રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી થશે માનહાનિનો કેસ! અદાણી મુદ્દે કરેલી ટ્વિટ રાહુલને ભારે પડી! આ તારીખે આ નેતા કેસ કરશે દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-10 10:56:19

અદાણી મુદ્દે વિપક્ષ અનેક વખત આક્રામક દેખાયું છે. કોંગ્રેસ દ્વારા અદાણીને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું સચ્ચાઈ છૂપાવે છે એટલે કે રોજે ભટકાવે છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે અદાણીની કંપનિયોમાં 20 હજાર કરોડ બેનામી પૈસા કોના છે? અદાણી સાથે રાહુલ ગાંધીએ પાંચ નેતાઓના નામ જોડ્યા અને ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીની ટ્વિટમાં હિમંતા બિસ્વા સરમાના નામનો પણ ઉલ્લેખ હતો. જેને લઈ આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવાની વાત કરી હતી.

    

ફરી એક વખત અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી 

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દાને લઈ સરકાર પર અનેક વખત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણી મામલે જેસીપી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરી હતી. જેને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે અદાણી મુદ્દે રાહુલ ગાંધી પણ આક્રામક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત સવાલ પૂછતા આવ્યા છે કે અદાણીમાં રોકાયેલા 20 હજાર કરોડ કોના છે? અનેક વખત આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો રહે છે. 


અદાણીના નામ સાથે 5 નેતાઓના નામ જોડ્યા? 

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં અદાણીની સાથે 5 નેતાઓના નામ જોડી દેવાયા છે. અદાણીના અક્ષર Aમાં ગુલામ (નબી આઝાદ), D અક્ષર સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), A અક્ષર સાથે કિરણ (રેડ્ડી), N અક્ષર સાથે હિંમત (બિસ્વા શર્મા) અને I અક્ષર સાથે અનિલ (એંટની)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.       


14 એપ્રિલ બાદ હિમંત બિસ્વા કરશે રાહુલ ગાંધી પર કેસ!

મહત્વનું છે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ મંત્રીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14 એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

 Rahul Gandhi: India's Congress leader appeals against jail sentence in  defamation case - BBC News

આ પહેલા પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ થયો છે માનહાનિ કેસ 

મહત્વનું છે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન માટે પણ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. ઉપરાંત બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર તેમનું સંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.