કોરોના સંક્રમણ વધતા દેશમાં આજથી કોરોના મોકડ્રિલ થશે શરૂ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ મોકડ્રિલ દરમિયાન રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-04-10 09:38:28

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલ હાથ ધરાશે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થય કેન્દ્રોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હોસ્પિટલમાં હાજર રહેશે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગરની હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવાના છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી હતી સમીક્ષા બેઠક   

કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ હતી. વધતા કોરોના સંક્રમણને જોતા 7 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થય મંત્રી સાથે બેઠક કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમીક્ષા બેઠક કરી હતી અને રાજ્યમાં વધતા કોરોના કેસ પર ધ્યાન રાખવા પણ કહ્યું હતું. અનેક રાજ્યોમાં માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 


ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલની લેશે મુલાકાત 

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રિલનું આયોજન કરવા પણ આગ્રહ કર્યો હતો. 10 અને 11 એપ્રિલના રોજ આ મોક ડ્રિલ યોજાશે. મનસુખ માંડવિયા AIIMS ઝજ્જરની મુલાકાત લેવાના છે. ટેસ્ટિંગ તથા દવા ઉપરાંત જરૂરી સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મોક ડ્રિલમાં સામેલ થશે અને હોસ્પિટલની મુલાકાત લેશે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.