લાલુ યાદવના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન, લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા કરાઈ હતી ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-03-15 15:13:02

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત તમામ 16 લોકોને જામીન આપી દીધા છે. 50000ના બોન્ડ અંતર્ગત આ જામીન આપવામાં આવી છે. લેન્ડ ફોર જોબ સ્કેમને લઈ કેન્દ્રીય એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું અને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આદેશ મળતા લાલુ યાદવ વ્હિલચેર પર પત્ની અને પુત્રી સાથે કોર્ટ પહોંચ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરીની બદલીમાં જમીન લેવાનો આરોપ છે.

 

કોર્ટ સમક્ષ હાજર થયો યાદવ પરિવાર    

લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈ આજે કોર્ટ સમક્ષ યાદવ પરિવાર હાજર રહ્યો હતો. સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જમીનની બદલીમાં નોકરી આપવાના કથિત કૌભાંડને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે વર્ષ 2004થી 2009 દરમિયાન તેમણે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. આ કેસને લઈ 5 મહિના પહેલા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 29 માર્ચના રોજ હાથ ધરાશે.

      


સીબીઆઈએ રાબડી દેવીના ઘરે પાડ્યા હતા દરોડા  

એક તરફ સીબીઆઈએ રેલવેમાં નોકરીના બદલીમાં જમીન લેવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ઈડી પણ મની લોન્ડરિંગ કેસને લઈ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી.સીબીઆઈની ટીમે રાબડીદેવીની પૂછપરછ કરી હતી. તે પછી સીબીઆઈની ટીમ મીસા ભારતીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.      




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.