મોદી સરકાર સંસદમાં લાવશે સિનેમેટોગ્રાફ એક્ટ, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી


  • Published By :
  • Published Date : 2023-04-19 18:46:32

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાયરેસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે  આ અંગે આગામી સંસદ સત્રમાં સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. પાયરસી પર કંઈક કરવું જોઈએ તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. આ જ કારણે ફિલ્મ જગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટે મંજૂરી આપી છે કે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 સંસદના આવતા સત્રમાં લાવવામાં આવશે.


ક્વોન્ટમ મિશન માટે મંજૂરી 


તે જ પ્રમાણે મોદી સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દીધી છે. આ માટે 6,003 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24 થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેઓનું સંચાલન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મિશન ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. 


ક્વોન્ટમ ટેકનોલોજી શું છે?


ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે. આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ રહે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.