લઘુત્તમ વેતનના અમલ માટે શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર, કર્મચારીઓ અને શ્રમિકોને શું થશે લાભ?, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-03 14:45:19

ઔદ્યોગિક રીતે અગ્રેસર ગણાતા ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યોની સરખામણીએ યોગ્ય લઘુતમ વેતન નથી મળતું તેવી ફરિયાદો અનેક વખત સાંભળવા મળે છે. આ જ કારણે ગુજરાત વિધાનસભામાં ખાસ બીલ પસાર કરવામાં આવ્યું હતું. હવે વિધાનસભામાં જાહેર કરાયેલ લઘુત્તમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. 


સરકારે કર્યો આ આદેશ


રાજ્ય સરકારના શ્રમ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો 20થી વધુ કર્મચારીઓ હોય તો ફરજિયાત બેંક ખાતામાં વેતન આપવું પડશે. આ ઉપરાંત 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યમાં વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. સાથે જ  મૂળ પગાર, PF,દૈનિક ખાસ ભથ્થું પગાર સ્લીપમાં સમાવવાનું રહેશે. કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવવાનો રહેશે.  શ્રમ વિભાગે તમામ વિભાગો, બોર્ડ કોર્પોરેશન, આઉટસોર્સીંગ એજન્સીના કર્મચારીઓ માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યા છે. લઘુતમ વેતન ધારાનો અમલ નહી કરનાર એજન્સીના પેમેન્ટની ચુકવણી નહી થાય. 



કર્મચારીઓને મળશે આ લાભ?


રાજ્યમા વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. મુળ પગાર, પીએફ, દૈનિક ખાસ ભથ્થુ, લઘુત્તમ વેતન, કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવેશ કરવાનો રહેશે. આઉટસોર્સીંગમા રહેલ કર્મચારી પાંચ વર્ષ પૂરા કરે તો વર્ષના 15 દિવસ લેખે ગ્રેજયુઈટી ચુકવવાની રહેશે.


કેટલો વેતન વધારો થયો? 


તાજેતરમા ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.

કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.


શેરડી શ્રમિકોને થશે લાભ


શેરડી-કાપણીના કામદારોના લઘુતમ વેતનમાં વધારો જાહેર કર્યો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.