લઘુત્તમ વેતનના અમલ માટે શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર, કર્મચારીઓ અને શ્રમિકોને શું થશે લાભ?, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-03 14:45:19

ઔદ્યોગિક રીતે અગ્રેસર ગણાતા ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યોની સરખામણીએ યોગ્ય લઘુતમ વેતન નથી મળતું તેવી ફરિયાદો અનેક વખત સાંભળવા મળે છે. આ જ કારણે ગુજરાત વિધાનસભામાં ખાસ બીલ પસાર કરવામાં આવ્યું હતું. હવે વિધાનસભામાં જાહેર કરાયેલ લઘુત્તમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. 


સરકારે કર્યો આ આદેશ


રાજ્ય સરકારના શ્રમ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો 20થી વધુ કર્મચારીઓ હોય તો ફરજિયાત બેંક ખાતામાં વેતન આપવું પડશે. આ ઉપરાંત 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યમાં વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. સાથે જ  મૂળ પગાર, PF,દૈનિક ખાસ ભથ્થું પગાર સ્લીપમાં સમાવવાનું રહેશે. કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવવાનો રહેશે.  શ્રમ વિભાગે તમામ વિભાગો, બોર્ડ કોર્પોરેશન, આઉટસોર્સીંગ એજન્સીના કર્મચારીઓ માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યા છે. લઘુતમ વેતન ધારાનો અમલ નહી કરનાર એજન્સીના પેમેન્ટની ચુકવણી નહી થાય. 



કર્મચારીઓને મળશે આ લાભ?


રાજ્યમા વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. મુળ પગાર, પીએફ, દૈનિક ખાસ ભથ્થુ, લઘુત્તમ વેતન, કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવેશ કરવાનો રહેશે. આઉટસોર્સીંગમા રહેલ કર્મચારી પાંચ વર્ષ પૂરા કરે તો વર્ષના 15 દિવસ લેખે ગ્રેજયુઈટી ચુકવવાની રહેશે.


કેટલો વેતન વધારો થયો? 


તાજેતરમા ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.

કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.


શેરડી શ્રમિકોને થશે લાભ


શેરડી-કાપણીના કામદારોના લઘુતમ વેતનમાં વધારો જાહેર કર્યો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.