ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાન કરવા ઉમટ્યા ભક્તો, આજના દિવસે સ્નાન કરવાનું હોય છે મહત્વ


  • Published By :
  • Published Date : 2023-01-14 11:38:06

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે.ઉત્તરાયણના દિવસે દાન, સ્નાન તેમજ તપનો પણ અનેરો મહિમા હોય છે. માન્યતા અનુસાર આ દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગંગામાં ડૂબકી લગાવવામાં લોકો ઉમટી પડ્યા છે.

  

ગંગામાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુ

અનેક ગણું ફળ મેળવવા ઉત્તરાયણના દિવસે અનેક લોકો દાન તેમજ સ્નાન કરતા હોય છે. ગંગા સ્નાનને એમ પણ પવિત્ર સ્નાન માનવામાં આવે છે. તહેવાર દરમિયાન તીર્થમાં સ્નાન કરવા લોકો આવી પહોંચતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે તો સ્નાનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે ઋષિકેશ, પ્રયાગરાજ, હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો પર સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. 14 તેમજ 15 તારીખ દરમિયાન ચાલતા માઘ મેળાની મુલાકાત લાખોની સંખ્યામાં લોકો લઈ શકે છે.

    

અનકે વસ્તુઓનું કરાય છે દાન 

ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ ઉપયોગી સાબિત થાય છે. સ્નાન કરતી વખતે અનેક લોકો કાળા તલનો ઉપયોગ પણ કરતા હોય છે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે લોકો ગાય માતાને પણ ઘાસચારો અર્પણ કરે છે. આ દિવસે તલ, ઘી, કપડા તેમજ ખાદ્ય પદાર્થનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.  

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.