શિવકુમારની પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ વાત, 'મને પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ આપો, ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્ય નથી'


  • Published By :
  • Published Date : 2023-05-18 12:23:16

કર્ણાટકનું રાજકીય નાટક હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. કર્ણાટક કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.


અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા


આ દરમિયાન પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે આ અંગે પણ શરત રાખી છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારનું કહેવું છે કે જો સર્વ સંમતિથી સમજૂતી થાય તો પણ પ્રથમ અઢી વર્ષની મુદત મને આપવી જોઈએ જ્યારે બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને મળે. ડીકે શિવકુમારનું કહેવું છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. હું એ પરિસ્થિતિમાં પણ મૌન રહીશ.


હજુ કોઈ નિર્ણય લેવાયો નથી


દિલ્હીમાં ચાલી રહેલા આ વાતાવરણ વચ્ચે બુધવારે બપોરે એવા સમાચાર પણ સામે આવ્યા કે સિદ્ધારમૈયા કર્ણાટકના નવા સીએમ બનશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ આ નામ પર સહમત છે. સમાચાર એવા પણ હતા કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, થોડા સમય પછી કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેને માત્ર અટકળો જ ગણાવી હતી અને કહ્યું કે નિર્ણય લેવાનો બાકી છે. રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે જાણ કરીશું. આગામી 48-72 કલાકમાં કર્ણાટકમાં અમારી નવી કેબિનેટ હશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.