દિલ્હીમાં ભારે વરસાદને કારણે બગડતી પરિસ્થિતિ, સીએમ કેજરીવાલે માગી સેનાની મદદ, જુઓ વરસાદને કારણે સર્જાયેલા દ્રશ્યોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 14:56:52

દિલ્હીમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યમુના નદીનું જળસ્તર વધ્યું પરંતુ હવે તે ખતરાની સપાટીથી નીચે આવી ગયું છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની બહારના રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. લાલ કિલ્લો, રાજઘાટ તેમજ અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે સેનાની તેમજ એનડીઆરએફની મદદ માગી છે.

દિલ્હીમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો

દેશના અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરભારતના રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં મેઘપ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે હિમાચલ પ્રદેશ બાદ જાણે દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. યમુના નદીમાં નવા નીરની આવક થઈ હતી. નદીના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. વરસાદી પાણી સુપ્રીમ કોર્ટની બહાર ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત લાલ કિલ્લા નજીક પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. રાહત શિબિરોની શરૂઆત કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રીએ માગી સેનાની મદદ  

દિલ્હીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેનાની મદદ માગી છે. પીએમ મોદીએ પણ દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. યમુનાનું જળસ્તર વધ્યું હતું પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે દિલ્હીવાસીઓ માટે તેમજ સરકાર માટે રાહતની વાત છે. મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે યમુનાનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જેને કારણે આઈટીઓ અને તેની આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેં મુખ્ય સચિવને સેના અને એનડીઆરએફની મદદ લેવા માટે આદેશ આપ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.