લાલુ યાદવના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન, લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા કરાઈ હતી ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-03-15 15:13:02

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત તમામ 16 લોકોને જામીન આપી દીધા છે. 50000ના બોન્ડ અંતર્ગત આ જામીન આપવામાં આવી છે. લેન્ડ ફોર જોબ સ્કેમને લઈ કેન્દ્રીય એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું અને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આદેશ મળતા લાલુ યાદવ વ્હિલચેર પર પત્ની અને પુત્રી સાથે કોર્ટ પહોંચ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરીની બદલીમાં જમીન લેવાનો આરોપ છે.

 

કોર્ટ સમક્ષ હાજર થયો યાદવ પરિવાર    

લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈ આજે કોર્ટ સમક્ષ યાદવ પરિવાર હાજર રહ્યો હતો. સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જમીનની બદલીમાં નોકરી આપવાના કથિત કૌભાંડને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે વર્ષ 2004થી 2009 દરમિયાન તેમણે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. આ કેસને લઈ 5 મહિના પહેલા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 29 માર્ચના રોજ હાથ ધરાશે.

      


સીબીઆઈએ રાબડી દેવીના ઘરે પાડ્યા હતા દરોડા  

એક તરફ સીબીઆઈએ રેલવેમાં નોકરીના બદલીમાં જમીન લેવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ઈડી પણ મની લોન્ડરિંગ કેસને લઈ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી.સીબીઆઈની ટીમે રાબડીદેવીની પૂછપરછ કરી હતી. તે પછી સીબીઆઈની ટીમ મીસા ભારતીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.