રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી થશે માનહાનિનો કેસ! અદાણી મુદ્દે કરેલી ટ્વિટ રાહુલને ભારે પડી! આ તારીખે આ નેતા કેસ કરશે દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-10 10:56:19

અદાણી મુદ્દે વિપક્ષ અનેક વખત આક્રામક દેખાયું છે. કોંગ્રેસ દ્વારા અદાણીને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું સચ્ચાઈ છૂપાવે છે એટલે કે રોજે ભટકાવે છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે અદાણીની કંપનિયોમાં 20 હજાર કરોડ બેનામી પૈસા કોના છે? અદાણી સાથે રાહુલ ગાંધીએ પાંચ નેતાઓના નામ જોડ્યા અને ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીની ટ્વિટમાં હિમંતા બિસ્વા સરમાના નામનો પણ ઉલ્લેખ હતો. જેને લઈ આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવાની વાત કરી હતી.

    

ફરી એક વખત અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી 

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દાને લઈ સરકાર પર અનેક વખત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણી મામલે જેસીપી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરી હતી. જેને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે અદાણી મુદ્દે રાહુલ ગાંધી પણ આક્રામક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત સવાલ પૂછતા આવ્યા છે કે અદાણીમાં રોકાયેલા 20 હજાર કરોડ કોના છે? અનેક વખત આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો રહે છે. 


અદાણીના નામ સાથે 5 નેતાઓના નામ જોડ્યા? 

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં અદાણીની સાથે 5 નેતાઓના નામ જોડી દેવાયા છે. અદાણીના અક્ષર Aમાં ગુલામ (નબી આઝાદ), D અક્ષર સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), A અક્ષર સાથે કિરણ (રેડ્ડી), N અક્ષર સાથે હિંમત (બિસ્વા શર્મા) અને I અક્ષર સાથે અનિલ (એંટની)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.       


14 એપ્રિલ બાદ હિમંત બિસ્વા કરશે રાહુલ ગાંધી પર કેસ!

મહત્વનું છે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ મંત્રીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14 એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

 Rahul Gandhi: India's Congress leader appeals against jail sentence in  defamation case - BBC News

આ પહેલા પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ થયો છે માનહાનિ કેસ 

મહત્વનું છે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન માટે પણ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. ઉપરાંત બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર તેમનું સંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.   




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.