કોરોના સંક્રમણ વધતા દેશમાં આજથી કોરોના મોકડ્રિલ થશે શરૂ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ મોકડ્રિલ દરમિયાન રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-04-10 09:38:28

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલ હાથ ધરાશે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થય કેન્દ્રોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હોસ્પિટલમાં હાજર રહેશે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગરની હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવાના છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી હતી સમીક્ષા બેઠક   

કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ હતી. વધતા કોરોના સંક્રમણને જોતા 7 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થય મંત્રી સાથે બેઠક કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમીક્ષા બેઠક કરી હતી અને રાજ્યમાં વધતા કોરોના કેસ પર ધ્યાન રાખવા પણ કહ્યું હતું. અનેક રાજ્યોમાં માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 


ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલની લેશે મુલાકાત 

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રિલનું આયોજન કરવા પણ આગ્રહ કર્યો હતો. 10 અને 11 એપ્રિલના રોજ આ મોક ડ્રિલ યોજાશે. મનસુખ માંડવિયા AIIMS ઝજ્જરની મુલાકાત લેવાના છે. ટેસ્ટિંગ તથા દવા ઉપરાંત જરૂરી સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મોક ડ્રિલમાં સામેલ થશે અને હોસ્પિટલની મુલાકાત લેશે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.