કોરોના સંક્રમણ વધતા દેશમાં આજથી કોરોના મોકડ્રિલ થશે શરૂ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ મોકડ્રિલ દરમિયાન રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-04-10 09:38:28

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલ હાથ ધરાશે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થય કેન્દ્રોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હોસ્પિટલમાં હાજર રહેશે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગરની હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવાના છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી હતી સમીક્ષા બેઠક   

કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ હતી. વધતા કોરોના સંક્રમણને જોતા 7 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થય મંત્રી સાથે બેઠક કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમીક્ષા બેઠક કરી હતી અને રાજ્યમાં વધતા કોરોના કેસ પર ધ્યાન રાખવા પણ કહ્યું હતું. અનેક રાજ્યોમાં માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 


ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલની લેશે મુલાકાત 

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રિલનું આયોજન કરવા પણ આગ્રહ કર્યો હતો. 10 અને 11 એપ્રિલના રોજ આ મોક ડ્રિલ યોજાશે. મનસુખ માંડવિયા AIIMS ઝજ્જરની મુલાકાત લેવાના છે. ટેસ્ટિંગ તથા દવા ઉપરાંત જરૂરી સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મોક ડ્રિલમાં સામેલ થશે અને હોસ્પિટલની મુલાકાત લેશે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.