PM મોદીને મળી મોતની ધમકી, કેરળ યાત્રા દરમિયાન આત્મઘાતિ હુમલાની ધમકીભર્યો પત્ર મળ્યો


  • Published By :
  • Published Date : 2023-04-22 15:08:05

પ્રધાનમંત્રી મોદીને પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોદી સોમવારે બે દિવસની કેરળ યાત્રા પર જવાના છે. આ દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને પણ રાજીવ ગાંધીની જેમ ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને તપાસમાં લાગી ગઈ છે.


પત્ર મલયાલમમાં લખાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના કાર્યાલયમાં કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં પત્ર લખ્યો હતો. તેમણે આ પત્ર ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો.


પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામની એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો. પોલીસે કોચીના મુળ નિવાસી જોની સાથે પૂછપરછ કરીતો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે જોનીએ અન્ય એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો, જે  તેમના પ્રત્યે દ્વેષ રાખે છે. પોલીસે પત્રના લખાણ સાથે જોનીના લખાણને પણ સરખાવ્યું હતું. કેરળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધિત વીવીઆઈપી સુરક્ષા યોજના ને લિક કરવાને લઈ પોલીસની ટીકા કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.