લાલુ યાદવના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન, લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા કરાઈ હતી ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-03-15 15:13:02

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત તમામ 16 લોકોને જામીન આપી દીધા છે. 50000ના બોન્ડ અંતર્ગત આ જામીન આપવામાં આવી છે. લેન્ડ ફોર જોબ સ્કેમને લઈ કેન્દ્રીય એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું અને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આદેશ મળતા લાલુ યાદવ વ્હિલચેર પર પત્ની અને પુત્રી સાથે કોર્ટ પહોંચ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરીની બદલીમાં જમીન લેવાનો આરોપ છે.

 

કોર્ટ સમક્ષ હાજર થયો યાદવ પરિવાર    

લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈ આજે કોર્ટ સમક્ષ યાદવ પરિવાર હાજર રહ્યો હતો. સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જમીનની બદલીમાં નોકરી આપવાના કથિત કૌભાંડને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે વર્ષ 2004થી 2009 દરમિયાન તેમણે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. આ કેસને લઈ 5 મહિના પહેલા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 29 માર્ચના રોજ હાથ ધરાશે.

      


સીબીઆઈએ રાબડી દેવીના ઘરે પાડ્યા હતા દરોડા  

એક તરફ સીબીઆઈએ રેલવેમાં નોકરીના બદલીમાં જમીન લેવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ઈડી પણ મની લોન્ડરિંગ કેસને લઈ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી.સીબીઆઈની ટીમે રાબડીદેવીની પૂછપરછ કરી હતી. તે પછી સીબીઆઈની ટીમ મીસા ભારતીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.