ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાન કરવા ઉમટ્યા ભક્તો, આજના દિવસે સ્નાન કરવાનું હોય છે મહત્વ


  • Published By :
  • Published Date : 2023-01-14 11:38:06

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે.ઉત્તરાયણના દિવસે દાન, સ્નાન તેમજ તપનો પણ અનેરો મહિમા હોય છે. માન્યતા અનુસાર આ દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગંગામાં ડૂબકી લગાવવામાં લોકો ઉમટી પડ્યા છે.

  

ગંગામાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુ

અનેક ગણું ફળ મેળવવા ઉત્તરાયણના દિવસે અનેક લોકો દાન તેમજ સ્નાન કરતા હોય છે. ગંગા સ્નાનને એમ પણ પવિત્ર સ્નાન માનવામાં આવે છે. તહેવાર દરમિયાન તીર્થમાં સ્નાન કરવા લોકો આવી પહોંચતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે તો સ્નાનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે ઋષિકેશ, પ્રયાગરાજ, હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો પર સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. 14 તેમજ 15 તારીખ દરમિયાન ચાલતા માઘ મેળાની મુલાકાત લાખોની સંખ્યામાં લોકો લઈ શકે છે.

    

અનકે વસ્તુઓનું કરાય છે દાન 

ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ ઉપયોગી સાબિત થાય છે. સ્નાન કરતી વખતે અનેક લોકો કાળા તલનો ઉપયોગ પણ કરતા હોય છે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે લોકો ગાય માતાને પણ ઘાસચારો અર્પણ કરે છે. આ દિવસે તલ, ઘી, કપડા તેમજ ખાદ્ય પદાર્થનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.  

 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.