શિવકુમારની પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ વાત, 'મને પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ આપો, ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્ય નથી'


  • Published By :
  • Published Date : 2023-05-18 12:23:16

કર્ણાટકનું રાજકીય નાટક હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. કર્ણાટક કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.


અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા


આ દરમિયાન પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે આ અંગે પણ શરત રાખી છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારનું કહેવું છે કે જો સર્વ સંમતિથી સમજૂતી થાય તો પણ પ્રથમ અઢી વર્ષની મુદત મને આપવી જોઈએ જ્યારે બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને મળે. ડીકે શિવકુમારનું કહેવું છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. હું એ પરિસ્થિતિમાં પણ મૌન રહીશ.


હજુ કોઈ નિર્ણય લેવાયો નથી


દિલ્હીમાં ચાલી રહેલા આ વાતાવરણ વચ્ચે બુધવારે બપોરે એવા સમાચાર પણ સામે આવ્યા કે સિદ્ધારમૈયા કર્ણાટકના નવા સીએમ બનશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ આ નામ પર સહમત છે. સમાચાર એવા પણ હતા કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, થોડા સમય પછી કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેને માત્ર અટકળો જ ગણાવી હતી અને કહ્યું કે નિર્ણય લેવાનો બાકી છે. રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે જાણ કરીશું. આગામી 48-72 કલાકમાં કર્ણાટકમાં અમારી નવી કેબિનેટ હશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.