા સાથે સીએમ ધામીએ તીર્થયાત્રીઓનું સ્વાગત કર્યું હતું.


ગંગોત્રીના પોર્ટલ ખોલવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુખબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા.


ચારધામ યાત્રા શુક્રવારે ઔપચારિક રીતે શરૂ થઈ હતી, જ્યારે શનિવારે બપોરે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના દ્વાર ખોલીને યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે મા ગંગાની ભોગમૂર્તિને ડોળીમાં મુકવામાં આવી હતી અને મુખબા ગામમાંથી ડોળીને આર્મી બેન્ડ, ઢોલ દમૌન અને રાણસીંગે સાથે રાત્રે 12.15 કલાકે ગંગોત્રી ધામ ખાતે રવાના કરવામાં આવી હતી.


7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા 


મુખબા ગામની મહિલાઓએ માતા ગંગાની ડોળીને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. આ પછી તીર્થયાત્રાના પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ મા ગંગાની ડોળી સાથે મુખબાથી જંગલા સુધી 7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા હતા. તે પછી રોડ માર્ગે પગપાળા ભૈરો ખીણ પહોંચ્યા.


અહીં ભૈરો મંદિરમાં માતા ગંગાની ડોળીએ રાતે વિશ્રામ કર્યો. આજે શનિવારે સવારે મા ગંગા કી ડોળી સવારે 8 વાગે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી અને અક્ષય તૃતીયાના રોજ બપોરે 12.13 કલાકે ગંગોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.


રાજ્યપાલે શુભકામનાઓ  પાઠવી


રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેની) એ આજે ​​અક્ષય તૃતીયા પર ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ ખોલવાના શુભ અવસર પર તમામ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે તમામ ભક્તોને સુગમ, સુખદ અને મંગળમય યાત્રાની શુભેચ્છા પાઠવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.