મોદી સરકાર સંસદમાં લાવશે સિનેમેટોગ્રાફ એક્ટ, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી


  • Published By :
  • Published Date : 2023-04-19 18:46:32

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાયરેસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે  આ અંગે આગામી સંસદ સત્રમાં સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. પાયરસી પર કંઈક કરવું જોઈએ તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. આ જ કારણે ફિલ્મ જગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટે મંજૂરી આપી છે કે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 સંસદના આવતા સત્રમાં લાવવામાં આવશે.


ક્વોન્ટમ મિશન માટે મંજૂરી 


તે જ પ્રમાણે મોદી સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દીધી છે. આ માટે 6,003 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24 થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેઓનું સંચાલન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મિશન ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. 


ક્વોન્ટમ ટેકનોલોજી શું છે?


ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે. આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ રહે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.