બિપોરજોય વાવાઝોડા અંગે સરકાર સતર્ક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની અમિત શાહે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-13 18:29:46

બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગોની સાથે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. જે દરમિયાન અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાથી વધુની 3 મુખ્ય યોજનાની જાહેરાત કરી છે. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે- છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ક્ષેત્રમાંથી ઘણી સફળતા મેળવી છે અને નવી કુદરતી હોનારતોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે હોનારતોનું સ્વરુપ પણ બદલાયું છે અને તેનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ પણ કરી છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 3 યોજનાઓ


અમિત શાહે રાજ્યો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાની ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 5000 કરોડ રુપિયા રાજ્યોના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને ફાયર સર્વિસને આધુનિકૃત કરવા માટે આપ્યા છે. 2500 કરોડ રુપિયા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા મેટ્રો સિટીમાં પૂરથી બચવાની વ્યવસ્થા કરવા માટે આપવામાં આવ્યા છે. તો 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેન્ડસ્લાઈડનો સામનો કરવા માટે નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશન સ્કીમ માટે 825 કરોડ રુપિયાની જાહેરાત કરાઈ છે.


હોનારતોનું પ્રમાણ વધ્યું


અમિત શાહે વધુમાં કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં આ ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેને કોઈ નકારી ન શકે પરંતુ અમે સંતુષ્ટ થઈને ન કહી શકીએ કેમ કે હોનારતોએ પોતાનું સ્વરુપ પણ બદલ્યું છે. તેમણે કહ્યું કે સંકટની આવૃતિ અને તીવ્રતા વધી છે, તો અમે અમારી તૈયારીઓને તેની સાથે વધુ વ્યાપક કરવી પડશે. નવા ક્ષેત્રોમાં પણ અનેક જગ્યાઓએ અલગ અલગ પ્રકારની કુદરતી હોનારતોનું અનુભવ જોવા મળી રહ્યો છે. પૂરના નવા ક્ષેત્ર વધી રહ્યાં છે. અનેક નવા સ્થાનો પર પણ ગરમીની લૂ સહન કરવી પડી રહી છે અને હવે આ બધાનો સામનો કરવા માટે અમે તૈયારીઓ કરી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.