ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાન કરવા ઉમટ્યા ભક્તો, આજના દિવસે સ્નાન કરવાનું હોય છે મહત્વ


  • Published By :
  • Published Date : 2023-01-14 11:38:06

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે.ઉત્તરાયણના દિવસે દાન, સ્નાન તેમજ તપનો પણ અનેરો મહિમા હોય છે. માન્યતા અનુસાર આ દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગંગામાં ડૂબકી લગાવવામાં લોકો ઉમટી પડ્યા છે.

  

ગંગામાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુ

અનેક ગણું ફળ મેળવવા ઉત્તરાયણના દિવસે અનેક લોકો દાન તેમજ સ્નાન કરતા હોય છે. ગંગા સ્નાનને એમ પણ પવિત્ર સ્નાન માનવામાં આવે છે. તહેવાર દરમિયાન તીર્થમાં સ્નાન કરવા લોકો આવી પહોંચતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે તો સ્નાનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે ઋષિકેશ, પ્રયાગરાજ, હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો પર સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. 14 તેમજ 15 તારીખ દરમિયાન ચાલતા માઘ મેળાની મુલાકાત લાખોની સંખ્યામાં લોકો લઈ શકે છે.

    

અનકે વસ્તુઓનું કરાય છે દાન 

ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ ઉપયોગી સાબિત થાય છે. સ્નાન કરતી વખતે અનેક લોકો કાળા તલનો ઉપયોગ પણ કરતા હોય છે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે લોકો ગાય માતાને પણ ઘાસચારો અર્પણ કરે છે. આ દિવસે તલ, ઘી, કપડા તેમજ ખાદ્ય પદાર્થનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.  

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી