રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી થશે માનહાનિનો કેસ! અદાણી મુદ્દે કરેલી ટ્વિટ રાહુલને ભારે પડી! આ તારીખે આ નેતા કેસ કરશે દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-10 10:56:19

અદાણી મુદ્દે વિપક્ષ અનેક વખત આક્રામક દેખાયું છે. કોંગ્રેસ દ્વારા અદાણીને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું સચ્ચાઈ છૂપાવે છે એટલે કે રોજે ભટકાવે છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે અદાણીની કંપનિયોમાં 20 હજાર કરોડ બેનામી પૈસા કોના છે? અદાણી સાથે રાહુલ ગાંધીએ પાંચ નેતાઓના નામ જોડ્યા અને ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીની ટ્વિટમાં હિમંતા બિસ્વા સરમાના નામનો પણ ઉલ્લેખ હતો. જેને લઈ આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવાની વાત કરી હતી.

    

ફરી એક વખત અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી 

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દાને લઈ સરકાર પર અનેક વખત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણી મામલે જેસીપી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરી હતી. જેને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે અદાણી મુદ્દે રાહુલ ગાંધી પણ આક્રામક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત સવાલ પૂછતા આવ્યા છે કે અદાણીમાં રોકાયેલા 20 હજાર કરોડ કોના છે? અનેક વખત આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો રહે છે. 


અદાણીના નામ સાથે 5 નેતાઓના નામ જોડ્યા? 

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં અદાણીની સાથે 5 નેતાઓના નામ જોડી દેવાયા છે. અદાણીના અક્ષર Aમાં ગુલામ (નબી આઝાદ), D અક્ષર સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), A અક્ષર સાથે કિરણ (રેડ્ડી), N અક્ષર સાથે હિંમત (બિસ્વા શર્મા) અને I અક્ષર સાથે અનિલ (એંટની)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.       


14 એપ્રિલ બાદ હિમંત બિસ્વા કરશે રાહુલ ગાંધી પર કેસ!

મહત્વનું છે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ મંત્રીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14 એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

 Rahul Gandhi: India's Congress leader appeals against jail sentence in  defamation case - BBC News

આ પહેલા પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ થયો છે માનહાનિ કેસ 

મહત્વનું છે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન માટે પણ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. ઉપરાંત બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર તેમનું સંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.   




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.