PM મોદીને મળી મોતની ધમકી, કેરળ યાત્રા દરમિયાન આત્મઘાતિ હુમલાની ધમકીભર્યો પત્ર મળ્યો


  • Published By :
  • Published Date : 2023-04-22 15:08:05

પ્રધાનમંત્રી મોદીને પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોદી સોમવારે બે દિવસની કેરળ યાત્રા પર જવાના છે. આ દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને પણ રાજીવ ગાંધીની જેમ ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને તપાસમાં લાગી ગઈ છે.


પત્ર મલયાલમમાં લખાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના કાર્યાલયમાં કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં પત્ર લખ્યો હતો. તેમણે આ પત્ર ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો.


પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામની એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો. પોલીસે કોચીના મુળ નિવાસી જોની સાથે પૂછપરછ કરીતો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે જોનીએ અન્ય એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો, જે  તેમના પ્રત્યે દ્વેષ રાખે છે. પોલીસે પત્રના લખાણ સાથે જોનીના લખાણને પણ સરખાવ્યું હતું. કેરળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધિત વીવીઆઈપી સુરક્ષા યોજના ને લિક કરવાને લઈ પોલીસની ટીકા કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.