PM મોદીને મળી મોતની ધમકી, કેરળ યાત્રા દરમિયાન આત્મઘાતિ હુમલાની ધમકીભર્યો પત્ર મળ્યો


  • Published By :
  • Published Date : 2023-04-22 15:08:05

પ્રધાનમંત્રી મોદીને પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોદી સોમવારે બે દિવસની કેરળ યાત્રા પર જવાના છે. આ દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને પણ રાજીવ ગાંધીની જેમ ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને તપાસમાં લાગી ગઈ છે.


પત્ર મલયાલમમાં લખાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના કાર્યાલયમાં કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં પત્ર લખ્યો હતો. તેમણે આ પત્ર ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો.


પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામની એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો. પોલીસે કોચીના મુળ નિવાસી જોની સાથે પૂછપરછ કરીતો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે જોનીએ અન્ય એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો, જે  તેમના પ્રત્યે દ્વેષ રાખે છે. પોલીસે પત્રના લખાણ સાથે જોનીના લખાણને પણ સરખાવ્યું હતું. કેરળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધિત વીવીઆઈપી સુરક્ષા યોજના ને લિક કરવાને લઈ પોલીસની ટીકા કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.