સોશિયલ મીડિયા પર ડીએસપી સંતોષ પટેલે શેર કરી ઈમોશનલ પોસ્ટ, વર્ષો પછી વર્દી પહેરી માતાને મળવા પહોંચ્યા પોતાના ગામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 17:31:51

પોતાના બાળકને સફળ થતા જોવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. ઘણી મહેનત કરી માતા પિતા બાળકોને મોટા કરતા હોય છે પરંતુ જ્યારે બાળક કોઈ સિદ્ધિ અથવા તો પદ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો તે તેના માતા પિતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જે અનેક લોકોને સ્પર્શી ગયો છે. ગ્વાલિયામાં ફરજ બજાવતા ડીએસપી સંતોષ પટેલે એક વીડિયો શેર કર્યો જેમાં યુનિફોર્મ પહેરી અનેક વર્ષો બાદ પહેલી વખત તે પોતાના ગામ પન્ના પોતાની માતાને મળવા પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઈમોશનલ પોસ્ટ 

ફેસબુક પર ડીએસપીએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ જ્યારે તેમની માતાને મળવા ગયા ત્યારે તેમની માતા ખેતરમાં પશુઓ માટે ચારો કાપી રહી હતી. માતા પાસે જઈ પોતાની શૈલીમાં વાતચીત કરી રહ્યા છે. પુત્રએ માતાને પૂછ્યું કે આ બધું શું કામ કરે છે. શું કમી છે. પુત્રના આ પ્રશ્ન પર માતાએ જવાબ આપ્યો હતો. દીકરો માતા માટે ગમે તેટલો મોટો બને પરંતુ માતા-પિતા માટે હંમેશા નાનો રહેશે. માતા પોતાના પુત્ર માટે કંઈકને કંઈક વિચારતી જ રહે છે. 


માતાના ચહેરા પર દેખાઈ અલગ ચમક  

માતા જ્યારે બાળકને લડે તો તેમાં માની મમતા છલકાતી હોય છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે મારી માતા ક્યારેક તેને મોંથી ઠપકો આપતી, ક્યારેક તેને લાકડીથી મારતી હતી, ક્યારેક તેને લીંબુના ઝાડ સાથે બાંધતી હતી. અભણ હતી પરંતુ તેને અભ્યાસના વાતાવરણમાં બાંધીને રાખતી હતી. જમીન, મિલકત અને નેતા ધારાસભ્ય તમામ સરકારી નોકરીની સામે નિષ્ફળ જાય છે. જો કોઈને સખત મહેનતનું કોચિંગ લેવું હોયતો તે મારી અમ્મા પાસે અમૃત આશિષ લઈ શકે છે. સાંભળો કદાચ તેમને સારૂ લાગશે કારણ કે દરેક માતા બાળકો માટે કંઈકને કંઈક રાખવા માગે છે. આ કેપ્શન લખી ડીએસપી સંતોષ પટેલે માતા સાથેના સંવાદનો વીડિયો શેર કર્યો હતો. માતા પણ પુત્રને ચાર વર્ષ બાદ મળી રહી હતી. એ પણ ડીએસપીની વર્ધીમાં. યુનિફોર્મમાં પોતાના પુત્રને આટલા લાંબા બાદ મળવાનો આનંદ માતાના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.