જમ્મુ-કાશ્મીરનું ડોડા બનશે બીજું જોશીમઠ? ડોડાના ઘરોમાં પડી રહી છે તિરાડ


  • Published By :
  • Published Date : 2023-02-04 14:14:25

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઘરોમાં તિરાડ પડી રહી હતી. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બની છે. જમીન ધસી જવાને કારણે 21 મકાનોમાં તિરાડો પડી છે. તિરાડો પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે કયા કારણોસર આ તિરાડો પડી રહી છે તે અંગે સર્વે કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.


ડોડામાં વણસી રહી છે પરિસ્થિતિ 

જમ્મુ-કાશ્મીરના ડોડા સ્થિત નઈ બસ્તી ગાંવમાં જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં તિરાડો પડવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. તે ઉપરાંત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જમીન ઘસવાને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્રભાવિત ઘરોની સંખ્યા 21ની આસપાસ પહોંચી ગઈ છે. આ વાતને લઈ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે અને આ સ્થળ અંગે તપાસ કરવા  જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 




21 મકાનોમાં પડી તિરાડ

જોશીમઠમાં આવેલા અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ડોડા પ્રશાસન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગે તપાસ કરી રહી છે. ડોડાના ડીએમ અતહર અમીન જરગરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં એક તિરાડની સૂચના મળી હતી. ધીરે ધીરે આ તિરાડો વધવા લાગી છે.  આ ક્ષેત્ર ધીમે ધીમે ડૂબી રહ્યું છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.