સોશિયલ મીડિયા પર ડીએસપી સંતોષ પટેલે શેર કરી ઈમોશનલ પોસ્ટ, વર્ષો પછી વર્દી પહેરી માતાને મળવા પહોંચ્યા પોતાના ગામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 17:31:51

પોતાના બાળકને સફળ થતા જોવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. ઘણી મહેનત કરી માતા પિતા બાળકોને મોટા કરતા હોય છે પરંતુ જ્યારે બાળક કોઈ સિદ્ધિ અથવા તો પદ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો તે તેના માતા પિતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જે અનેક લોકોને સ્પર્શી ગયો છે. ગ્વાલિયામાં ફરજ બજાવતા ડીએસપી સંતોષ પટેલે એક વીડિયો શેર કર્યો જેમાં યુનિફોર્મ પહેરી અનેક વર્ષો બાદ પહેલી વખત તે પોતાના ગામ પન્ના પોતાની માતાને મળવા પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઈમોશનલ પોસ્ટ 

ફેસબુક પર ડીએસપીએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ જ્યારે તેમની માતાને મળવા ગયા ત્યારે તેમની માતા ખેતરમાં પશુઓ માટે ચારો કાપી રહી હતી. માતા પાસે જઈ પોતાની શૈલીમાં વાતચીત કરી રહ્યા છે. પુત્રએ માતાને પૂછ્યું કે આ બધું શું કામ કરે છે. શું કમી છે. પુત્રના આ પ્રશ્ન પર માતાએ જવાબ આપ્યો હતો. દીકરો માતા માટે ગમે તેટલો મોટો બને પરંતુ માતા-પિતા માટે હંમેશા નાનો રહેશે. માતા પોતાના પુત્ર માટે કંઈકને કંઈક વિચારતી જ રહે છે. 


માતાના ચહેરા પર દેખાઈ અલગ ચમક  

માતા જ્યારે બાળકને લડે તો તેમાં માની મમતા છલકાતી હોય છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે મારી માતા ક્યારેક તેને મોંથી ઠપકો આપતી, ક્યારેક તેને લાકડીથી મારતી હતી, ક્યારેક તેને લીંબુના ઝાડ સાથે બાંધતી હતી. અભણ હતી પરંતુ તેને અભ્યાસના વાતાવરણમાં બાંધીને રાખતી હતી. જમીન, મિલકત અને નેતા ધારાસભ્ય તમામ સરકારી નોકરીની સામે નિષ્ફળ જાય છે. જો કોઈને સખત મહેનતનું કોચિંગ લેવું હોયતો તે મારી અમ્મા પાસે અમૃત આશિષ લઈ શકે છે. સાંભળો કદાચ તેમને સારૂ લાગશે કારણ કે દરેક માતા બાળકો માટે કંઈકને કંઈક રાખવા માગે છે. આ કેપ્શન લખી ડીએસપી સંતોષ પટેલે માતા સાથેના સંવાદનો વીડિયો શેર કર્યો હતો. માતા પણ પુત્રને ચાર વર્ષ બાદ મળી રહી હતી. એ પણ ડીએસપીની વર્ધીમાં. યુનિફોર્મમાં પોતાના પુત્રને આટલા લાંબા બાદ મળવાનો આનંદ માતાના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.