જમ્મુ-કાશ્મીરનું ડોડા બનશે બીજું જોશીમઠ? ડોડાના ઘરોમાં પડી રહી છે તિરાડ


  • Published By :
  • Published Date : 2023-02-04 14:14:25

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઘરોમાં તિરાડ પડી રહી હતી. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બની છે. જમીન ધસી જવાને કારણે 21 મકાનોમાં તિરાડો પડી છે. તિરાડો પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે કયા કારણોસર આ તિરાડો પડી રહી છે તે અંગે સર્વે કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.


ડોડામાં વણસી રહી છે પરિસ્થિતિ 

જમ્મુ-કાશ્મીરના ડોડા સ્થિત નઈ બસ્તી ગાંવમાં જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં તિરાડો પડવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. તે ઉપરાંત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જમીન ઘસવાને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્રભાવિત ઘરોની સંખ્યા 21ની આસપાસ પહોંચી ગઈ છે. આ વાતને લઈ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે અને આ સ્થળ અંગે તપાસ કરવા  જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 




21 મકાનોમાં પડી તિરાડ

જોશીમઠમાં આવેલા અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ડોડા પ્રશાસન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગે તપાસ કરી રહી છે. ડોડાના ડીએમ અતહર અમીન જરગરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં એક તિરાડની સૂચના મળી હતી. ધીરે ધીરે આ તિરાડો વધવા લાગી છે.  આ ક્ષેત્ર ધીમે ધીમે ડૂબી રહ્યું છે.      




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.