ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાન કરવા ઉમટ્યા ભક્તો, આજના દિવસે સ્નાન કરવાનું હોય છે મહત્વ


  • Published By :
  • Published Date : 2023-01-14 11:38:06

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે.ઉત્તરાયણના દિવસે દાન, સ્નાન તેમજ તપનો પણ અનેરો મહિમા હોય છે. માન્યતા અનુસાર આ દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગંગામાં ડૂબકી લગાવવામાં લોકો ઉમટી પડ્યા છે.

  

ગંગામાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુ

અનેક ગણું ફળ મેળવવા ઉત્તરાયણના દિવસે અનેક લોકો દાન તેમજ સ્નાન કરતા હોય છે. ગંગા સ્નાનને એમ પણ પવિત્ર સ્નાન માનવામાં આવે છે. તહેવાર દરમિયાન તીર્થમાં સ્નાન કરવા લોકો આવી પહોંચતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે તો સ્નાનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે ઋષિકેશ, પ્રયાગરાજ, હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો પર સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. 14 તેમજ 15 તારીખ દરમિયાન ચાલતા માઘ મેળાની મુલાકાત લાખોની સંખ્યામાં લોકો લઈ શકે છે.

    

અનકે વસ્તુઓનું કરાય છે દાન 

ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ ઉપયોગી સાબિત થાય છે. સ્નાન કરતી વખતે અનેક લોકો કાળા તલનો ઉપયોગ પણ કરતા હોય છે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે લોકો ગાય માતાને પણ ઘાસચારો અર્પણ કરે છે. આ દિવસે તલ, ઘી, કપડા તેમજ ખાદ્ય પદાર્થનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.  

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.