બિપોરજોય વાવાઝોડા અંગે સરકાર સતર્ક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની અમિત શાહે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-13 18:29:46

બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગોની સાથે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. જે દરમિયાન અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાથી વધુની 3 મુખ્ય યોજનાની જાહેરાત કરી છે. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે- છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ક્ષેત્રમાંથી ઘણી સફળતા મેળવી છે અને નવી કુદરતી હોનારતોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે હોનારતોનું સ્વરુપ પણ બદલાયું છે અને તેનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ પણ કરી છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 3 યોજનાઓ


અમિત શાહે રાજ્યો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાની ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 5000 કરોડ રુપિયા રાજ્યોના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને ફાયર સર્વિસને આધુનિકૃત કરવા માટે આપ્યા છે. 2500 કરોડ રુપિયા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા મેટ્રો સિટીમાં પૂરથી બચવાની વ્યવસ્થા કરવા માટે આપવામાં આવ્યા છે. તો 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેન્ડસ્લાઈડનો સામનો કરવા માટે નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશન સ્કીમ માટે 825 કરોડ રુપિયાની જાહેરાત કરાઈ છે.


હોનારતોનું પ્રમાણ વધ્યું


અમિત શાહે વધુમાં કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં આ ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેને કોઈ નકારી ન શકે પરંતુ અમે સંતુષ્ટ થઈને ન કહી શકીએ કેમ કે હોનારતોએ પોતાનું સ્વરુપ પણ બદલ્યું છે. તેમણે કહ્યું કે સંકટની આવૃતિ અને તીવ્રતા વધી છે, તો અમે અમારી તૈયારીઓને તેની સાથે વધુ વ્યાપક કરવી પડશે. નવા ક્ષેત્રોમાં પણ અનેક જગ્યાઓએ અલગ અલગ પ્રકારની કુદરતી હોનારતોનું અનુભવ જોવા મળી રહ્યો છે. પૂરના નવા ક્ષેત્ર વધી રહ્યાં છે. અનેક નવા સ્થાનો પર પણ ગરમીની લૂ સહન કરવી પડી રહી છે અને હવે આ બધાનો સામનો કરવા માટે અમે તૈયારીઓ કરી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.