રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી થશે માનહાનિનો કેસ! અદાણી મુદ્દે કરેલી ટ્વિટ રાહુલને ભારે પડી! આ તારીખે આ નેતા કેસ કરશે દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-10 10:56:19

અદાણી મુદ્દે વિપક્ષ અનેક વખત આક્રામક દેખાયું છે. કોંગ્રેસ દ્વારા અદાણીને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું સચ્ચાઈ છૂપાવે છે એટલે કે રોજે ભટકાવે છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે અદાણીની કંપનિયોમાં 20 હજાર કરોડ બેનામી પૈસા કોના છે? અદાણી સાથે રાહુલ ગાંધીએ પાંચ નેતાઓના નામ જોડ્યા અને ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીની ટ્વિટમાં હિમંતા બિસ્વા સરમાના નામનો પણ ઉલ્લેખ હતો. જેને લઈ આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવાની વાત કરી હતી.

    

ફરી એક વખત અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી 

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દાને લઈ સરકાર પર અનેક વખત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણી મામલે જેસીપી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરી હતી. જેને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે અદાણી મુદ્દે રાહુલ ગાંધી પણ આક્રામક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત સવાલ પૂછતા આવ્યા છે કે અદાણીમાં રોકાયેલા 20 હજાર કરોડ કોના છે? અનેક વખત આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો રહે છે. 


અદાણીના નામ સાથે 5 નેતાઓના નામ જોડ્યા? 

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં અદાણીની સાથે 5 નેતાઓના નામ જોડી દેવાયા છે. અદાણીના અક્ષર Aમાં ગુલામ (નબી આઝાદ), D અક્ષર સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), A અક્ષર સાથે કિરણ (રેડ્ડી), N અક્ષર સાથે હિંમત (બિસ્વા શર્મા) અને I અક્ષર સાથે અનિલ (એંટની)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.       


14 એપ્રિલ બાદ હિમંત બિસ્વા કરશે રાહુલ ગાંધી પર કેસ!

મહત્વનું છે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ મંત્રીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14 એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

 Rahul Gandhi: India's Congress leader appeals against jail sentence in  defamation case - BBC News

આ પહેલા પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ થયો છે માનહાનિ કેસ 

મહત્વનું છે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન માટે પણ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. ઉપરાંત બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર તેમનું સંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.