સોશિયલ મીડિયા પર ડીએસપી સંતોષ પટેલે શેર કરી ઈમોશનલ પોસ્ટ, વર્ષો પછી વર્દી પહેરી માતાને મળવા પહોંચ્યા પોતાના ગામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 17:31:51

પોતાના બાળકને સફળ થતા જોવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. ઘણી મહેનત કરી માતા પિતા બાળકોને મોટા કરતા હોય છે પરંતુ જ્યારે બાળક કોઈ સિદ્ધિ અથવા તો પદ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો તે તેના માતા પિતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જે અનેક લોકોને સ્પર્શી ગયો છે. ગ્વાલિયામાં ફરજ બજાવતા ડીએસપી સંતોષ પટેલે એક વીડિયો શેર કર્યો જેમાં યુનિફોર્મ પહેરી અનેક વર્ષો બાદ પહેલી વખત તે પોતાના ગામ પન્ના પોતાની માતાને મળવા પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઈમોશનલ પોસ્ટ 

ફેસબુક પર ડીએસપીએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ જ્યારે તેમની માતાને મળવા ગયા ત્યારે તેમની માતા ખેતરમાં પશુઓ માટે ચારો કાપી રહી હતી. માતા પાસે જઈ પોતાની શૈલીમાં વાતચીત કરી રહ્યા છે. પુત્રએ માતાને પૂછ્યું કે આ બધું શું કામ કરે છે. શું કમી છે. પુત્રના આ પ્રશ્ન પર માતાએ જવાબ આપ્યો હતો. દીકરો માતા માટે ગમે તેટલો મોટો બને પરંતુ માતા-પિતા માટે હંમેશા નાનો રહેશે. માતા પોતાના પુત્ર માટે કંઈકને કંઈક વિચારતી જ રહે છે. 


માતાના ચહેરા પર દેખાઈ અલગ ચમક  

માતા જ્યારે બાળકને લડે તો તેમાં માની મમતા છલકાતી હોય છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે મારી માતા ક્યારેક તેને મોંથી ઠપકો આપતી, ક્યારેક તેને લાકડીથી મારતી હતી, ક્યારેક તેને લીંબુના ઝાડ સાથે બાંધતી હતી. અભણ હતી પરંતુ તેને અભ્યાસના વાતાવરણમાં બાંધીને રાખતી હતી. જમીન, મિલકત અને નેતા ધારાસભ્ય તમામ સરકારી નોકરીની સામે નિષ્ફળ જાય છે. જો કોઈને સખત મહેનતનું કોચિંગ લેવું હોયતો તે મારી અમ્મા પાસે અમૃત આશિષ લઈ શકે છે. સાંભળો કદાચ તેમને સારૂ લાગશે કારણ કે દરેક માતા બાળકો માટે કંઈકને કંઈક રાખવા માગે છે. આ કેપ્શન લખી ડીએસપી સંતોષ પટેલે માતા સાથેના સંવાદનો વીડિયો શેર કર્યો હતો. માતા પણ પુત્રને ચાર વર્ષ બાદ મળી રહી હતી. એ પણ ડીએસપીની વર્ધીમાં. યુનિફોર્મમાં પોતાના પુત્રને આટલા લાંબા બાદ મળવાનો આનંદ માતાના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.